જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા તથા રાજ્ય સરકારનો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ચેકીંગના નામે માત્ર નાટકો કરે છે, ખાસ કરીને તહેવારોના દિવસોમાં.
તાજેતરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અંબિકા ડેરીની ચારેય શાખાઓમાં માત્ર મિઠાઇનું ચેકીંગ કરાયું. ફરસાણનું ચેકીંગ કરવામાં આવ્યું નથી. મિઠાઇ પર એકસપાયરી ડેટ લખવાના કેન્દ્ર સરકારના કાયદા બાબતે ચેકીંગ કરવામાં આવ્યું નથી. ભૂતકાળમાં પણ અંબિકા ડેરીના ઉત્પાદનોની કવોલિટી નબળી જાહેર થયેલી. મિઠાઇના નમૂનાઓ લઇ વડોદરા મોકલયા હતાં પણ આજ દિવસ સુધી ફૂડ શાખાએ આ રીપોર્ટ અંગે કોઇ જાહેરાત કરી નથી. આવું ચેકીંગ તહેવારો દરમિયાન કરવામાં આવે છે તે પણ નાટકના સ્વરૂપમાં નગરજનોને કોઇ ફાયદો નથી થતો.
ફૂડના નમૂનાઓ છેક વડોદરા મોકલવામાં આવે છે. પરિણામો, કાર્યવાહીઓમાં વર્ષો નીકળી જાય છે. પાછલાં ૧૦-૧૨ વર્ષમાં કયારેય કોઇ મિઠાઇવાળા વિરૂધ્ધ પગલાં નથી લેવાયા. ફકત નાટકના સ્વરૂપમાં ચેકીંગ હાથ ધરવામાં આવે છે. હાલ પણ નગરની વિવિધ મિઠાઇની દુકાનોમાંથી નમૂનાઓ લેવાયા છે પણ પરિણામ શૂન્ય આવશે. આવા કિસ્સાઓમાં સરકાર કે સ્થાનિક પ્રસાશન ચેકીંગ પછીની કોઇ વિગત પ્રેસમિડીયાને આપતું નથી. અધિકારીઓ ફકત પ્રેસનોટના રૂપમાં આંકડાઓ (આટલી જગ્યાએ ચેકીંગ કર્યું) જ લખાવે નહીં કે નકર કાર્યવાહી.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો