મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑગસ્ટ, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ધુતારપુરમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલાયો

     જામનગર ક્રાઈમ બ્રાન્ચે જામનગર નજીકના ધુતારપુરમાં તાજેતરમાં થયેલી બંને ચોરીઓનો ભેદ ઉકેલી ત્રણ તસ્કરોની ધરપકડ કરી છે. પોલીસે કરણ રમેશ તડવી, દિલીપ અભેસીંગ મિનામા અને નટવર રામસીંગ ભૂરિયા નામનાં ત્રણ શખસોને ઝડપી લીધા છે અને ચોથા તસ્કર વિપુલ શબૂર બારીયાને ફરાર જાહેર કર્યો છે. આ ચારેય શખ્સો દાહોદ જિલ્લાના વતની હોવાનું અને હાલ જામનગર જિલ્લામાં ખેતમજૂરી કરતા હોવાનું જાહેર થયું છે. પોલીસે આ શખ્સો પાસેથી ચોરીનાં મુદ્દામાલ પૈકી ચાંદીના દાગીના, વસ્ત્રો અને ત્રણ નંગ મોબાઈલ કબ્જે લીધા છે. એલસીબીનાં ઇન્ચાર્જ પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગોજિયાની તથા કાંટેલિયાની ટીમે આ શખ્સોને શોધી કાઢ્યા છે.  

ચેકીંગનાં બીજાં દિવસે વધુ રૂ. ૨૬.૫૫ લાખની વીજચોરી ઝડપાઈ ગઈ

       જામનગર વીજતંત્ર દ્વારા કોર્પોરેટ ડ્રાઈવ અંતર્ગત ગત્ સોમવારથી વીજચેકીંગનો ફરીથી આરંભ કરવામાં આવ્યો છે. ચેકીંગનાં બીજાં દિવસે મંગળવારે તંત્રની કુલ  ૨૯ ટીમોએ શહેરમાં સેન્ટ્રલ ઝોન, સાત રસ્તા તથા પટેલ કોલોની સબ ડિવિઝન હેઠળનાં વિવિધ વિસ્તારોમાં કુલ ૨૦૨ વીજજોડાણો ચેક કર્યા હતા જે પૈકી ૬૩ વીજજોડાણો માં વીજચોરી માલૂમ પડતાં આ આસામીઓને કુલ રૂ. ૨૬.૫૫ લાખનાં વીજપૂરવણી બિલો આપવામાં આવ્યા હતાં. સોમવારે પણ વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

શ્રી ઝુલેલાલ ચાલીસા મહોત્સવ સંપન્ન

.      જામનગર સિંધી સમાજ દ્વારા તારીખ ૧૬/૦૭/૨૦૨૨,શનિવાર ના રોજ આસ્થા ઉમંગ સાથે સિંધી ધર્મ ગુરૂ ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ ના પરમ ઉપાસક એવા પરમ પુજનીય સંત શ્રી સાંઈ શહેરાવારે ના સાનિધ્ય માં ઝુલેલાલ ચાલીસા મહોત્સવ ની શરૂઆત કરવામાં આવી હતી.      જે ચાલીસા મહોત્સવ માં સિંધી સમાજ દ્વારા વરસો પુરાણા રૃઢી રિવાજ અને ધર્મગ્રંથોમાં આલેખન મુજબ સિંધી સમાજ દ્વારા ૪૦ દિવસની ધાર્મિક ઉપાસના કરવામાં આવે છે. જેમાં અનેક કઠોર નિયમોનું ચુસ્તપણે પાલન કરી ઈષ્ટદેવ ઝુલેલાલની અર્ચના કરવામાં આવે છે અને ૪૧ માં દિવસે તારીખ ૨૫/૦૮/૨૦૨૨, ગુરૂવાર ના રોજ ચાલીસા વ્રત ની વિધિવત રીતે મોટી સંખ્યામાં સિંધી સમાજ દ્વારા મટકી યાત્રા સરઘસ કાઢવામાં આવી  નાનકપુરી ઝુલેલાલ મંદિર થી પગપાળા ચાલી શહેર ના લાખોટા તળાવ ખાતે  આસ્થાભેર મટકી અને જયોતિ સ્વરૂપ ભેરાણા સાહેબ જલ પરવાન(પધરાવી) વ્રત ની સમાપ્તી કરવામાં આવી હતી.      આ પ્રસંગે સિંધી સમાજ દ્વારા બહોળી સંખ્યામાં મળીને સિંધી પરંપરા દાંડિયા રમત છેજ, ભેરાણા , સિંધી પહેરવેશ ટોપી અજરખ સાથે પરંપરાગત ને તાજી કરી આ હજારો વર્ષો પ્રાચીન પરંપરા ઝુ...

ત્રિદિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવ અંગે ચર્ચા

     જામનગરમાં આવેલી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આધ્યપીઠ શ્રી 5 નવતનપુરીધામ ખીજડા મંદિર ખાતે રાજ્યના કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલ પહોંચ્યા હતા. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ શ્રી 108 કૃષ્ણમણિજી મહારાજને મળ્યા હતા. આ પ્રસંગે આગામી તા.23 સપ્ટેમ્બર, 2022થી શરુ થનાર ત્રિદિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવ અંગે પણ ચર્ચાઓ થઈ હતી. અને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ખીજડા મંદિરના પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, કિંજલ કારસરીયા, ગિરિરાજસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા.  

જામનગરમાં ઉદ્યોગનગરોમાં વીજધાંધિયાથી કારખાનેદારો પરેશાન

     જામનગરમાં દરેડ નજીક આવેલા ઉદ્યોગનગર-૨ અને ઉદ્યોગનગર-૩ ખાતે વીજપૂરવઠો વારંવાર અનિયમિત રહેતો હોય ૧૫૦ થી વધુ કારખાનેદારો પરેશાન છે, ઉત્પાદન ઠપ્પ થાય છે, કારખાનેદારોએ કારખાનું બંધ રહે ત્યારે પણ કામદારોને વેતન ચૂકવવું પડે છે. કારખાનેદારોને બેવડો માર પડી રહ્યો છે. મંગળવારે સેંકડો કારખાનેદારોએ વીજતંત્રની આ નીતિરીતિનાં વિરોધમાં ધરણાં અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ આપ્યો હતો.  

જિલ્લા કોંગ્રેસનાં સંગઠન મહામંત્રીએ પક્ષ છોડ્યો

           જામનગર જિલ્લા કોંગ્રેસમાં સંગઠન મહામંત્રી તરીકે ફરજ બજાવતા અને અગાઉ પણ પક્ષમાં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવી ચૂકેલા પ્રદિપસિંહ વાળાએ પક્ષનાં હોદા પરથી તથા પક્ષનાં સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેઓએ આ માટે અંગત કારણ હોવાનું જાહેર કર્યું છે.

રખડતી ગાયો મુદ્દે બે પોલીસ ફરિયાદ દાખલ

     જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખામાં દબાણ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા સુનિલ ભાનુશાળી દ્વારા શહેરના સુપર માર્કેટ નજીક રખડતી ગાય મુદ્દે ઢોરમાલિક હેમંત વાઘેલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાહેરનામાનાં ભંગ સહિતની કલમો હેઠળ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.      આ ઉપરાંત પાબારી હોલ નજીક એક ગાય જાહેર માર્ગ પર રખડી રહી હોય જાહેરનામાં નાં ભંગ બદલ આ ગાયનાં માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગાયનાં કાન પર લગાવવામાં આવેલાં ટેગના આધારે, કોર્પોરેશનના ઇન્ચાર્જ સિક્યોરિટી અધિકારી રાજેન્દ્રસિંહ ચાવડાએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બંને ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

આગામી ત્રીજીએ કર્મચારીઓની મહારેલી

     જામનગર સહિત રાજ્યભરમાં વિવિધ કેડરમાં અને જુદાં જુદાં સરકારી વિભાગોમાં કર્મચારીઓએ આંદોલનનો પ્રારંભ કર્યો છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ અંજલિ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી ત્રણ સપ્ટેમ્બરથી રાજ્યના કુલ સાત લાખ કર્મચારીઓ પોતાની જૂની માંગણીઓના અનુસંધાને આંદોલનનો પ્રારંભ કરશે. જૂની પેન્શન યોજના અને સાતમા પગારપંચનો લાભ વગેરે માંગણીઓ સાથે જામનગર માં આગામી ત્રીજીએ પ્રદર્શન મેદાનથી શરૂ કરી કલેકટર કચેરી સુધી મહારેલી યોજવામાં આવશે. બાદમાં અન્ય વિરોધ કાર્યક્રમો પણ યોજાશે.  

જીસીએ દ્વારા રિલાયન્સ અંડર-19 ઓલ ઇન્ડિયા ઇન્વિટેશન ટુર્નામેન્ટનું આયોજન

     ગુજરાત ક્રિકેટ એસોસિએશન  સપ્ટેમ્બર 2022માં રિલાયન્સ અંડર-19 ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ અંડર-19 મલ્ટી-ડે ફોર્મેટની બીસીસીઆઈની પ્લેઈંગ કન્ડિશન મુજબ રમાશે.      જીસીએના ઉપાધ્યક્ષ  ધનરાજ નથવાણીએ આ ટુર્નામેન્ટની વિગતો આપતા જણાવ્યું હતું કે, “જીસીએ છેલ્લા 10 વર્ષથી સિનિયર કેટેગરીમાં રિલાયન્સ જી-1નું આયોજન કરે છે. ગયા વર્ષથી અમે BCCIના નિયમો મુજબ તમામ કેટેગરી અને વય જૂથોમાં રિલાયન્સ G-1નું આયોજન શરૂ કર્યું છે જે પુરુષો અને મહિલાઓ બંને માટે છે. 2022-23 સીઝન માટે અમે રિલાયન્સ અંડર-19 ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારતભરમાંથી આઠ રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને આમંત્રિત કર્યા છે.”      આ ટુર્નામેન્ટ માટે ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે અને દરેક ગ્રૂપમાં 4 ટીમ રહેશે. ટુર્નામેન્ટ પહેલીથી 18મી સપ્ટેમ્બર દરમિયાન ચાર સ્થળોએ યોજાશે, જેમાં નરેન્દ્ર મોદી મેઈન સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ-બી, આણંદ અને નડિયાદનો સમાવેશ થાય છે. નીચે મુજબ ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે...

મગફળી અને સીંગતેલનાં આ ઝેરી ચકકરને, આ રીતે સમજો !

     દર વર્ષે દિવાળીનાં પર્વો પહેલાંના સમયગાળામાં અખબારો અને ટીવી ગાજતા અને ગૂંજતા હોય છે કે, આગામી લાભપાંચમથી સરકાર ટેકાના ભાવે મગફળીની હોબેશ ખરીદી કરશે. આ માટે ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકે તે હેતુથી અગાઉથી તારીખો પણ જાહેર કરવામાં આવતી હોય છે. વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં માર્કેટ યાર્ડ મારફતે ટેકાના ભાવે ખરીદી માટેની વ્યવસ્થા સરકારી તંત્રો મારફતે ગોઠવવામાં આવતી હોય છે. સરકાર ખેડૂતોની સમૃદ્ધિ માટે રાતદિવસ કામ કરે છે, એ પ્રકારના પ્રચાર માટે બધાં જ સંબંધિતો ઓવરટાઈમ કરતાં હોય છે. ત્યારબાદ, વિવિધ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી થતી રહે છે. દરમિયાન, ટેકાના ભાવ કરતાં ઉંચા ભાવે જાહેર હરાજીમાં પણ લાખો ટન મગફળી વેચાતી રહે છે. સારી મગફળી ખાનગી વેપારીઓ મારફતે ખરીદાતી રહે છે અને નબળી મગફળી, ઘણાં કિસ્સાઓમાં કૌભાંડનાં માધ્યમથી, સરકારી અધિકારીઓ ટેકાના ભાવે ખરીદતાં રહે છે. ખેડૂતોનાં ઘરોમાં ચિક્કાર નાણું ઠલવાતું રહે છે.      તમે ક્યારેય વિચાર કર્યો છે કે, સરકારે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી સહિતની ખેત જણસો શા માટે ખરીદવી જોઈએ ?!      જે ખેડૂતો આર...

યાર્ડમાં વિક્રમી ભાવથી જીરૂનુ વેચાણ થયું

       જામનગર યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું છે કે, શુક્રવારે યાર્ડ ખાતે લાલપુરના એક ખેડૂતને હરાજીમાં જીરૂનો પ્રતિમણ રૂ. ૪૭૩૦ નો ભાવ મળ્યો છે, જે સૌરાષ્ટ્રનો અત્યાર સુધીમાં સૌથી ઉંચો ભાવ છે. આ ખેડૂતે ૩૧ ગુણી જીરૂનુ આ ભાવે વેચાણ કર્યું છે. યાર્ડમાં ગુરૂવારે જીરૂની કુલ ૧૩૦૮ ગુણીની આવક થવા પામી હતી.

જિલ્લાના ૬ શિક્ષકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

     શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૨ માટે જામનગર જિલ્લાના ૬ શિક્ષકોને સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.      જામનગર જિલ્લાના ત્રણ શિક્ષકો જેમાં જોડિયા તાલુકાની  હડિયાણા કન્યા શાળાના પ્રાથમિક શિક્ષક દેવાંગી માધવજી બારૈયા, યુ. પી. વ્યાસ કન્યા વિદ્યાલયના માધ્યમિક શિક્ષક મમતાબેન ધીરજલાલ જોશી,  આર. સી. પીઠડ શાળાના પ્રાથમિક સી. આર. સી. વીરડા અજયકુમાર જીવણભાઈને જિલ્લા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવશે. તથા જોડિયા તાલુકાની જશાપર પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષક કલ્પેશકુમાર બટુકભાઈ ડાંગર, નેસડા પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષક ભાવેશ રામજીભાઇ પનારા, ધ્રોલ તાલુકાની ખારવા પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષક પંકજકુમાર દિનેશભાઇ જોશીને તાલુકા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવશે.  

શ્રાવણી લોકમેળા દરમિયાન ફૂડ શાખાએ કરેલી કામગીરી

     જામનગર કોર્પોરેશનની ફૂડ શાખાએ તાજેતરમાં લોકમેળામાં ફૂડ સેફ્ટી માટે આ પ્રકારની કામગીરી કરી હતી. ફૂડશાખાએ બાલાજી     ફાસ્ટફૂડમાં ૧૦ કિલો વાસી બટેટા, ૨ કિલો મન્ચૂરિયન, ૩ કિલો તૈયાર દાળ, ૨ કિલો ભાજી, ૨ કિલો બાફેલાં શાકભાજી તથા ૧૦ કિલો ચટણી, લાલજીભાઈ ભેલવાળાની ૨ કિલો બ્રેડ, આશાપુરા પાઉંભાજીમાંથી ૧૦ કિલો તેલ તથા બિલનાથમાંથી ૩ કિલો બાફેલાં બટાકા વાસી મળી આવતાં આ બધી ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો.      આ ઉપરાંત કાલાવડ નાકા બહારનાં વિસ્તારમાં ખાણીપીણીનાં ધંધાર્થીઓ તથા એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં વિપુલ કેટરર્સનાં મેન્યુફેકચરિંગ યુનિટની તેમજ બેડેશ્વર વિસ્તારમાં આવેલી બરફની ફેકટરીઓની વિઝિટ કરી હતી. જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કેટલાંક ધંધાર્થીઓ ને નોટિસ આપવામાં આવી હતી.  વિપુલ ઉપરાંત શિવશક્તિ અને અંબિકા ડેરીની કુલ ૩૦ કિલો મીઠાઈ વાસી જણાતાં આ મીઠાઈનો નાશ કરવામાં આવ્યો હતો.  

આશ્રયસ્થાનો ( શેલ્ટર હોમ) ની સુવિધાઓ વધારવા સમીક્ષા બેઠક યોજવામાં આવી

     ઘરવિહોણા લોકો આશ્રયસ્થાનો ખાતે સારી રીતે સુવિધાઓ સાથે જિવી શકે તે માટે રાજ્યકક્ષાની શેલ્ટર હોમ મોનિટરીંગ કમિટી કાર્યરત છે. આ કમિટીના ચેરમેન પી.કે. તનેજાના અધ્યક્ષસ્થાને ૨૬ મીએ જામનગર કોર્પોરેશનમાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં કમિશનર વિજયકુમાર ખરાડીએ ચેરમેન નું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યા પછી ડેપ્યુટી કમિશનર બી.એન.જાનીએ શહેરમાં આશ્રયસ્થાનોની સ્થિતિ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. બાદમાં ચેરમેન દ્વારા કોર્પોરેશનને કેટલાંક સૂચનો કરવામાં આવ્યા હતાં.      ચેરમેને જણાવ્યું હતું કે, હાપા ખાતે આવેલા શેલ્ટર હોમનો વધુમાં વધુ લોકો લાભ લ્યે તે સુનિશ્ચિત કરવું, આ સ્થળે સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવી તથા શેલ્ટર હોમ ખાતે ચાલતી તમામ કામગીરીનું ડિજિટાઈઝેશન કરવું. આ ઉપરાંત ચેરમેને જણાવ્યું હતું કે, રાત્રિ દરમિયાન શહેરમાં જે લોકો ફૂટપાથ પર રહેતાં હોય તે લોકો પૈકી વધુમાં વધુ લોકોને પોલીસ વિભાગની મદદ વડે શેલ્ટર હોમ ખાતે ખસેડવા, દરેક શેલ્ટર હોમ નું સરળ નામકરણ કરવું તથા સૌ સંબંધિત અધિકારીઓને શેલ્ટર હોમની વ્યવસ્થા અંગે માહિતગાર કરવા. આ સાથે ચેરમ...

જાંબુડા-ખીજડીયા રોડનું ખાતમુહૂર્ત કરતા કૃષિમંત્રી

     રાજ્યના કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલે રૂ. 1.54 કરોડના ખર્ચે નિર્મિત થનાર જાંબુડા ગામને ખીજડીયા ગામ સાથે જોડતા ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.      આ તકે મંત્રીએ ગ્રામજનોના પ્રશ્નો તેમજ રજૂઆતો સાંભળી હતી તેમજ જરૂરી ચર્ચા કરી ગ્રામજનોની રજૂઆત પરત્વે સત્વરે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.તેમજ ઉપસ્થિત સૌ કોઈને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી માહિતગાર કર્યા હતા.      આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ  ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા પંચાયત સદસ્ય  નંદલાલભાઈ ભેંસદળીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ  વિઠ્ઠલભાઈ માંડવીયા, તાલુકા સંઘના પ્રમુખ  મુકુંદભાઈ સભાયા, કાર્યપાલક ઇજનેર બી.કે. છૈયા તેમજ ખીજડીયા, નાની બાણુગર, શેખપાટ, મોટીબાણુગર, જાંબુડા, ધુવાવ વગેરે ગામોના સરપંચો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.  

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ - સમીક્ષા બેઠક

     જામનગર : તા.૦૧/૧૦/૨૦૨૨ના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ-૨૦૨૨ અન્વયે જામનગર જિલ્લાના મતદારયાદી ઓબઝર્વર  આર.બી.બારડ  (ચેરમેન, જી.પી.સી.બી., ગાંઘીનગર)એ આજરોજ નાયબ જિલ્લા ચૂંટણી અઘિકારી  કે.એસ. ગઢવી, કલેકટર  ડો.સૌરભ પારઘી, તમામ વિઘાનસભા મતવિસ્તારના મતદાર નોંઘણી અઘિકારી અને મદદનીશ મતદાર નોંઘણી અઘિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી. જેમાં અધિકારીઓને ચૂંટણીલક્ષી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ જિલ્લાના તમામ રાજકીય પક્ષોના આગેવાનો સાથે પણ બેઠક યોજી જરુરી સૂચનો માગવામાં આવ્યા હતા.      આ રિવ્યૂ બેઠકમાં આર.બી. બારડે અધિકારીઓને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમને વેગવંતો બનાવીને મતદારોની નોંધણી કરવી , આધારકાર્ડ લિંક કરાવવા, કોલેજોમાં જઈ ને 18 વર્ષ પૂર્ણ થયા હોય તે યુવાઓના મતદારયાદીમાં નામ નોંધવા, ડોર ટુ ડોર સર્વે કરવું વગેરે કામગીરી અંગેની રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી. તેમજ કલેકટર ડો. સૌરભ પારઘી દ્વારા પણ ઉપસ્થિત અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા હતા.      આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિક...

