કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય સચિવ બોલ્યા: બધાં જ નાગરિકોને કોરોના વેકસીન આપવાની વાત જ નથી: સંક્રમિત લોકોને રસી આપી સંક્રમણની ચેન તોડવામાં આવશે. દિલ્હીમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશના ખેડૂતો જબ્બર આંદોલન ચલાવી રહ્યા છે. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ થઇ રહ્યો છે. સરકાર ખેડૂતો વચ્ચે ગઇકાલે વાટાઘાટ થયેલો જે નિષ્ફળ નિવડી છે. ત્રીજી ડિસેમ્બરે ફરીથી વાતચીત થશે. બીજી બાજુ કૃષિ કાયદા મુદે્ સાથીપક્ષ અકાલીદળ ભાજપાનો સાથ છોડી ચૂકયું છે. ખેડૂતોના સમર્થનમાં આરએલપી તથા જે.જે.પી. પાર્ટીએ પણ સાથીપક્ષ ભાજપાને ભીસમાં લીધો છે. એક અપક્ષ ધારાસભ્યએ પણ ભાજપાનો સાથ છોડયો છે. ખંભાળિયા માર્ગ પર જાખરના પાટિયા નજીક એક ડ્રાઇવર પોતાના ટેન્કરમાં ગેજ વડે પેટ્રોલ માપી રહ્યો હતો ત્યારે વીજલાઇનમાં ગેજ અડી જતાં ટેન્કર ચાલકનું વીજઆંચકાથી મોત. દમણથી એક ટ્રકમાં ૧૧૬૮ બોટલ શરાબ અને બિયરના ૧૬૮ ટીન રાજકોટ લઇ જવામાં આવી રહ્યા હતાં ત્યારે બામણબોર-નવાગામ નજીખ રાજકોટ પોલીસે આ જથ્થો ઝડપી લીધો છે. ટ્રકનો ચાલક જામનગરમાં જી.જી. હોસ્પિટલ પાછળ મધુરમ સોસાયટીમાં રહે છે. તેનું નામ ધર્મેન્દ્ર દિલીપભાઇ ગોહિલ (મૂળ જાંબુડાનો વતની)છે. ટ્ર...