જીઇબી એન્જિનીયર્સ એસોસિએશન દ્વારા અધિક્ષક ઇજનેરને આપવામાં આવેલાં આવેદનમાં જણાવાયું છે કે, ઇજનેરોની પડતર માંગો અંગે બે વર્ષથી મૌખિક, લેખિત રજૂઆતો પછી પણ કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર એસોસિએશન પ્રત્યે રાગદ્વેશ રાખે છે. બેઠક બોલાવતું નથી. લોકલ રિકવેસ્ટ ઓપરેટ કરવામાં આવતી નથી. ઇજનેરો પર કામનું ભારણ છે. જેથી તેઓની શારીરિક-માનસિક સ્થિતિ બગડે છે. જૂનિયર ઇજનેરોના બદલીઓના ઓર્ડર પછી દોઢ-દોઢ વર્ષ સુધી તેઓને છૂટાં કરવામાંં આવતાં નથી. બદલીઓના ઓર્ડર મહિનાઓ બાદ અચાનક રદ્ થઇ જાય છે. ઇજનેરોની બદલીઓમાં નિયમોનું પાલન થતું નથી. અમુક અધિકારીઓની બદલી જ નથી થતી. એસોસિએશન વતી એસોસિએશનના સીએસ એ.એમ. સોઢિયાએ આંદોલનની ચિમકી પણ આપી છે.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો