પશ્વિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ મંગળવારે જામનગરની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી. દેવભૂમિ દ્વારકામાં રેલવે ટ્રેક તથા જામનગરના રેલવેને લગતી સુવિધાઓનું ઇન્સ્પેકશન કયું< હતું અને સ્થાનિક અધિકારીઓને સુચનાઓ આપી હતી. જામનગરના સાંસદ પૂનમબેન માડમ સાથે ચર્ચાઓ કરી હતી. જામનગર રાજકોટ વચ્ચે ડબલ ટ્રેક ૨૦૨૪ સુધીમાં ચાલુ થઇ જશે તથા કાનાલુસથી રાજકોટ વચ્ચે ત્રણ વર્ષમાં ડબલ ટ્રેક શરૂ કરવા અંગે માહિતી આપી હતી.