મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑગસ્ટ 24, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

૩૦ મીએ કેજરીવાલ કાળિયા ઠાકોરના ધામમાં: મોટી જાહેરાત થશે

આગામી ૩૦મી ઓગસ્ટે અરવિંદ કેજરીવાલ યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવશે: સમગ્ર ગુજરાતનાં ખેડૂતો માટે કરશે મોટી જાહેરાત  

ITI નાં કર્મચારીઓની હડતાળ

     જામનગર સહિત રાજ્યભરમાં આઇટીઆઇનાં ટેકનિકલ કર્મચારીઓ દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી છે. કર્મચારીઓ જણાવે છે કે, તેઓનાં પગારધોરણ અને સળંગ નોકરી ગણવાના મુદ્દા સહિતના પ્રશ્નો વર્ષોથી અણઉકેલ છે, આ અંગે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી જેને કારણે તમામ ટેકનિકલ કર્મચારીઓ દ્વારા હડતાળનો આશરો લેવામાં આવ્યો છે. ૨૩મી ઓગસ્ટે તમામ કર્મચારીઓએ પ્રતિક ઉપવાસ કર્યા હતા. આગામી ૧૦ મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં સમગ્ર રાજ્યના આઈટીઆઈ કર્મચારીઓ ધરણાં કરશે અને પછી પણ સરકાર ઢીલી નહીં પડે તો ૨૯ સપ્ટેમ્બરથી કર્મચારીઓ રજા પર ઉતરી જશે.

ચોરીનાં બે આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા

     જામનગરમાં જીજી હોસ્પિટલ નજીક બે શખ્સો સોનાનાં દાગીના વેચવા માટે પ્રયત્નો કરી રહ્યા છે એવી બાતમીના આધારે, સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા આ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે અને તેઓનાં કબજામાંથી ૧૧૪ ગ્રામ સોનાની કુલ રૂ. ૩,૪૨,૦૦૦ ની ચીજવસ્તુઓ કબ્જે લેવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જાડેજાની ટીમે આ શખ્સોને શોધી કાઢ્યા છે.      આ શખ્સોએ નવાગામ ઘેડમાં માતૃ આશિષ સોસાયટીમાં ચોરી કરેલી તેનો આ મુદામાલ હોવાનું પોલીસે જાહેર કર્યું છે.      આ શખ્સોના નામ: નિખિલ જયેશ પ્રતાપ કેશોર ( ધંધો: મજૂરી) અને તુષાર ( ધંધો: DJ ) છે. આ બંને ભાઈઓ છે અને માતૃ આશિષ સોસાયટીમાં જ રહે છે.  

જામનગર પોલીસે રાજકોટમાંથી આરોપીને શોધી કાઢ્યો

      જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડે એક આરોપીને રાજકોટનાં શાપરમાંથી શોધી કાઢ્યો છે. આ શખ્સ છેતરપિંડીનાં એક કેસમાં ૨ વર્ષથી નાસતો ફરતો હતો. આરોપીનું નામ મહેશ કાનજી સલોડીયા છે જે સુરતનો રહેવાસી છે તેણે કાલાવડના એક વેપારી સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ આ શખ્સ વિરુદ્ધ નોંધાયેલી છે. ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચરની ટીમે આ શખ્સને શોધી કાઢ્યો છે. આ શખ્સ સુરતનો વેપારી છે.  

JMC નાં અધિકારીએ નશો કર્યાનો મહિલા કોર્પોરેટરનો આક્ષેપ

       જામનગરમાં વોર્ડ નં ૧૬ ખાતે કોર્પોરેશન દ્વારા ચાલી રહેલા એક કામની મુલાકાત દરમિયાન નગરસેવિકા જેનબબેન ખફીને એવું જાણવા મળ્યું હતું કે, સ્થળ પર પહોંચેલા વોટર વર્કસ વિભાગના વડા પી.સી. બોખાણીએ ડ્રીંક કર્યું છે ! આ અંગે કોર્પોરેટર દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જો કે, કમિશનરની દરમિયાનગીરીને કારણે અને નિષ્પક્ષ તપાસની ખાતરીના પગલે કોર્પોરેટર દ્વારા હાલ આ અધિકારી વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.      આ મુદ્દે અધિકારીએ જણાવ્યું છે કે, તેઓએ નશો કર્યો ન હતો. તમાકુવાળો મસાલો ખાધો હતો. આ પ્રકરણે કોર્પોરેશનમાં ખળભળાટ મચાવ્યો છે.

ગણેશપ્રતિમા વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા

      જામનગરમાં આગામી દિવસોમાં ગણેશોત્સવ ઉજવવામાં આવશે. કોર્પોરેશન દ્વારા ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે આ વર્ષે બે સ્થળોએ તૈયારીઓ કરવામાં આવી રહી છે.      નગરજનો રાજકોટ રોડ પર સ્કોડા કંપનીનાં શોરૂમ સામેનાં ભાગમાં અથવા રાધિકા સ્કૂલથી હાપા માર્કેટ યાર્ડ તરફ જતાં માર્ગ પર ગણેશ પ્રતિમાઓના વિસર્જન કરી શકે તે માટે તૈયારી કરવામાં આવી છે.

માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરવામાં આવી

     તાજેતરમાં સંપન્ન થયેલ 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત દેશની આઝાદીના 75મા વર્ષની ઠેર- ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લામાં સ્થિત માનસિક આરોગ્યની હોસ્પિટલ ખાતે ગત તા. 13થી 15 ઓગસ્ટ દરમિયાન 'આઝાદી કા અમૃત મહોત્સવ' ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત હોસ્પિટલમાં શ્રમદાન, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ જેવા સામાજિક કાર્યો કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ દ્વારા રમત-ગમતનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં દર્દીઓએ ઇન્ડોર ગેમ્સ એક્ટિવિટી કરેલ હતી. ગત તા. 15 ઓગસ્ટના રોજ કર્મચારીઓ તેમજ અધિકારીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમુખ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.  ધ્વજવંદન કાર્યક્રમ બાદ દેશભક્તિ ગીત સ્પર્ધા અને આઝાદી કવીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્સીંગના વિધાર્થીઓ દ્વારા દેશભક્તિને અનુરૂપ નાટકની પ્રસ્તુતિ કરાઈ હતી. કાર્યક્રમને અંતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, અને સ્વચ્છતા જાળવવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કર્મચારી  રસિકભાઈ ગોસાઈ,  ભાવિકભાઈ રાઠોડ, હોસ્પિટલના અધિક્ષક  ડો. પૂર્ણ...

જામનગર એસ. ટી. વિભાગ દ્વારા એપ્રેન્ટિસ ભરતી સત્રનું આયોજન

       ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જામનગર વિભાગની એપ્રેન્ટિસની મંજૂરી માટે જામનગર વિભાગ હેઠળની વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલીય, વિભાગીય સ્ટોર્સ જામનગર અને જામનગર/ જામજોધપુર/ ખંભાળિયા/ દ્વારિકા/ધ્રોલ ડેપો ખાતે એપ્રેન્ટિસ એક્ટ-1961 અન્વયે ઓગસ્ટ- ઓકોટોબર 2022ના ભરતી સત્ર માટે એપ્રેન્ટિસ ટર્નર, ઈલેક્ટ્રીશિયન, વેલ્ડર, મોટર મિકેનિક, 4 ટ્રેડ હેઠળના આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવાની હોય, તે માટે ઉચ્છુક લોકોએ apprenticeshipindia.org પોર્ટલ પર જઈને આધારકાર્ડ ફરજીયાતપણે વેરિફાઇડ કરાવીને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ઓનલાઇન અરજીની પ્રિન્ટ નકલ સાથે શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાઓ (ધો. 10 અને 12 પાસ અને આઈ.ટી.આઈ પાસના પુરાવાઓ), લિવિંગ સર્ટિફિકેટ, આધારકાર્ડ, જાતિના પ્રમાણપત્રની 2 નકલો જોડીને આગામી તા. 7 સપ્ટેમ્બર સુધીમાં અરજી પત્રકો મેળવી લેવાના રહેશે. તેમજ આગામી તા. 9 સપ્ટેમ્બર સુધીમાં અરજી પત્રકો સહિત તમામ અસલ માર્કશીટ/ પ્રમાણપત્રોની રૂબરૂ ચકાસણી કરવવાની રહેશે. આ રૂબરૂ ચકાસણીમાં યોગ્ય રહેલ જ અરજી પત્રકો સ્વીકારવામાં આવશે. આ માટે વધુ માહિતી મે...

જામનગરમાં સેંકડો રહેવાસીઓને જગ્યા ખાલી કરવા રેલવેની નોટિસ: કોર્પોરેશનમાં રજૂઆત

       જામનગરમાં દિગ્જામ સર્કલ નજીકનાં વિસ્તારમાં સિદ્ધાર્થનગર અને હનુમાન ટેકરી સહિતનાં વિસ્તારોમાં રેલ્વે લાઈનની બંને તરફનાં વિસ્તારોમાં સેંકડો લોકો વર્ષોથી વસવાટ કરે છે. તાજેતરમાં રેલવે સત્તાવાળાઓ દ્વારા આ તમામ રહેવાસીઓને આ જગ્યાઓ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જેનાં અનુસંધાને આ વિસ્તારમાં કાર્યરત અખિલ ભારતીય મજૂર અધિકાર મંચના આગેવાનોએ આ મુદ્દો ઉપાડ્યો છે અને એવી માંગણી કરી છે કે, આ રહેવાસીઓના પુનર્વસન માટે તેઓને વૈકલ્પિક રહેઠાણ વ્યવસ્થા કરી આપવામાં આવે. આ મુદ્દે સેંકડો રહેવાસીઓએ કાલે સોમવારે કોર્પોરેશનમાં કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ મુદ્દે સર્વે કરવામાં આવશે અને જરૂર પડ્યે રેલવે સત્તાવાળાઓ સાથે સંકલન કરવામાં આવશે અને રહેવાસીઓને આપવામાં આવેલી નોટિસો અને વૈકલ્પિક રહેઠાણ વ્યવસ્થા માટે શું કરી શકાય ? તે અંગે કોર્પોરેશન દ્વારા કોઈ રસ્તો વિચારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના પ્રશ્નો સમગ્ર ગુજરાતમાં હોવાથી આગામી ૨૨/૯ નાં રોજ પાટનગર ગાંધીનગર ખાતે આ મુદ્દે ધરણાંના કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી હતી.

જામનગરમાં રાવણદહન સંદર્ભે સિંધી સમાજની બેઠક યોજાઇ

      જામનગરમાં દર વર્ષે સિંધી સમાજ દ્વારા રાવણદહનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે સિંધી સમાજની એક બેઠક પૂર્વ શહેરી વિકાસ મંત્રી અને સિંધી સમાજના ચેરમેન પરમાણંદ ખટ્ટર નાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.      ૨૧ મી ઓગસ્ટે યોજાયેલી આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, છેલ્લાં બે વર્ષથી કોરોનાકાળને કારણે આ ઉત્સવ ઉજવી શકાયો ન હોય આ વર્ષે આગામી પાંચમી ઓકટોબરે રાવણદહન ધામધૂમથી ઉજવવામાં આવશે. આ નિર્ણય પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.      આ બેઠકમાં સિંધી સમાજના અગ્રણીઓ ઉધ્ધવદાસ ભૂગડોમલ, પ્યારેલાલ રાજપાલ, ધનરાજ મંગવાણી, કિશોર સંતાડી, હરિશ રોહેરા, પરસોત્તમ કકનાણી, મુકેશ લાલવાણી, મનિષ રોહેરા, હરેશ ગનવાણી, મયૂર જેસાણી, કપિલ મેઠવાણી, કાંતિભાઈ ઇસ્લામી, હેમંત દામાણી, પ્રકાશ હકાણી તથા હીરેન  માવાણી વગેરેને હોદેદારો દ્વારા ઉત્સવ માટેની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. 

ફૂલિયા હનુમાન મંદિર નજીક રહેતો એક વાહનચોર બાઈની વાડી પાસે ઝડપાયો

       જામનગરનાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ પોલીસે બાઈની વાડી વિસ્તારમાંથી એક શખ્સને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો છે. આ શખ્સ ફૂલિયા હનુમાન મંદિર પાસે ગણેશવાસ વિસ્તારમાં રહે છે અને તેનું નામ લખમણ ( ચીનો) વાલજી પરમાર છે અને આ શખ્સ કલરકામ કરવાનો ધંધો કરે છે. તેની પાસેથી મળી આવેલા બાઈકનો નંબર GJ 10 CJ 0652 જાહેર થયો છે. આ ગુનો અનડીટેકટ હોય, પીએસઆઇ મોઢવાડીયાની ટીમે બાતમીના આધારે આ શખ્સને શોધી કાઢ્યો છે.

વાલસુરા ખાતે પાસિંગ આઉટ પરેડ અને વેલેડિક્ટરી ફંકશન

       શોર્ટ સર્વિસ કમિશન  કોર્સના સાત અધિકારીઓ 19 અઠવાડિયાની વ્યાવસાયિક તાલીમ પૂર્ણ કર્યા બાદ 20 ઓગસ્ટના રોજ INS વાલસુરાના પોર્ટલ પરથી પાસ આઉટ થયા. કોમોડોર જે.એસ. ધનોઆ, કમાન્ડિંગ ઓફિસરે પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી હતી અને શૈક્ષણિક, રમતગમત અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મેરીટોરીયસ ઓફિસરોને પુસ્તક , ઈનામો અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. સબ લેફ્ટનન્ટ અર્પિત શર્માને મેરિટના એકંદર ક્રમમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હતું જ્યારે સબ લેફ્ટનન્ટ ભવ્ય રમણ બીજા સ્થાને રહ્યા હતા અને તેમને 'શ્રેષ્ઠ ઓલરાઉન્ડ ઓફિસર' તરીકે પણ જાહેર કરવામાં આવ્યા હતા. પરેડને સંબોધતી વખતે, કમાન્ડિંગ ઓફિસરે પાસ આઉટ થયેલા અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને ઉચ્ચ વ્યાવસાયિક ધોરણો માટે હંમેશા પ્રયત્નશીલ રહેવા વિનંતી કરી હતી. કમાન્ડિંગ ઓફિસરે અધિકારીઓને સંબોધન કર્યું હતું કે ,તેઓ નેતા તરીકેની તેમની ફરજો નિભાવતી વખતે  નિરંતરિત નૈતિકતાને આત્મસાત કરે.  તેમણે વિકસતી ટેક્નૉલૉજી સાથે નજીકમાં રહેવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો અને ભારતીય નૌકાદળના ડિજિટલ પરિવર્તનમાં તેમની ભૂમ...

જામનગરનાં ધારાસભ્યનો ગુજરાત ભાજપાની કોર કમિટીમાં સમાવેશ

       ગુજરાત ભાજપાની કોર કમિટીમાં અત્યાર સુધી ૧૨ સભ્યો હતાં, થોડાં દિવસો પહેલાં તેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ તથા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ કરવામાં આવ્યા પછી, ગઈકાલે રવિવારે ભાજપાનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષના ગુજરાત આગમન પછી, કોર કમિટીમાં વધુ ત્રણ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં જામનગરનાં ધારાસભ્ય ( પૂર્વ પ્રદેશ અધ્યક્ષ) આર.સી. ફળદુ, ભરત બોઘરા તથા ભારતીબેન શિયાળનો સમાવેશ થાય છે. વિધાનસભા ચૂંટણી પૂર્વે આ કમિટીએ મહત્વની જવાબદારી નિભાવવાની રહેશે. હવે કુલ સભ્યોની સંખ્યા ૧૮ થઈ છે. સામાન્ય રીતે આ પ્રકારની કમિટીમાં સિનિયર નેતાઓનો સમાવેશ થતો હોય છે. જો કે તેમાં પણ જ્ઞાતિ અને સંબંધિત વિસ્તારો વગેરે ફેકટર ધ્યાનમાં લેવામાં આવતાં હોય છે. સંગઠન અને સરકાર ઉપરાંતની આ એક વધારાની વ્યવસ્થા હોય છે, જે ચૂંટણીઓ પૂર્વે મહત્વની ભૂમિકા ભજવે છે.