ગત્ નાણાંકીયત વર્ષમાં જામનગરમાં જીએસટીની રૂપિયા.૧૦૩૮ કરોડની આવક થયેલી: જેની સામે ચાલુ વર્ષમાં રૂપિયા ૪૬૪ કરોડની આવક થઇ છે. આ આંકડા ૬ માસના છે. કોરોના-લોકડાઉનના કારણે આવકમાં ૬૦ ટકાનું ગાબડું પડયું છે. ઓનલાઇન ખરીદીનું પ્રમાણ વધ્યું છે. હવે જીએસટીની આવક વધશે કેમ કે સર્વત્ર અનલોક થઇ ગયું છે. બિલવગરના માલની હેરાફેરી તથા બોગસ બિલિંગના કારણે પણ સરકારને નુકસાની થાય છે. ૨૦૧૯-૨૦નો જામનગર જીએસટીનો લક્ષ્યાંક રૂપિયા ૩૭૧૦ કરોડ હતો. આવક ૨૦૧૫ કરોડ થયેલી. ૨૦૨૦-૨૧માં લક્ષ્યાંક ૧૪૯૦ કરોડનો છે. ૬ મહિનામાં માત્ર ૪૬૪ કરોડની જ આવક થઇ છે. સૌથી વધુ આવક સપ્ટેમ્બર માસમાં થઇ છે. ગત્ નાણાંકીય વર્ષમાં સૌથી વધુ આવક જૂન માસમાં થઇ હતી.