મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

સપ્ટેમ્બર 13, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બે મહિલા તથા પાંચ પુરુષ જૂગારીઓ ઝડપાયાં

 જામનગર એલસીબીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળનાં વિસ્તારમાં દરોડો પાડી બે મહિલા તથા પાંચ પુરુષ જૂગારીઓને ઝડપી લીધા છે.      આ જૂગારીઓમા વિમળાબા શિવરાજ ખાચર, કૌશિકા વલ્લભ ગોવિંદ ગોહિલ, વિશાલ રણછોડ ડાભી, દિનેશ નાથા પાણખણિયા, કિશોર રણછોડ સદાડિયા, વિવેક રમેશ ડાભી તથા જિતેન્દ્ર રણછોડ ડાભીનો સમાવેશ થાય છે.      ઇન્ચાર્જ પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગોજિયાની તથા કાંટેલિયાની ટીમે આ દરોડો પાડ્યો હતો.      પોલીસે આ દરોડામાં રૂ. ૨૪,૨૦૦ ની રોકડ, ૪ મોબાઈલ તથા ૨ બાઈક કબ્જે લીધાં છે.

જામનગર અને કાલાવડ તાલુકામાં રૂ.8 કરોડના વિકાસ કાર્યો

     ગુજરાત સરકાર દ્વારા તા.12 અને તા.13 સપ્ટેમ્બરના રોજ વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમનું દરેક જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.12 સપ્ટેમ્બરના રોજ રાજ્યના કૃષિમંત્રી મંત્રી  રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાલાવડ નગરપાલિકા હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મંત્રીના હસ્તે જામનગર અને કાલાવડ તાલુકાના વિસ્તારોમાં રૂ 8 કરોડની રકમના વિકાસકાર્યોનાં ઈ-લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જેમાં રૂ.7.09 કરોડની રકમના 272 વિકાસકાર્યોનું ઈ- ખાતમુહૂર્ત અને રૂ.66 લાખની રકમના 57 વિકાસકાર્યોનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.      આ કાર્યક્રમમાં મહાનુભાવોનું કઠોળની કીટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ "વિશ્વાસ થી વિકાસ" અંગેની ફિલ્મ નિહાળી હતી.      આ કાર્યક્રમમાં કલેકટર  ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન  ગોમતીબેન ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ  મુકેશભાઈ ડાંગરિયા,  હસમુખભાઈ ફાચરા, જામનગર ...

નાની ખાવડી, ગાગવા તથા મુંગણી ગામ એક માર્ગથી જોડાશે

     તાજેતરમાં કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલે નાની ખાવડી ખાતે રૂ.251.39 લાખના ખર્ચે બનનારા નાની ખાવડી, ગાગવા તથા મુંગણી ગામને એકબીજા સાથે જોડતા પાંચ કિ.મી.ની લંબાઈના કાચા રસ્તા પર ડામર રોડની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું.      આ પ્રસંગે જાડાના પૃર્વ ચેરમેન દિલિપસિંહ ચુડસમા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ,  સદસ્ય  વિઠલભાઇ કણજારીયા, જિલ્લા પંચાયત સદસ્ય  મનસુખભાઇ ચભાડીયા, ગાગવા સરપંચ  મહેન્દ્રસિંહ જાડેજા, નાની ખાવડી સરપંચ  કનકસિંહ જાડેજા સહિત બહોળી સંખ્યામાં વિસ્તારના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.  

28મી એ ધ્રોલ ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ

     આગામી તા. 28 સપ્ટેમ્બરના રોજ સવારના 11.30 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મામલતદાર , ધ્રોલના અધ્યક્ષસ્થાને મામતલદાર કચેરી, મિટિંગ હોલ, ધ્રોલ, જામનગર ખાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ અખબારી યાદી પ્રસિદ્ધ થયાની તારીખથી 10 દિવસની અંદર અરજદારોએ તેમની અરજી પૂરતા પૂરાવાઓ સાથે 'તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ'ના મથાળા હેઠળ મામલતદારને   મોકલી આપવાની રહેશે.      આ અંતર્ગત, આગામી તા. 28 સપ્ટેમ્બરના રોજ યોજાનારા આ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવા માટે અરજદારે  નીચે જણાવેલ પ્રકારની અરજીઓ પૂરતા પુરાવા સાથે મોકલી આપવાની રહેશે. (૧) તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો તે ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામસેવકને પ્રથમ અરજી કરેલી હોય અને તે અનિર્ણિત રહેલ હોય. (૨) તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોય અને તે અનિર્ણિત હોય. (૩) રજૂ કરવાના પ્રશ્નો ગ્રામ તથા તાલુકા કક્ષાએ નિર્ણય/નિકાલ કરી શકાય તેવા હોવા જોઈએ. (૪) આ કાર્યક્રમમાં અરજદાર જાતે પોતે રૂ...

જીજી હોસ્પિટલમાં પોષણ માસની ઉજવણીનાં ભાગરૂપે વાનગીઓનું પ્રદર્શન

     રાજ્યમાં પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસની પોષણ માહ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના NRC વિભાગ દ્રારા જીલ્લા પંચાયત જામનગરના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં પોષણ માસની  ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત NRCના સ્ટાફ દ્વારા વિવિધ પોષણયુક્ત અલગ અલગ વાનગીઓ બનાવીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.      જેમાં સરવગવાના પાનના થેપલા, ઓટ્સ કેળાનો શીરો, વેજીટેબલ સૂપ, બીટ રાયતું, ખજૂર સાબુદાણા ખીર, મિક્ષ દાળની દલિયા ખીચડી, મગદાળ પાલક ઈડલી, વેજીટેબલ સલાડ, ફ્રૂટ ડીશ, મેથી ચણાનું શાક, વગેરે વાનગી ઓ બનાવવામાં આવી હતી, આ વાનગીઓ પોષણ, પ્રોટીન, ફાઈબર, મલ્ટી વિટામિન થી ભરપુર હતી જે કુપોષિત બાળકો માટે ખુબ જ લાભદાયક હોય છે. આ રીતે કુપોષિત બાળકો સાથે પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી હતી.  

અંબાણી પરિવાર દર્શનાર્થે નાથદ્વારામાં...

     રિલાયન્સ નાં મોભી મુકેશ અંબાણીએ શ્રીનાથજીના દર્શન કરવા માટે ઉદયપુર (રાજસ્થાન) નજીક આવેલા નાથદ્વારા શહેરની મુલાકાત લીધી હતી.      મુકેશ અંબાણીએ તેમના પરિવારના પ્રથમ લગ્ન - તેમની પુત્રી ઈશા અંબાણીના લગ્ન - ની શરૂઆત શ્રીનાથજીની મહા આરતી સાથે કરી હતી. અને તેમના પત્ની અને  નીતા અંબાણીએ મધુરાષ્ટકમ્ પર એક નૃત્ય રજૂ કર્યું હતું, જે શ્રી વલ્લભાચાર્યજી (પુષ્ટિ માર્ગના સ્થાપક) દ્વારા રચાયેલું છે અને તેના દ્વારા ભગવાન શ્રીનાથજી પ્રત્યેના અપાર પ્રેમની અભિવ્યક્તિ કરી હતી. શ્રી વલ્લભાચાર્યજીના સીધી લીટીના વંશજ ગોસ્વામી તિલકાયત શ્રી રાકેશજી મહારાજ નાથદ્વારા શ્રીનાથજી મંદિરના મુખ્ય ધર્માધિકારી છે અને સમગ્ર પુષ્ટિ માર્ગના વડા છે.      શ્રી ધીરુભાઈ તથા ત્યારબાદ શ્રી મુકેશભાઈના શ્રીમાન તિલકાયત મહારાજ અને તેમના સુપુત્ર ચિ. વિશાલ બાવા સાહેબ સાથે વારસાગત સ્નેહ સંબંધ છે અને શ્રી વિશાલ બાવાએ ભારત અને વિશ્વ (યુએઈ, બહેરીન, યુએસએ)માં પુષ્ટિમાર્ગના ઉપદેશોનો ફેલાવો કરવાની જવાબદારી ઉપાડી લીધી છે. આ ઉપરાંત અંબાણી પરિવારની યુવા પેઢી પણ ધર્મ સાથે જોડાઈ રહી છે. ...

કોર્પોરેશને ૧૭ પશુઓને શોધી કાઢ્યા....

     જામનગર શહેરમાં સોમવારે કોર્પોરેશન ની ઢોર પક્કડ શાખાએ પોલીસને સાથે રાખી શહેરમાંથી  ૧૭ ઢોરોને શોધી કાઢ્યા છે, તેમજ ચાલુ વર્ષે કુલ-૧૬૬૮ ઢોરોને પકડવામાં આવેલ છે અને કુલ-૭૪પ ઢોરોને અમદાવાદ સ્થિત  શ્રી ગોપાલ કૃષ્ણ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવેલ છે.      આગામી સમયમાં આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવનાર હોય, ઢોર માલિકોને પોતાના માલિકીના  ઢોરો જાહેર રોડ રસ્તા ઉપર ન છોડવા તાકીદ કરવામાં આવે છે. જો કોઈ ઢોર માલિક સ્વેચ્છાએ પોતાની માલિકીના ઢોરોને જામનગર મહાનગરપાલિકા હસ્તકના ઢોર ડબા ખાતે મુકવા માંગતા હશે તો તેઓને વિના મુલ્યે આ સેવા ઉપલબ્ધ કરવામાં આવશે.      વધુમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં ઘાસચારો વેંચાણ  કરવા માટે પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ઉપરાંત લીલો કે સુકો ઘાસચારો ખવડાવવો અથવા ખવડાવવા દેવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આથી જે પણ કોઈ વ્યકિત જાહેરમાં ઘાસચારો વેંચાણ કરતા અથવા તો ઘાસચારો નાંખતા માલુમ પડશે તો તેઓની સામે જાહેરમાં ત્રાસદાયી કૃત્ય કરવાની શિક્ષાાને પાત્ર થશે. જેની જાહેર પશુમાલિક...

બંદૂકની ગોળી ખેતમજૂરના શરીરમાં ઘૂસી ગઈ....

     જામનગર નજીકના વીજરખી પંથકમાં સરકારી ફાયરિંગ રેન્જ ખાતે પોલીસકર્મીઓ ફાયરિંગ પ્રેક્ટિસ કરી રહ્યા હતા તે દરમિયાન બંદૂકની એક ગોળી, આ રેન્જ થી ૩.૫ કિમી દૂર આવેલી, મહેશ શિયારની વાડીમાં કામ કરી રહેલાં મધ્યપ્રદેશના એક ખેતમજૂરને પગમાં ઘૂસી ગઈ છે. ૩૫ વર્ષનાં આ યુવાનને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.      આ ફાયરિંગ રેન્જ અંગે ગત્ ડિસેમ્બર મહિનામાં પણ ગ્રામ પંચાયત દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે, ફાયરિંગ રેન્જથી દૂર આવેલાં વાડી ખેતરોમાં બંદૂકની ગોળી પહોંચી જાય છે ! આવી એકાદ ગોળી કોઈ ગ્રામજનોના માથામાં પણ ઘૂસી શકે છે ! કોઈનું મોત થશે તો જવાબદારી કોની ? જો કે રજૂઆતો પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી તેથી ખેડૂતો સહિત ગ્રામજનો માં નારાજગી અને રોષ જોવા મળે છે.  

પીએસઆઈ ની પરીક્ષા પાસ કરનાર ૬ પોલીસકર્મી ને 'સોલ્ડર બેઝ‘ પહેરાવાયા...

     તાજેતરમાં પોલીસ વિભાગમાં ખાતાકીય પરીક્ષા પાસ કરી કુલ ૩૮૪ પોલીસ કર્મચારી ને પીએસઆઈ નું પ્રમોશન આપવામાં આવ્યું છે. તે અનુસંધાને જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું તેમજ જામનગર શહેર નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના હસ્તે પોલીસ વિભાગમાં ખાતાકીય પીએસઆઈ ની પરીક્ષા પાસ કરનાર ૬ પોલીસકર્મી ને 'સોલ્ડર બેઝ‘ પહેરાવ્યા આવ્યા હતા.  જામનગર જિલ્લાના ૬ પોલીસકર્મીની ફરજ પર નો હુકમ આદેશ પણ જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું દ્વારા કરવામાં આવેલ હતું.જેમાં પીએસઆઈ ગામેતી વસંતલાલ રામજીભાઈ જામનગર સિટી-સી ડિવિઝન,  પીએસઆઈ જાડેજા ખોડુભા માનસંગ ને પંચકોષી-બી ડિવિઝન,  પીએસઆઈ સુવા રાજેશભાઈ હરદાસભાઈ ને પેરોલ ફર્લો,  પીએસઆઈ જાડેજા અનોપસિંહ ભીખુભા ને જામજોધપુર પોલીસ સ્ટેશન ,  પીએસઆઈ ગંધા અશ્વિનકુમાર ભગવાનજી ને  એલસીબી  અને પીએસઆઈ ચૌહાણ સુરેન્દ્રસિંહ સિયારામસિંહને પોલીસ હેડક્વાર્ટર ખાતે નિમણૂક કરવામાં આવેલ હતી.