જીઇબી એન્જિનીયર્સ એસોસિએશન દ્વારા અધિક્ષક ઇજનેરને આપવામાં આવેલાં આવેદનમાં જણાવાયું છે કે, ઇજનેરોની પડતર માંગો અંગે બે વર્ષથી મૌખિક, લેખિત રજૂઆતો પછી પણ કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર એસોસિએશન પ્રત્યે રાગદ્વેશ રાખે છે. બેઠક બોલાવતું નથી. લોકલ રિકવેસ્ટ ઓપરેટ કરવામાં આવતી નથી. ઇજનેરો પર કામનું ભારણ છે. જેથી તેઓની શારીરિક-માનસિક સ્થિતિ બગડે છે. જૂનિયર ઇજનેરોના બદલીઓના ઓર્ડર પછી દોઢ-દોઢ વર્ષ સુધી તેઓને છૂટાં કરવામાંં આવતાં નથી. બદલીઓના ઓર્ડર મહિનાઓ બાદ અચાનક રદ્ થઇ જાય છે. ઇજનેરોની બદલીઓમાં નિયમોનું પાલન થતું નથી. અમુક અધિકારીઓની બદલી જ નથી થતી. એસોસિએશન વતી એસોસિએશનના સીએસ એ.એમ. સોઢિયાએ આંદોલનની ચિમકી પણ આપી છે.