પશ્વિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ મંગળવારે જામનગરની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી. દેવભૂમિ દ્વારકામાં રેલવે ટ્રેક તથા જામનગરના રેલવેને લગતી સુવિધાઓનું ઇન્સ્પેકશન કયું< હતું અને સ્થાનિક અધિકારીઓને સુચનાઓ આપી હતી. જામનગરના સાંસદ પૂનમબેન માડમ સાથે ચર્ચાઓ કરી હતી. જામનગર રાજકોટ વચ્ચે ડબલ ટ્રેક ૨૦૨૪ સુધીમાં ચાલુ થઇ જશે તથા કાનાલુસથી રાજકોટ વચ્ચે ત્રણ વર્ષમાં ડબલ ટ્રેક શરૂ કરવા અંગે માહિતી આપી હતી.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો