તાજેતરમાં સંપન્ન થયેલ 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત દેશની આઝાદીના 75મા વર્ષની ઠેર- ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લામાં સ્થિત માનસિક આરોગ્યની હોસ્પિટલ ખાતે ગત તા. 13થી 15 ઓગસ્ટ દરમિયાન 'આઝાદી કા અમૃત મહોત્સવ' ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત હોસ્પિટલમાં શ્રમદાન, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ જેવા સામાજિક કાર્યો કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ દ્વારા રમત-ગમતનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં દર્દીઓએ ઇન્ડોર ગેમ્સ એક્ટિવિટી કરેલ હતી. ગત તા. 15 ઓગસ્ટના રોજ કર્મચારીઓ તેમજ અધિકારીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમુખ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ધ્વજવંદન કાર્યક્રમ બાદ દેશભક્તિ ગીત સ્પર્ધા અને આઝાદી કવીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્સીંગના વિધાર્થીઓ દ્વારા દેશભક્તિને અનુરૂપ નાટકની પ્રસ્તુતિ કરાઈ હતી. કાર્યક્રમને અંતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, અને સ્વચ્છતા જાળવવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કર્મચારી રસિકભાઈ ગોસાઈ, ભાવિકભાઈ રાઠોડ, હોસ્પિટલના અધિક્ષક ડો. પૂર્ણા મહેતા, સામાજિક કાર્યકર રમેશભાઈ ગાંભવા તેમજ અન્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો