મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑગસ્ટ 9, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

૫૦ વર્ષથી ઉંમરની મહિલા હવે ટેસ્ટ ટયૂબ બેબીથી માતા ના બની શકે

     હવે ટેસ્ટ ટયૂબ બેબી માટે સરકારે ART (આસિસ્ટેડ રિપ્રોડકિવ ટેકનિક) કાયદો બનાવી દીધો છે. આ કાયદા અંતર્ગત ૫૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ ટેસ્ટ ટયૂબ ટેકનોલોજીથી માતા બની શકે નહીં.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું એલર્ટ

     દેવભૂમિ દ્વારકા કલેકટર કચેરીનો સંદેશો જણાવે છે કે, આગામી ૧૦ અને ૧૧ ઓગસ્ટે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોય, પ્રત્યેક સરકારી વિભાગો તથા લોકોએ તમામ પ્રકારની સતર્કતા જાળવવી : જરૂર પડયે સ્થાનિક તંત્રનો સંપર્ક સાધવો 

જામનગર અને જામજોધપુરમાં વરસાદ

       જામનગર શહેર-પંથકમાં આજે સવારે છ વાગ્યા સુધીમાં પાછલાં ૨૪ કલાક દરમિયાન ૯ મિમી અને જામજોધપુર તાલુકામાં ૪૫ મિમી વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા કંટ્રોલરૂમ જણાવે છે. જામનગર જિલ્લામાં આવેલા વિવિધ જળાશયોમાં વધુ નવાં વરસાદી નીરની આવક થઇ છે. કેટલાંક જળાશયોમાં ઉપરવાસમાં વરસાદ નોંધાયો છે.      ડાઈ મીણસાર ૩૦ મિમી, રણજિતસાગર ૦૫ મિમી, રંગમતી ૧૫ મિમી, ફૂલઝર ૩૫ મિમી, વનાણા ૨૦ મિમી અને ઉમિયાસાગર ડેમમાં ૧૦ મિમી વરસાદ નોંધાયો છે.      જામનગરને પાણી પૂરું પાડતા રણજિતસાગર ડેમનાં ઉપરવાસમાં આજે સવારે ૬ થી ૮ દરમિયાન વધુ ૫ મિમી વરસાદ નોંધાયો હતો, જેને કારણે ડેમમાં પાણીની સપાટી ૨૧” ૬” થી વધીને ૨૧” ૮” થવા પામી છે. જિલ્લાનાં અન્ય કેટલાંક જળાશયોમાં પણ વધુ નવાં પાણીની આવક નોંધાઇ છે.

રેલવે સત્તાવાળાઓ દ્વારા રહેવાસીઓને નોટિસ

           જામનગરમાં રેલવેની જમીન પર અને આ જમીનની નજીક લાંબા સમયથી વસવાટ કરી રહેલાં દેવનગર, જોગણીનગર, ગણપતનગર, સિદ્ધાર્થનગર, દલિતનગર તથા હનુમાનટેકરી સહિતના વિસ્તારોમાં આશરે ૩૦૦૦ જેટલા રહેવાસીઓને નોટિસ આપવામાં આવતાં દોડધામ મચી ગઈ છે. આ નોટીસ બાદ સંખ્યાબંધ લોકો ધારાસભ્ય (પૂર્વ મંત્રી) ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) અને સાંસદ ને રજૂઆત કરવા માટે પહોંચ્યાં હતાં.

મહોરમ નિમિત્તે રસ્તા તથા સફાઈના કામો

     હાલમાં મહોરમનો પાક મહિનો ચાલી રહ્યો હોય, તહેવારને    ધ્યાનમાં રાખી ગત્ તા 07/08/ 2022  ના રોજ વૉર્ડ નં.12 ના કોર્પોરેટર અસલમભાઈ ખીલજી, સામાજિક કાર્યકર હાજી રિઝવાનભાઈ જુણેજા તથા અલતાફભાઈ મેમણ દ્વારા નગરસીમ વિસ્તારમાં આરબ જમાતખાના પાસે પૂલ પર, કાલાવડ નાકા બહાર આવેલ મુખ્ય પુલ પર, મટનમાર્કેટ પાસે , ખાટકીવાડમાં તથા ચાંદીબજાર પોસ્ટઓફિસ પાસે ડામર રોડનાં કામો તાત્કાલિક ધોરણે કરાવવામાં આવ્યા હતાં તેમજ ફાયરશાખાની ટીમ બોલાવી દરબારગઢના નાકાની સફાઈ કરાવવામાં આવી હતી.

બહેનો માટે વાનગી સ્પર્ધાનું આયોજન

     રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગર દ્રારા ‘નારી વંદન ઉત્સવ’ અને વિશ્વ સ્તનપાન સપ્તાહ” ની ઉજવણી  તા.૦૧/૦૮/૨૦૨૨  થી  તા.૦૭/૦૮/૨૦૨૨  દરમિયાન અલગ અલગ થીમ પર વિશેષ દિવસોની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત તા.૭ ના રોજ નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી અને  આઇ.સી.ડી.એસ . જિલ્લા પંચાયત જામનગરની કચેરી ના સંયુક્ત ઉપક્રમે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી   બિનલ સુથાર પ્રોગ્રામ ઓફિસર,  આઇ.સી.ડી.એસ . જામનગરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.     આ કાર્યક્રમા મહિલાઓ અને કિશોરીઓ દ્રારા વિવિધ વાનગીઓ બાનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. અને તેમાંથી ઉત્તમ વાનગીઓ બનાવનાર બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વાનગી સ્પર્ધાનો ઉદેશ મહિલાઓમાં ખોરાક અને આરોગ્ય વિશે જાગૃતા લાવવાનો હતો. આ ઉપરાંત આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાની માહિતી પણ આપવામાં આવી હતી. તેમજ સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત બાળકો માટે સ્તનપાનના મહત્વ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.     આ કાર્યક્રમમાં પ્રો...

દલિત સમાજનું આવેદન, ચારેક મહિનાથી ગૂંચવાયેલો મામલો

     સમસ્ત દલિત સમાજ જામનગર જિલ્લો ( અનુસૂચિત જાતિ સમાજ) દ્વારા એસપી કચેરીએ એવી રજૂઆત કરવામાં આવી છે કે, તેઓનાં સમાજની એક પિડીતાને લાંબા સમયથી ન્યાય મળી રહ્યો નથી. પિડીતાની ફરિયાદ પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસકર્મી ધારાબેન જોષીએ આ પિડીતા સાથે બર્બરતાભર્યું વર્તન કર્યું છે. આ પિડીતાએ જીજી હોસ્પિટલમાં સારવાર લીધી ત્યારે MLC પેપરમાં પણ યોગ્ય રીતે વિગતો નોંધવામાં આવી નથી. આ પિડીતાની સારવાર મહિલા તબીબના બદલે પુરૂષ તબીબે કરી હતી એવું પણ આવેદનપત્રમાં જણાવાયું છે. આવેદનપત્ર આપતી વેળાએ સમાજનાં પ્રમુખ ગોવિંદ રાઠોડ વગેરે હાજર રહ્યા હતાં

ઓખા કોસ્ટગાર્ડ દ્વારા નારીશક્તિ કેમ્પેઈન....

     ઓખા કોસ્ટગાર્ડ દ્વારા ચાર દિવસનાં નારીશક્તિ કેમ્પેઈન અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ૩ થી ૬ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં જાફરાબાદ, વેરાવળ, પોરબંદર અને ઓખાના માછીમાર પરિવારોને જોડવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં સામુદાયિક આંતરસંવાદ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આરોગ્ય સંબંધી સંબોધનો યોજવામાં આવ્યા હતાં જેનો ઉદ્દેશ્ય સાગરકાંઠાની સ્વચ્છતા, માછીમાર પરિવારમાં મહિલાઓનું સ્વચ્છ જિવન અને મહિલાઓની તંદુરસ્તી વધારવાનો હતો. ભારતીય કોસ્ટગાર્ડના મહિલા અધિકારીઓ ઉપરાંત કોસ્ટગાર્ડના જવાનો અને અધિકારીઓની પત્નીઓ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં દરિયાકિનારા નાં કુલ ૧,૨૦૦ કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો અને અંદાજે ૧,૫૦૦ જેટલી માછીમાર મહિલાઓને જોડવામાં આવી હતી. લાયન્સ કલબ ગ્રેટર અમદાવાદ અને ગાંધીનગરની કંપની મૂડ ઓફ વુડ દ્વારા આ કાર્યક્રમમાં સહયોગ આપવામાં આવ્યો હતો.

ગાયત્રી શક્તિપીઠ ખાતે દરરોજ યોગ તથા રુદ્રી

     જામનગરમાં સરૂ સેક્શન નજીક શિવમ્ પેટ્રોલિયમનાં પાછળનાં ભાગે આવેલાં ગાયત્રી શક્તિપીઠ ખાતે શ્રાવણ માસ નિમિત્તે સોમવાર સહિત દરરોજ ૦૬/૧૫ થી ૦૭/૦૦ વાગ્યા સુધી યોગ અને ૦૭/૦૦ થી ૦૭/૩૦ વાગ્યા સુધી રુદ્રીનું આયોજન ગોઠવવામાં આવ્યું છે જેમાં દરરોજ ૫૦/૬૦ જેટલાં શ્રધ્ધાળુઓ ભાગ લ્યે છે.      હાલમાં ગાયોમાં લમ્પી રોગચાળો, વિશ્વ કલ્યાણ અને શાંતિ માટે રુદ્રી યોજવામાં આવી રહી હોવાનું આયોજકોએ જણાવ્યું છે.

ચંગાના પાટિયા પાસે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન

     શ્રાવણ માસના બીજા સોમવારના દિવસે મોટી સંખ્યામાં પદયાત્રી જામનગર થી ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા હોય છે ત્યારે અનેક સેવાકીય સંસ્થા દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનાં આયોજન કરવામાં આવતાં હોય છે. ચંગાના પાટિયા પાસે બાદશાહ સર્કલ પાસે પણ વિશાળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા અને શિવતાંડવ તેમજ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં શિવભક્તો માટે ખાસ કરીને ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેમ્પમાં  જુનિયર અમિતાભ બચ્ચનનુ શિવતાંડવ નૃત્ય સહિતનું ધાર્મિક મનોરંજન લોકોએ માણ્યું હતું.     આ કેમ્પનાં  આયોજનમાં  ભાવેશભાઈ ગાગીયા, બાદશાહભાઈ સહિતના અગ્રણીઓએ ભાગ લીધો હતો.  કેમ્પમાં સેંકડોની સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતાં અને પ્રસાદ તેમજ મનોરંજનનો લાભ મેળવ્યો હતો