મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 28, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કોરોના-લોકડાઉનના કારણેે જીએસટી આવકમાં ૬૦% ગાબડું

       ગત્ નાણાંકીયત વર્ષમાં જામનગરમાં જીએસટીની રૂપિયા.૧૦૩૮ કરોડની આવક થયેલી: જેની સામે ચાલુ વર્ષમાં રૂપિયા ૪૬૪ કરોડની આવક થઇ છે. આ આંકડા ૬ માસના છે. કોરોના-લોકડાઉનના કારણે આવકમાં ૬૦ ટકાનું ગાબડું પડયું છે. ઓનલાઇન ખરીદીનું પ્રમાણ વધ્યું છે. હવે જીએસટીની આવક વધશે કેમ કે સર્વત્ર અનલોક થઇ ગયું છે. બિલવગરના માલની હેરાફેરી તથા બોગસ બિલિંગના કારણે પણ સરકારને નુકસાની થાય છે. ૨૦૧૯-૨૦નો જામનગર જીએસટીનો લક્ષ્યાંક રૂપિયા ૩૭૧૦ કરોડ હતો. આવક ૨૦૧૫ કરોડ થયેલી. ૨૦૨૦-૨૧માં લક્ષ્યાંક ૧૪૯૦ કરોડનો છે. ૬ મહિનામાં માત્ર ૪૬૪ કરોડની જ આવક થઇ છે. સૌથી વધુ આવક સપ્ટેમ્બર માસમાં થઇ છે. ગત્ નાણાંકીય વર્ષમાં સૌથી વધુ આવક જૂન માસમાં થઇ હતી.

મહાનગરપાલિકાનું ઓપરેશન ડીમોલીશન

     રાજ્ય સરકારની સહાયથી જામનગરમાં કોર્પોરેશન દ્વારા પ્રાચીન ભૂજિયા કોઠાનું રેસ્ટોરેશન કામ ચાલી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે કોર્પોરેશને ગઇકાલે મંગળવારે ભૂમિયા કોઠાની દિવાલને અડીને આવેલી ૪ દુકાનોનું ડીમોલીશન કર્યું  છે.      આ ૪ દુકાનો વર્ષોથી ગેરકાયદે આ સ્થળે હતી! દુકાનોના દસ્તાવેજો જ ન હતાં! અન્ય કેટલીક દુકાનો પણ હારબંધ આવેલી છે. કોર્પોરેશને આ હૈયાત દુકાનોના માલિકો-સંચાલકોને દસ્તાવેજો રજૂ કરવા સમય મર્યાદા આપી છે.      અત્રે નોંધનિય છે કે, ભૂતકાળમાં ભૂજિયા કોઠા નજીક ઘણાં બાંધકામો વિવાદસ્પદ રીતે બન્યા છે આગામી દિવસોમાં ત્યાં નવાજૂની થશે?!

સંક્ષિપ્ત સમાચાર

જામનગરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે. મંગળવારે શહેરમાં ૧૧ તથા જિલ્લામાં ૧૦ નવા કેસ નોંધાયા:૨૨ દર્દી ડિસ્ચાર્જ થયા છે. કોરોના હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં ૬ દર્દીના મોત થયા છે. જો કે શહેર-ગ્રામ્ય સતાવાળાઓએ જાહેર કર્યું  છે કે, પાછલાં ૨૪ કલાકમાં એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું નથી. કોરોના સિવાયના રોગના દર્દીઓના મૃત્યુ શા માટે નિપજી રહ્યા છે? તે પ્રશ્નનો જવાબ તંત્રો દ્વારા કયારેય જાહેર થયો નથી જામનગર જિલ્લાના કલાકાવડ તાલુકાના પીપર ગામની સીમમાં ૧૪ વર્ષની સગીરા પર ગેંગરેપ: ૪ ની ધરપકડ: આ તમામ શખ્સો મધ્યપ્રદેશ છે: ૪ પૈકી ૧ આરોપી સગીર છે. ગત્ ૨૧ ઓકટોબરે સામૂહિક દુષ્કર્મની ઘટના બનેલી. સગીરાનું તબીબી પરીક્ષણ જી.જી. હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું છે. જામનગર હાલારમાં શિયાળાનો હળવેકથી પ્રવેશ થયો છે: સોમવારે ૨૪ કલાક દરમ્યાન લગુતમ તાપમાન ૨૧.૫ થી ઘટી ૧૮ ડિગ્રી થતાં હાલારમાં ઠંડીના પગરવ અનુભવાઇ રહ્યા છે: નોંધનિય છે કે, રવિવાર-સોમવાર દરમ્યાન હિમાચલ પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં મોસમની પ્રથમ હિમવર્ષા જોવા મળી છે. જામનગર યાર્ડમાં ૬૬૭ ખેડૂતો મંગળવારે વિવિધ જણસીઓ (અડદ, ઘઉં, એરંડા, કપાસ, જીરૂં) લઇ આવી ...