જામનગરના મેડીકલ સ્ટોર સંચાલકનો આપઘાત કેસ: બિલ્ડરો કનુભાઇ બોસ અને રમણભાઇ મોરઝરીયા એસપી કચેરીએ રજૂઆત કરવા ગયેલાં કે પોતે આ કેસમાં નિર્દોષ છે: પોલીસે ધરપકડ કરી લીધી: નોંધનિય છે કે, સૂસાઇટ નોટમાં આ બંને બિલ્ડરના નામો-મોબાઇલ નંબર છે. કેન્દ્રના સ્વાથ્ય મંત્રી ડો. હર્ષવર્ધનનું નિવેદન: શિયાળામાં કોરોના ના કેસો વધી શે છે. સરકારે વેકસીન ના ઇમરજન્સી ઉપયોગ અંગે હજૂ વિચાર કર્યો નથી: દેશમાં કુલ કેસ ૭૦ લાખ ૫૩ હજાર. કોરોના વાઇરસ ઠંડી સિઝનમાં વધુ સક્રિય બને છે. પાવાગઢમાં રવિવારે એક લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડયા: સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા: ૪૦ ટકાથી વધુ લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતાં જામનગર નજીકના જાંબુડામાં રૂપિયા ૩ કરોડની જમીનના કૌભાંડની ફરિયાદ પછી ગત ૮ મી એ બે આરોપી ઝડપાયા બાદ રવિવારે વધુ બે આરોપી અમૃત નાનજી મારૂ (પટેલ કોલોની) અને અજય દેવાયતભાઇ બરાડીયા (મોખાણા, તાલુકો લાલપુર)ની ધરપકડ બંગાળની ખાડીમાં લો-પે્રશર સર્જાયુ છે: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ૧૩/૧૪ તારીખે વરસાદની સંભાવનાઓ છે, ગત્ તા. ૧૦ થી જામનગરમાં ગરમી, બફારો વધ્યા, રાત્રે પણ ઠંડકને બદલે ઉકળાટ છે. હિન્દુજા ફાયનાન્સ કંપની (ક્રોસ રોડ, પટેલ કોલોની)ના ક...