ઉદ્યોગકારો-કારખાનેદારોનો અટલ વિશ્વાસ: દિનેશભાઈ ડાંગરિયાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ

  પ્રમુખપદ મોભો નહીં, જવાબદારી છે, સૌનાં સહયોગથી નિભાવીશ: દિનેશભાઈ ડાંગરિયા      બ્રાસસિટી જામનગરનાં અર્થતંત્રમાં દરેડ ઉદ્યોગનગર-ટુ અને ઉદ્યોગનગર-થ્રી નો નોંધપાત્ર હિસ્સો રહ્યો છે. આ બંને ઉદ્યોગનગરોના મોટાં ઉદ્યોગકારોથી માંડીને નાનાં કારખાનેદારો જીઆઇડીસી પ્લોટ્સ એન્ડ શેડસ હોલ્ડર્સ એસોસિએશન સાથે સંકળાયેલા છે. આ સંગઠન ૧,૨૦૯ સભ્યો ધરાવે છે જે પૈકી મોટાભાગના ઉદ્યોગકારો અને કારખાનેદારો, એસો. નાં પ્રમુખ દિનેશભાઇ ડાંગરિયા પ્રત્યે અટલ વિશ્વાસ ધરાવે છે. આ અગાઉની ટર્મમાં પ્રમુખ તરીકેનાં તેમનાં કાર્યકાળ દરમિયાન હોદેદારોની સમગ્ર ટીમે દરેડ ઉદ્યોગનગરનાં કલ્યાણ અને વિકાસ માટે પુષ્કળ કામો કર્યા હોય, આ ઉપરાંત હાલમાં પણ આ ટીમ હસ્તક ઘણાં કામો ચાલુ હોય, તાજેતરની ચૂંટણીમાં મતદારોએ વધુ ત્રણ વર્ષ માટે દિનેશભાઇ ડાંગરિયાની પ્રગતિશીલ પેનલને ફરીથી સતા સોંપી છે. અને, કારોબારી સમિતિનાં ચૂંટાયેલા અન્ય ૨૦ સભ્યોએ એકઅવાજે અને આગ્રહ કરીને ફરી વખત પેનલનાં મોભી દિનેશભાઇ ડાંગરિયાને પ્રમુખપદનો તાજ પહેરાવ્યો છે.      જો કે, દિનેશભાઇ સ્પષ્ટવક્તાપણું ધરાવે છે, તેઓનાં મતે- પ્રમુખપદ મોભો નહીં, ...

ચિલ્ડ્રન હોમમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત ગમતના સાધનો વિકસાવવામાં આવ્યા

       જામનગર શહેરના સાધન કોલોની વિસ્તારમાં આવેલ સમાજ સુરક્ષા અંતર્ગત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે રહેતા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી મેયર બિનાબેન કોઠારી દ્વારા આઉટડોર પ્લેઇંગ ઇકવીપમેન્ટસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી જેમાંથી રૂ.૨,૫૨,૦૯૨ની કિંમતના ખર્ચે રમત ગમતના સાધનો  ચિલ્ડ્રન હોમ ખાતે વિકસાવવામાં આવ્યા છે. જેનું લોકાર્પણ મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું.      આ પ્રસંગે મેયરે જણાવ્યું હતું કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્લેઇંગ ઇકવીપમેન્ટસ વિકસાવવામાં આવ્યા છે. જેથી કરીને ચિલ્ડ્રન હોમના બાળકો પણ પોતાના બાળપણનો રમતગમત થકી આનંદ માણી શકે. બાળકો પોતાના અભ્યાસની સાથે સાથે ઈત્તર પ્રવૃતિઓમાં પણ ભાગ લેતા થાય તે દિશામાં પ્રવૃતિઓ કરવા માટે પણ જિલ્લા બાળ સુરક્ષા એકમને મેયર દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ બાળકોને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવા બદલ સમાજ સુરક્ષા તેમજ બાળ સુરક્ષા એકમનાં અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.      આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના જૂથનેતા  કુસુમબેન પંડયા, વ...

જામનગરના બિલ્ડર દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી

       જામનગરના જાણીતા બિલ્ડર ગાગીયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને જામનગર આહીર યુવા ગ્રુપના પ્રમુખ ભાવેશભાઈ ગાગીયા બાદશાહ ભાઈએ તેમના જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરી.      તેઓ દ્વારા જન્મદિવસ નિમિત્તે ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને હોટલની મહેમાનગતિ માણવા લઈ ગયા.  એક હોટલમાં ઝૂંપડપટ્ટીમાં રહેલા નાના બાળકોને લક્ઝરી ભોજન કરાવ્યું તેમ જ લક્ઝરી કારમાં બાળકોને લઈ ગયા અને જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી.      જામનગર શહેરમાં સ્લમ વિસ્તાર ધરાવતા દિગ્જામ સર્કલ પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાંથી સૌથી વધુ બાળકોને ડેવલોપર અને બિલ્ડર ભાવેશભાઈ ગાગીયા બાદશાહ ભાઈ દ્વારા પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ બાળકોને ફાઈવસ્ટાર હોટલમાં લઈ ભોજન કરાવ્યું હતું.  જામનગર શહેરમાં તમામ આશ્રમમાં પણ ભોજન સમારંભ યોજ્યો હતો તેમ જ અલગ અલગ ધર્મ સંસ્થાઓમાં પણ જમણવાર કર્યો હતો.

પેરોલ પર છૂટી નાસી ગયેલો આરોપી ઝડપાઈ ગયો

       જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક ભાગેડુ શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સ ખૂનના ગુનામાં સંડોવાયેલો છે, જે પેરોલ પર છૂટ્યા પછી નાસતો ફરતો હતો.આ ગુનો જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. હીરેન અરજણ ચાવડા (રહે. વિકાસગૃહ રોડ, ગાંધી શોડા સોપ વાળી શેરી, ક્રિષ્ના મીલર, જામનગર) નામનાં આ શખ્સને એલસીબી નાં ઇન્ચાર્જ પીઆઇ કે.જે. ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગોજિયાની તથા કાંટેલિયાની ટીમે શોધી કાઢ્યો છે. આરોપીના પેરોલ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ પૂર્ણ થયેલ. ત્યારબાદ ફરાર હતો.

રોગચાળાગ્રસ્ત ગાયો માટે લાડુની સેવા

       હર હર મહાદેવ મિત્ર મંડળ, કૃષ્ણનગર દ્વારા હાલ ગાયો માં થતા લમ્પી રોગમાંથી મદદરૂપ થવાના આશયથી અઠવાડિયામાં બે વખત લાડુ બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે 35 કિલો ના લાડુ થી શરૂઆત કરી આજે 1200 કિલો લાડુ બનાવવામાં આવ્યા જે લાડુ શહેરના દરેક વિસ્તારોમાં ગાયો સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

કાલાવડના મોટા વડાળામાંથી બોગસ તબીબ ઝડપાયો

       જામનગર SOG એ કાલાવડ તાલુકાના મોટા વડાળામાંથી એક બોગસ તબીબને ઝડપી લીધો છે. આ શખ્સનું નામ સુનિલ પટેલ જાહેર થયું છે, જે મેડિકલની કોઈ પણ પ્રકારની ડિગ્રી ધરાવતો ન હોવાં છતાં દવાખાનું ચલાવતો હતો. સુનિલ ગોબર કથીરીયા નામનો આ શખ્સ રાજકોટની શિવ આરાધના સોસાયટી વિસ્તારમાં રહેતો હોવાનું જાહેર થયું છે. તેનાં કબજામાંથી દવાખાનાં સંબંધી મુદામાલ મળી આવ્યો છે. પોલીસે તેનાં વિરૂધ્ધ કેસ દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. SOG નાં ઇન્ચાર્જ પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચરની ટીમે આ કામગીરી કરી હતી.

કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની કામગીરી

       જામનગર કોર્પોરેશન દ્વારા વધુ એક વખત ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં ૧૦૧ ઢોર પકડવામાં આવ્યા છે અને વર્ષ દરમિયાન ૧,૨૨૯ ઢોર પકડવામાં આવ્યા છે જે પૈકી ૭૪૫ પશુઓને અમદાવાદ ખાતે પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે.      આગામી દિવસોમાં ઢોર પકડવાની કામગીરી વધુ આગળ વધારવામાં આવશે, ઢોર માલિકો વિરુદ્ધ ફરિયાદો પણ દાખલ કરવામાં આવશે. આ માટે કોર્પોરેશનમાં ત્રણ અધિકારીઓને સતા આપવામાં આવી છે.

વન વિભાગ દ્વારા જામજોધપુર પંથકમાં ટ્રેકીંગ કેમ્પ

       જામનગર જિલ્લામાં પ્રકૃતિપ્રેમીઓ અને યુવા વર્ગમાં પર્યાવરણ જાળવણી અને સાહસની પ્રવૃત્તિ ખીલે તે માટે જામનગરના વન વિભાગે ટ્રેકીંગની પ્રવૃત્તિ શરુ કરાવી છે.      દર ચોમાસામાં જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના રકા-ખટિયા, ખડ-ખંભાળીયા થી લઈને જામજોધપુરના સમાણા પાટણ આલેચ ડુંગર સહિતના ટેકરાળ વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. ફૂલો વનસ્પતિઓ મોટા પ્રમાણમાં ખીલે છે. વહેતા ઝરણા જોવા મળે છે. પક્ષીઓનો કલરવ  વન વગડામાં ગુંજે છે.      આ બધાથી જામનગર જિલ્લાના લોકો અને ખાસ કરીને યુવા વર્ગ પરિચિત થાય તે માટે જામનગર ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટના નોર્મલ વિભાગના ડીસીએફ આર. ધનપાલના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા જામનગર જીલ્લામાં ટ્રેકીંગની પ્રવૃત્તિ શરુ કરવામાં આવી છે.  જે અંતર્ગત ઓગસ્ટ માસની શરુઆતમાં તેમજ પોતાના જ પંથકના જૈવિક વૈવિધ્ય અને કુદરતી સૌંદર્યથી લોકો માહિતગાર થાય તે માટે લાલપુર તાલુકાના રક્કા-ખટીયા ગામો નજીકના ડુંગરાળ વિસ્તારમાં વન વિભાગની વીડીમાં ટ્રેકીંગ ગોઠવવામાં આવ્યું હતું.  જેમાં ૬૦ જેટલા ટ્રેકર્સ જોડાયા હતા અને સ્થાનિક પ્રકૃ...

આયુર્વેદ યુનિવર્સીટીના પ્રથમ 5 તેજસ્વી વિધાર્થીઓ

       ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, જામનગર દ્વારા ફેબ્રુઆરી-2022માં (ઓક્ટોબર-2021) લેવાયેલ આયુર્વેદાચાર્ય (બી.એ.એમ.એસ.) પ્રથમ પ્રોફેશનલ વર્ષ, દ્વિતીય પ્રોફેશનલ અને તૃતીય પ્રોફેશનલ વર્ષની ફોરેનર્સ વિધાર્થીઓની કમ્બાઈંડ લેવાયેલી પરીક્ષાના જાહેર થયેલ પરિણામના અનુસંધાને અત્રે આપેલ વિગતો મુજબના વિધાર્થીઓ પ્રથમ પાંચ ક્રમાંક મેળવે છે. જે અંતર્ગત ફેબ્રુઆરી-2022, આયુર્વેદાચાર્ય ફર્સ્ટ પ્રોફેશનલ વર્ષની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે ઠાકર ઝરણા વિજયભાઈ, બીજા ક્રમાંકે ગોંડલીયા પાયલ શૈલેષભાઇ, ત્રીજા ક્રમાંકે આનંદપરા આશના રવીનભાઈ, ચોથા ક્રમાંકે બારોટ આશા મયૂરકુમાર અને પાંચમા ક્રમાંકે શાહ પ્રિષા ફેનલ.      ફેબ્રુઆરી-2022 આયુર્વેદાચાર્ય સેકન્ડ પ્રોફેશનલ વર્ષની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે પ્રજાપતિ પરીક્ષિત રસિકકુમાર,  બીજા ક્રમાંકે બોડા પ્રિંસ કૃષ્ણકાંતભાઈ, ત્રીજા ક્રમાંકે મંસૂરી રુષદાહ નાસિરહુસેન, ચોથા ક્રમાંકે ભારતી ખુશી અનીલકુમાર અને  પાંચમાં ક્રમાંકે સંયુક્ત રીતે સોની દ્રષ્ટિ કેયુરકુમાર અને ઝાલા જયદીપસિંહ પ્રદીપસિંહ આ પાંચ વિધાર્થીઓએ બીજા વર્ષમાં ઉચ્ચ ગુણ મેળવ્યા ...

ઓબીસી અનામત અંગે આયોગ સમક્ષ રજૂઆત

       તાજેતરમાં  સુપ્રીમકોર્ટ  માં ઓબીસી સમાજ ની રાજકીય અનામત બાબતે થયેલી અરજીમાં  સુપ્રીમ કોર્ટે ગૂજરાત સરકાર ને આપેલ આદેશ અનુસાર ગૂજરાત સરકારે વરિષ્ઠ ભૂતપૂર્વ હાઈકોર્ટ ના ચીફ જસ્ટીસ કે.એસ ઝવેરીના  વડપણમાં સમર્પિત  આયોગ ની રચના કરી છે.      જે અનુસંધાને આયોગ દ્વારા અખબારો માં જાહેખબર આપી  ઓબીસી સમાજ ના આગેવાનો,રાજકીય આગેવાનો પાસે થી લેખીતમાં વાંધાસૂચનો જે તે જિલ્લા ના અધિક કલેકટરો ને લેખીત માં આપવા જણાવવામા આવ્યું હતું.જે સૂચન બાદ ગુરુવારે રાજકોટ કલેકટર કચેરી ખાતે રૂબરૂ સૂચનો  સાંભળવા માટે સમર્પિત આયોગ ના ચેરમેન કે એસ ઝવેરી  તેમજ આયોગ ના સભ્યો સાથે ઓબીસી એકતા પરિષદના સ્થાપક  વેરશીભાઈ ગઢવી,જિલ્લા કોંગ્રસના પ્રમુખ  જીવણભાઈ કુંભરવડિયા,ઓલ ઈન્ડીયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ ના પ્રમુખ  હારૂન પલેજાએ ઓબીસી સમાજ વતી  સ્થાનિક સ્વરાજય જેવી કે મહાનગપાલિકાઓમાં, નગરાલિકાઓમાં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના દરેક હોદાઓ ઉપર તેમજ ગ્રામપંચાયત માં ઉપસરપંચ ના હોદા માટે ઓબીસી સમાજ ને અનામત આપવા માટે તેમજ ઓબીસી સમા...

મોરમ-મેટલના કામો માટે ખર્ચ મંજૂર કરતી સ્ટેન્ડિંગ કમિટી

  ફાઇલ ફોટો       જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરૂવારે ચેરમેન મનિષ કટારિયા નાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મોરમ-મેટલનાં કામો કરવા માટે જુદાં જુદાં વોર્ડ માટે કમિશ્નરની દરખાસ્ત મુજબ ખર્ચ મંજૂર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત કોર્પોરેશનની શહેરમાં આવેલી સોલિડ વેસ્ટ વિભાગ હેઠળની વિવિધ ઈમારતોમાં સફાઈ સહિતની કામગીરી માટે રૂ. ૨૪ લાખનાં ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

નગરસેવિકા દ્વારા વધુ એક વખત આવેદનપત્ર

       જામનગરનાં નગરસેવિકા રચનાબેન નંદાણિયા દ્વારા ગુરુવારે કોર્પોરેશનમાં મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બેડા સરઘસ યોજવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે, વોર્ડ નંબર ચારમાં હાથણી નામે ઓળખાતા નગરસીમ વિસ્તારોમાં પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. એ જ રીતે કોર્પોરેશન ની વિવિધ આવાસ યોજનાઓમાં પણ સેંકડો લોકો જુદાજુદા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત ICDS અધિકારી અને ટેક્સ અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં આક્ષેપ સાથે આ બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી હતી.

જામનગરની બાળાઓ ક્રિકેટમાં તેજસ્વીતા દેખાડી રહી છે: વધુ ૭ બાળાઓની પસંદગી

       ક્રિકેટના કાશી તરીકે જાણીતા જામનગરની બાળાઓ ક્રિકેટમાં તેજસ્વીતા દેખાડી રહી છે. આ અગાઉ નગરની ૭ બાળાઓ district કક્ષાની ટૂર્નામેન્ટ માટેની ટીમમાં પસંદ થયા પછી વધુ એક વખત અન્ય ૭ બાળાઓ અન્ડર-૧૯ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે પસંદગી પામી છે. અન્ડર-૧૯ ડોમેસ્ટિક વુમન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ આગામી પહેલી સપ્ટેમ્બરથી અમદાવાદ ખાતે રમાશે. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ટીમમાં જામનગરની ૭ બાળાઓ સતત ત્રીજા વર્ષે પસંદગી પામી છે. આ બાળાઓના નામો:  માહિનૂર ચૌહાણ, અનુષ્ઠા ગૌસ્વામી, પ્રિતિકા ગૌસ્વામી, શ્રુતિ જાડેજા, ખુશી ભીંડી, તહેસીન ચૌહાણ અને રાબિયા સમા છે. આ તમામ બાળાઓ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે તાલીમ લઈ રહી છે.

ધ્રોલનો આરોપી ચાર વર્ષે કચ્છથી ઝડપાયો

       ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે આ શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશનનાં બે ગુન્હા અગાઉ નોંધાયા હતાં. આ શખ્સ ચાર વર્ષથી પોલીસનાં હાથમાં આવતો ન હતો. જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોડે માવજી બાબુ ગાંગાસ નામનાં કચ્છનાં આ શખ્સને કચ્છનાં રાપરમાંથી શોધી કાઢ્યો છે. ધ્રોલ પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચરની ટીમે આ શખ્સને શોધી કાઢ્યો છે

પર્યુષણ પર્વ નિમિત્તે ભગવાનને આંગી

            જામનગરમાં પર્યુષણ પર્વ નિમિત્તે વિવિધ દેરાસરો ખાતે ભગવાનની પ્રતિમાઓને આંગી યોજવામાં આવી રહી છે. કાલે બુધવારે શ્રી શેઠજી જૈન દેરાસર ખાતે તથા પટેલ કોલોની શેરી નં ૬ ખાતે આવેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે આંગી તથા ભાવના સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.

શ્રી દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવની તૈયારીઓ

       જામનગરમાં છેલ્લાં ૨૬ વર્ષથી શ્રી દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવની ઉજવણી દર વર્ષે વિવિધ થીમ પર કરવામાં આવે છે. આ વર્ષે પણ શ્રધ્ધાળુઓ દ્વારા મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ૩૧ ઓગસ્ટથી શરૂ થનારો આ મહોત્સવ ૯ સપ્ટેમ્બર સુધી ચાલશે.      આયોજકો એઈટ વન્ડર્સ ગ્રૂપ દ્વારા આ વર્ષે પ્રદૂષણમુક્ત પ્રતિમા બનાવવા માટે કંતાન, સફેદ કાપડ અને પાંચ ધાન્ય ઘઉં, ચોખા, બાજરી, મકાઈ તથા જુવારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ગણપતિ સાર્વજનિક મહોત્સવ દર વર્ષે વિવિધ પ્રકારના વિક્રમી આયોજન માટે જાણીતો છે.      ગ્રૂપના સભ્યો કેવલસિંહ રાણા, દિલીપભાઈ વારોલીયા, નિલેષસિંહ પરમાર, કલ્પેશભાઈ વાડોલિયા, બકુલ નાનાણી, પ્રિયાંકભાઈ શાહ, જયેશ જોષી, યોગેશભાઈ કણજારિયા, દિલીપસિંહ જેઠવા, પ્રતાપસિંહ ચૌહાણ, બિપીનભાઈ મ્હેતા, જિતુભાઈ ગઢવી, મિતેષ ઠાકોર, હરિભાઈ, ગોપાલભાઈ ભટ્ટ, હિતેશભાઈ શાહ, વિપુલ પીઠડીયા, કુનાભાઈ નાનાણી તથા કપિલ સોલંકી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

જામનગરમાં પર્યુષણ પર્વ નો પ્રારંભ

     જામનગરમાં ૨૪ ઓગસ્ટથી જૈનોનાં પર્યુષણ પર્વનો પ્રારંભ થતાં બુધવારે શેઠજી જૈન દેરાસર ખાતે પૂજાનો ધર્મલાભ, બાજુનાં હોલમાં સત્સંગ તથા પટેલ કોલોની ખાતે આવેલા દેરાસર ખાતે પૂજા અર્ચના નાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.  

જૂનાગઢનો શખ્સ જામનગરમાં તમંચા સાથે ઝડપાયો

       જામનગર એસઓજી એ ગોલ્ડન સિટી પાછળનાં ભાગે આવાસ તરફનાં રસ્તા પરથી જૂનાગઢનાં અદનાન મુસ્તાક શેખ (રહે. સુખનાથ ચોક, પીસોરી ફળીયા શેરી નંબર ૧, જુનાગઢ) નામના શખ્સને એક તમંચા સાથે ઝડપી લીધો છે. આ શખ્સનો ધંધો મજૂરી હોવાનું જાહેર થયું છે. એસઓજી નાં ઇન્ચાર્જ પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચરની ટીમે આ શખ્સને શોધી કાઢ્યો છે. એસઓજીએ આ શખ્સને સીટી સી ડિવીઝન પોલીસને સોપી આપેલ છે. પોલીસએ આર્મ્સ એકટનું ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ફરીથી આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરતાં રાજ્યભરના કર્મચારીઓ

       રાજ્યનાં વિવિધ વિભાગોમાં કર્મચારીઓએ વધુ એક વખત ગુજરાત સરકાર સામે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની યાદીમાં જણાવાયું છે કે, ૪૨૦૦ ગ્રેડ પે અને જૂની પેન્શન યોજના સહિતની વિવિધ માંગણીઓનાં અનુસંધાને રાજય સંયુક્ત કર્મચારી મોરચો અને કર્મચારી મહામંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, રજૂઆતો છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક અભિગમ લેવામાં ન આવતાં ૨૩ ઓગસ્ટે પાટનગર ખાતે મોરચા અને મહામંડળની બેઠકમાં આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.      આ જાહેરાત મુજબ, આગામી ૩ સપ્ટેમ્બર નાં દિવસે કર્મચારીઓ રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ રેલી અને આવેદનપત્ર નો કાર્યક્રમ આપશે. ૧૧ મીએ ઝોન કક્ષાએ રેલી અને આવેદનપત્ર, ૧૭મીએ રાજ્યભરમાં કર્મચારીઓની સામૂહિક રજા, ૨૨મીએ રાજ્યભરમાં તમામ કેડરના કર્મચારીઓ પેન ડાઉન આંદોલન કરશે. અને, ૩૦મી સપ્ટેમ્બરથી રાજ્યમાં કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે.      સંઘનાં રાજય પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ અંજલિ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આ અગાઉ જામનગર તથા રાજકોટનો ૪૨૦૦ ગ્રેડ પે નો પ્રશ્ન ઉકલી ગયો છ...

૩૦ મીએ કેજરીવાલ કાળિયા ઠાકોરના ધામમાં: મોટી જાહેરાત થશે

આગામી ૩૦મી ઓગસ્ટે અરવિંદ કેજરીવાલ યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવશે: સમગ્ર ગુજરાતનાં ખેડૂતો માટે કરશે મોટી જાહેરાત  

ITI નાં કર્મચારીઓની હડતાળ

     જામનગર સહિત રાજ્યભરમાં આઇટીઆઇનાં ટેકનિકલ કર્મચારીઓ દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી છે. કર્મચારીઓ જણાવે છે કે, તેઓનાં પગારધોરણ અને સળંગ નોકરી ગણવાના મુદ્દા સહિતના પ્રશ્નો વર્ષોથી અણઉકેલ છે, આ અંગે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી જેને કારણે તમામ ટેકનિકલ કર્મચારીઓ દ્વારા હડતાળનો આશરો લેવામાં આવ્યો છે. ૨૩મી ઓગસ્ટે તમામ કર્મચારીઓએ પ્રતિક ઉપવાસ કર્યા હતા. આગામી ૧૦ મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં સમગ્ર રાજ્યના આઈટીઆઈ કર્મચારીઓ ધરણાં કરશે અને પછી પણ સરકાર ઢીલી નહીં પડે તો ૨૯ સપ્ટેમ્બરથી કર્મચારીઓ રજા પર ઉતરી જશે.

ચોરીનાં બે આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા

     જામનગરમાં જીજી હોસ્પિટલ નજીક બે શખ્સો સોનાનાં દાગીના વેચવા માટે પ્રયત્નો કરી રહ્યા છે એવી બાતમીના આધારે, સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા આ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે અને તેઓનાં કબજામાંથી ૧૧૪ ગ્રામ સોનાની કુલ રૂ. ૩,૪૨,૦૦૦ ની ચીજવસ્તુઓ કબ્જે લેવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જાડેજાની ટીમે આ શખ્સોને શોધી કાઢ્યા છે.      આ શખ્સોએ નવાગામ ઘેડમાં માતૃ આશિષ સોસાયટીમાં ચોરી કરેલી તેનો આ મુદામાલ હોવાનું પોલીસે જાહેર કર્યું છે.      આ શખ્સોના નામ: નિખિલ જયેશ પ્રતાપ કેશોર ( ધંધો: મજૂરી) અને તુષાર ( ધંધો: DJ ) છે. આ બંને ભાઈઓ છે અને માતૃ આશિષ સોસાયટીમાં જ રહે છે.  

જામનગર પોલીસે રાજકોટમાંથી આરોપીને શોધી કાઢ્યો

      જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડે એક આરોપીને રાજકોટનાં શાપરમાંથી શોધી કાઢ્યો છે. આ શખ્સ છેતરપિંડીનાં એક કેસમાં ૨ વર્ષથી નાસતો ફરતો હતો. આરોપીનું નામ મહેશ કાનજી સલોડીયા છે જે સુરતનો રહેવાસી છે તેણે કાલાવડના એક વેપારી સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ આ શખ્સ વિરુદ્ધ નોંધાયેલી છે. ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચરની ટીમે આ શખ્સને શોધી કાઢ્યો છે. આ શખ્સ સુરતનો વેપારી છે.  

JMC નાં અધિકારીએ નશો કર્યાનો મહિલા કોર્પોરેટરનો આક્ષેપ

       જામનગરમાં વોર્ડ નં ૧૬ ખાતે કોર્પોરેશન દ્વારા ચાલી રહેલા એક કામની મુલાકાત દરમિયાન નગરસેવિકા જેનબબેન ખફીને એવું જાણવા મળ્યું હતું કે, સ્થળ પર પહોંચેલા વોટર વર્કસ વિભાગના વડા પી.સી. બોખાણીએ ડ્રીંક કર્યું છે ! આ અંગે કોર્પોરેટર દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જો કે, કમિશનરની દરમિયાનગીરીને કારણે અને નિષ્પક્ષ તપાસની ખાતરીના પગલે કોર્પોરેટર દ્વારા હાલ આ અધિકારી વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.      આ મુદ્દે અધિકારીએ જણાવ્યું છે કે, તેઓએ નશો કર્યો ન હતો. તમાકુવાળો મસાલો ખાધો હતો. આ પ્રકરણે કોર્પોરેશનમાં ખળભળાટ મચાવ્યો છે.

ગણેશપ્રતિમા વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા

      જામનગરમાં આગામી દિવસોમાં ગણેશોત્સવ ઉજવવામાં આવશે. કોર્પોરેશન દ્વારા ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે આ વર્ષે બે સ્થળોએ તૈયારીઓ કરવામાં આવી રહી છે.      નગરજનો રાજકોટ રોડ પર સ્કોડા કંપનીનાં શોરૂમ સામેનાં ભાગમાં અથવા રાધિકા સ્કૂલથી હાપા માર્કેટ યાર્ડ તરફ જતાં માર્ગ પર ગણેશ પ્રતિમાઓના વિસર્જન કરી શકે તે માટે તૈયારી કરવામાં આવી છે.

માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરવામાં આવી

     તાજેતરમાં સંપન્ન થયેલ 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત દેશની આઝાદીના 75મા વર્ષની ઠેર- ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લામાં સ્થિત માનસિક આરોગ્યની હોસ્પિટલ ખાતે ગત તા. 13થી 15 ઓગસ્ટ દરમિયાન 'આઝાદી કા અમૃત મહોત્સવ' ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત હોસ્પિટલમાં શ્રમદાન, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ જેવા સામાજિક કાર્યો કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ દ્વારા રમત-ગમતનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં દર્દીઓએ ઇન્ડોર ગેમ્સ એક્ટિવિટી કરેલ હતી. ગત તા. 15 ઓગસ્ટના રોજ કર્મચારીઓ તેમજ અધિકારીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમુખ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.  ધ્વજવંદન કાર્યક્રમ બાદ દેશભક્તિ ગીત સ્પર્ધા અને આઝાદી કવીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્સીંગના વિધાર્થીઓ દ્વારા દેશભક્તિને અનુરૂપ નાટકની પ્રસ્તુતિ કરાઈ હતી. કાર્યક્રમને અંતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, અને સ્વચ્છતા જાળવવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કર્મચારી  રસિકભાઈ ગોસાઈ,  ભાવિકભાઈ રાઠોડ, હોસ્પિટલના અધિક્ષક  ડો. પૂર્ણ...

જામનગર એસ. ટી. વિભાગ દ્વારા એપ્રેન્ટિસ ભરતી સત્રનું આયોજન

       ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જામનગર વિભાગની એપ્રેન્ટિસની મંજૂરી માટે જામનગર વિભાગ હેઠળની વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલીય, વિભાગીય સ્ટોર્સ જામનગર અને જામનગર/ જામજોધપુર/ ખંભાળિયા/ દ્વારિકા/ધ્રોલ ડેપો ખાતે એપ્રેન્ટિસ એક્ટ-1961 અન્વયે ઓગસ્ટ- ઓકોટોબર 2022ના ભરતી સત્ર માટે એપ્રેન્ટિસ ટર્નર, ઈલેક્ટ્રીશિયન, વેલ્ડર, મોટર મિકેનિક, 4 ટ્રેડ હેઠળના આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવાની હોય, તે માટે ઉચ્છુક લોકોએ apprenticeshipindia.org પોર્ટલ પર જઈને આધારકાર્ડ ફરજીયાતપણે વેરિફાઇડ કરાવીને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ઓનલાઇન અરજીની પ્રિન્ટ નકલ સાથે શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાઓ (ધો. 10 અને 12 પાસ અને આઈ.ટી.આઈ પાસના પુરાવાઓ), લિવિંગ સર્ટિફિકેટ, આધારકાર્ડ, જાતિના પ્રમાણપત્રની 2 નકલો જોડીને આગામી તા. 7 સપ્ટેમ્બર સુધીમાં અરજી પત્રકો મેળવી લેવાના રહેશે. તેમજ આગામી તા. 9 સપ્ટેમ્બર સુધીમાં અરજી પત્રકો સહિત તમામ અસલ માર્કશીટ/ પ્રમાણપત્રોની રૂબરૂ ચકાસણી કરવવાની રહેશે. આ રૂબરૂ ચકાસણીમાં યોગ્ય રહેલ જ અરજી પત્રકો સ્વીકારવામાં આવશે. આ માટે વધુ માહિતી મે...

જામનગરમાં સેંકડો રહેવાસીઓને જગ્યા ખાલી કરવા રેલવેની નોટિસ: કોર્પોરેશનમાં રજૂઆત

       જામનગરમાં દિગ્જામ સર્કલ નજીકનાં વિસ્તારમાં સિદ્ધાર્થનગર અને હનુમાન ટેકરી સહિતનાં વિસ્તારોમાં રેલ્વે લાઈનની બંને તરફનાં વિસ્તારોમાં સેંકડો લોકો વર્ષોથી વસવાટ કરે છે. તાજેતરમાં રેલવે સત્તાવાળાઓ દ્વારા આ તમામ રહેવાસીઓને આ જગ્યાઓ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જેનાં અનુસંધાને આ વિસ્તારમાં કાર્યરત અખિલ ભારતીય મજૂર અધિકાર મંચના આગેવાનોએ આ મુદ્દો ઉપાડ્યો છે અને એવી માંગણી કરી છે કે, આ રહેવાસીઓના પુનર્વસન માટે તેઓને વૈકલ્પિક રહેઠાણ વ્યવસ્થા કરી આપવામાં આવે. આ મુદ્દે સેંકડો રહેવાસીઓએ કાલે સોમવારે કોર્પોરેશનમાં કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ મુદ્દે સર્વે કરવામાં આવશે અને જરૂર પડ્યે રેલવે સત્તાવાળાઓ સાથે સંકલન કરવામાં આવશે અને રહેવાસીઓને આપવામાં આવેલી નોટિસો અને વૈકલ્પિક રહેઠાણ વ્યવસ્થા માટે શું કરી શકાય ? તે અંગે કોર્પોરેશન દ્વારા કોઈ રસ્તો વિચારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના પ્રશ્નો સમગ્ર ગુજરાતમાં હોવાથી આગામી ૨૨/૯ નાં રોજ પાટનગર ગાંધીનગર ખાતે આ મુદ્દે ધરણાંના કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી હતી.

જામનગરમાં રાવણદહન સંદર્ભે સિંધી સમાજની બેઠક યોજાઇ

      જામનગરમાં દર વર્ષે સિંધી સમાજ દ્વારા રાવણદહનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે સિંધી સમાજની એક બેઠક પૂર્વ શહેરી વિકાસ મંત્રી અને સિંધી સમાજના ચેરમેન પરમાણંદ ખટ્ટર નાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.      ૨૧ મી ઓગસ્ટે યોજાયેલી આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, છેલ્લાં બે વર્ષથી કોરોનાકાળને કારણે આ ઉત્સવ ઉજવી શકાયો ન હોય આ વર્ષે આગામી પાંચમી ઓકટોબરે રાવણદહન ધામધૂમથી ઉજવવામાં આવશે. આ નિર્ણય પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.      આ બેઠકમાં સિંધી સમાજના અગ્રણીઓ ઉધ્ધવદાસ ભૂગડોમલ, પ્યારેલાલ રાજપાલ, ધનરાજ મંગવાણી, કિશોર સંતાડી, હરિશ રોહેરા, પરસોત્તમ કકનાણી, મુકેશ લાલવાણી, મનિષ રોહેરા, હરેશ ગનવાણી, મયૂર જેસાણી, કપિલ મેઠવાણી, કાંતિભાઈ ઇસ્લામી, હેમંત દામાણી, પ્રકાશ હકાણી તથા હીરેન  માવાણી વગેરેને હોદેદારો દ્વારા ઉત્સવ માટેની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. 

ફૂલિયા હનુમાન મંદિર નજીક રહેતો એક વાહનચોર બાઈની વાડી પાસે ઝડપાયો

       જામનગરનાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ પોલીસે બાઈની વાડી વિસ્તારમાંથી એક શખ્સને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો છે. આ શખ્સ ફૂલિયા હનુમાન મંદિર પાસે ગણેશવાસ વિસ્તારમાં રહે છે અને તેનું નામ લખમણ ( ચીનો) વાલજી પરમાર છે અને આ શખ્સ કલરકામ કરવાનો ધંધો કરે છે. તેની પાસેથી મળી આવેલા બાઈકનો નંબર GJ 10 CJ 0652 જાહેર થયો છે. આ ગુનો અનડીટેકટ હોય, પીએસઆઇ મોઢવાડીયાની ટીમે બાતમીના આધારે આ શખ્સને શોધી કાઢ્યો છે.