રાજ્યમાં પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસની પોષણ માહ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના NRC વિભાગ દ્રારા જીલ્લા પંચાયત જામનગરના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત NRCના સ્ટાફ દ્વારા વિવિધ પોષણયુક્ત અલગ અલગ વાનગીઓ બનાવીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જેમાં સરવગવાના પાનના થેપલા, ઓટ્સ કેળાનો શીરો, વેજીટેબલ સૂપ, બીટ રાયતું, ખજૂર સાબુદાણા ખીર, મિક્ષ દાળની દલિયા ખીચડી, મગદાળ પાલક ઈડલી, વેજીટેબલ સલાડ, ફ્રૂટ ડીશ, મેથી ચણાનું શાક, વગેરે વાનગી ઓ બનાવવામાં આવી હતી, આ વાનગીઓ પોષણ, પ્રોટીન, ફાઈબર, મલ્ટી વિટામિન થી ભરપુર હતી જે કુપોષિત બાળકો માટે ખુબ જ લાભદાયક હોય છે.
આ રીતે કુપોષિત બાળકો સાથે પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો