મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર 3, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

રેતી-મોરમની ચોરી ઝડપાઇ

     જામનગર શહેરમાં કદાચ પ્રથવ વખત રેતી-મોરમની ચોરી મોટાં પ્રમાણમાં ઝડપી લેવામાં આવી છે. એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે બે પીએસઆઇ દેવમુરારી તથા ગોજિયાની ટીમે આ કાર્યવાહી કરી છે.      મારૂ કંસારા સમાજની વાડી પાછળ રંગમતીના પટમાં રેતી-મોરમની ચોરી ઝડપાઇ છે. ૧ જેસીબી, ૨ ડમ્પર, બે ટ્રેકટર, ૧૨ ટન મોરમ સાથે પંકજ વસંતભાઇ, વિજય રમેશભાઇ, સરફરાઝ ગુલઝારભાઇ આમરોણીયા, હિતેષ પદમાભાઇ તળાવિયા, જેન્તિભાઇ ખરા નામના શખ્સોની ધરપકડ થઇ છે.      રેતી-મોરમની ચોરી બિલ્ડીંગ મટિરિયલ, કન્સ્ટ્રકશનના વ્યવસાયમાં કુખ્યાત દુષણ છે. સૌ જાણે છે.      દરોડાની આ કાર્યવાહીમાં સ્ટાફના સંજયસિંહ વાળા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા વગેરે જોડાયા હતાં.

જામનગરમાં મુસ્લિમ-વાઘેર સમાજ દ્વારા આવેદનપત્ર

     તાજેતરમાં ફ્રાંસમાં એક મેગેઝીનમાં ઇસ્લામના પયગમ્બરનું વિવાદાસ્પદ કાર્ટૂન પ્રકાશિત થયેલું. ફ્રાંસના પ્રમુખે આ મેગેઝિન પર કોઇ પણ પગલાં લીધાં નથી તેથી આ પ્રમુખના વિરોધમાં જામનગરમાં સુન્ની મુસ્લિમ સમાજ, સુન્ની દારૂલ કઝા તથા સમસ્ત વાઘેર સમાજના દ્વારા સતાવાળાઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.      આવેદનપત્ર પાઠવતી વેળાએ કાઝી એ ગુજરાત સલીમ બાપુ નાનીવાલાની આગેવાની હેઠળ હાજી જુમ્માભાઇ ખફી, હાજી હુશેન એરંડીયા, હારૂનભાઇ પલેજા (વાઘેર સમાજના પ્રમુખ્ર) ઇકબાલભાઇ બેલીમ, અશરફભાઇ ગોરી, દાઉદભાઇ નોતિયાર વગેરે હાજર રહ્યા હતાં.  

જામનગરના યાર્ડમાં ૫૫૦૦૦ મગફળી ગુણીની આવક થઈ

     ગત્ શુક્ર, શનિ, રવિ માલ રાખવાની જગ્યાના અભાવે યાર્ડ બંધ રહ્યા પછી સોમવારે મગફળી વેચવા શનિવારે તથા રવિવાર રાત્રે કુલ ૮૦૦ વાહનો, યાર્ડ પર પહોંચ્યા હતાં જેમાં ૫૫૦૦૦ મગફળી ગુણીની આવક થઇ છે.      તામિલનાડુના સિંગદાણા, મગફળીના વેપારીઓ, મિલરના પ્રતિનિધિઓ આ વર્ષે જામનગરથી ખરીદી કરી રહ્યા હોય, ખેડૂતોને મગફળીના ઉંચા ભાવો મળી રહ્યા છે. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લામાંથી પણ મગફળી વેચવા ખેડૂતો જામનગર આવી રહ્યા છે.      જામનગરના યાર્ડમાં સોમવારે બીજી નવેમ્બરે રૂપિયા ૮૦૦ થી ૧૩૦૦ ના ભાવે માત્ર ૯૪૦૦ ગુણી મગફળીનું વેચાણ થયું છે.       મંગળવારે સવારે ૬૦૦૦ ગુણી મગફળીનું વેચાણ નોંધાયું છે. જેમાં રૂપિયા ૮૦૦ થી ૧૬૩૫ નો ભાવ ખેડૂતોને મળ્યો. મગફળીની હરાજીમાં ૧૨૦ ખેડૂતો હાજર રહ્યા હતાં.

અખિલ ભારતી વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર

       ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી-જામનગર દ્વારા તાજેતરમાં BAMS ની પરીક્ષા લેવામાં આવેલી જેમાં ૧૪૭ છાત્રો અંતિમ પ્રયત્નમાં પણ નાપાસ થયા છે. આ છાત્રોને પરીક્ષાની વધુ એક તક આપવા, કોઇ પણ તપાસણી ફી વિના પેપરોની ફરી ચકાસણી કરી આપવા જામનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી સતાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ તકે છાત્રોના વાલીઓ પણ હાજર રહ્યા હતાં.      અખિલ ભારતી વિદ્યાર્થી પરિષદના જિલ્લા સંયોજક કુશલ બોસમિયાની આગેવાનીમાં કાર્યકરોએ યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર ડો. અજયસિંહ જાડેજાને આવેદનપત્ર આપ્યું છે.

સંક્ષિપ્ત સમાચાર

ભારતના અરૂણાચલ પ્રદેશ નજીક પોતાની હદમાં ચીન દ્વારા વધુ એક રેલવેલાઇન બિછાવવામાં આવી છે. આ સાથે એક પાવર પ્રોજેકટની પણ સ્થાપના કરવામાં આવી છે. આઇપીએલના ૫૫ માં મેચમાં દિલ્હીએ બેંગ્લોરની ટીમને ૬ વિકેટે પરાજય આપ્યો: દિલ્હી ટોપ-૨ માં, દિલ્હી અને મુંબઇની ટીમો કવોલિફાયર મેચમાં ટકરાશે. મેચ હાર્યા છતાં બેંગ્લોરની ટીમ પ્લે-ઓફમાં. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર સોમવારે ૯ ટકા તૂટયો: અગાઉ ૧૨ મી મેન ના દિવસે ૭ ટકા તૂટયો હતો: માર્ચમાં ૮૬૨ રૂપિયા ના નીચલા સ્તરે પહોંચ્યો હતો. સોમવારનો ભાવ રૂપિયા ૧૮૮૫ (બીએસઇ) હતો. રિલાયન્સના માર્કેટ કેપમાં સોમવારે રૂપિયા ૧.૦૯ લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. ગુજરાતની આઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીઓમાં આજે મતદાન છે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા આપતાં આ બેઠકો ખાલી થઇ હતી. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોમાં કુલ ૧૮.૭૫ લાખ મતદારો છે, ૮૦ ઉમેદવારો છે. પ્રત્યેક મતદાન મથક પર કોરોના ગાઇડલાઇન પ્રમાણે, ૧૫૦૦ ના બદલે માત્ર ૧૦૦૦ મતદારો જ મતદાન કરશે એનજીટી એ દિલ્હી, ઉતરપ્રેદશ, હરિયાણા તથા રાજસ્થાનમાં ૩૦ નવેમ્બર સુધી ફટાકડા પર પ્રતિબંધ મૂકયો છે. રાજસ્થાન સરકારે પ્રતિબંધનો અ...