આગામી ૨૫ નવેમ્બરથી ૩ દિવસ માટે ગુજરાતના કેવડીયા કોલોની (નર્મદા ડેમ) ખાતે દેશભરના રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોનો સેમિનાર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ સેમિનારમાં સંબોધન આપશે. રાષ્ટ્રપતિની સુરક્ષા માટે અત્યારથી રિહર્સલ, ગોઠવણ શરૂ થઇ ચૂકયા છે. આગામી તારીખ ૨૨ સુધી કેવડીયા પ્રવાસન ધામ પ્રવાસઓએ હાઉસફૂલ બુકીંગ કરાવ્યું છે. તેથી રાષ્ટ્રપતિના કાર્યક્રમ દરમ્યાન પ્રવાસીઓને પરત ફરતી વખતે કોઇ તકલીફ ન પડે તેની વ્યવસ્થા તંત્રએ અત્યારથી ગોઠવવી પડશે.