મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ડિસેમ્બર 8, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સશસ્ત્ર સેના ધ્વજ દિન

     દેશભરની સાથે સાથે જામનગરમાં ૭ મી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરવામાં આવી. કલેકટર રવિશંકરેે અનુદાન આપી આ ઉજવણીનો પ્રારંભ કરાવ્યો. અને સૌ કોઇ દેશના વિરલાઓનું ઋણ ચૂકવવા આ ફંડમાં ઉદાર હાથે ફાળો આપે તેવી લાગણી કલેકટર દ્વારા વ્યકત કરવામાં આવી. આ તકે એસપી દ્વારા પણ અનુદાન આપવામાં આવ્યું.      જે લોકો સેના માટે અનુદાન આપવા ઇચ્છતા હોય તેઓ લાલબંગલા ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીનો ૦૨૮૮-૨૫૫૮૩૧૧ સંપર્ક સાધી શકે.

શંકરટેકરીમાં લગ્નપ્રસંગે માથાભારે તત્વોના ત્રાસ

     શંકરટેકરીમાં રવિવારની રાત્રે નવેક વાગ્યે શંકરના મંદિર વિસ્તારમાં એક લગ્નપ્રસંગ દરમ્યાન કેટલાક માથાભારે શખ્સોએ માથાકૂટ કરી હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ સંખ્યાબંધ પુરૂષો અને મહિલાઓ મોટાં ટોળાં સ્વરૂપે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં અને રાત્રિના ૧૨:૩૦ વાગ્યે એફઆઇઆર નોંધવામાં આવી છે.      એક મુસ્લિમ શખ્સ વિરૂધ્ધ જાનથી મારી નાંખવાની ધમકીની ફરિયાદ થઇ છે. નોંધનિય છે કે, શંકર ટેકરી વિસ્તારમાં નાની મોટી માથાકૂટ સમયાંતરે નોંધાતી રહે છે.      રવિવારે રાત્રે ૯ થી ૧૨ દરમિયાન સમગ્ર શંકરટેકરી વિસ્તારમાં તણાવની સ્થિતિ જોવા મળેલી.

જી.જી. હોસ્પિટલના કોરોનાગ્રસ્ત તબીબો ફરીથી દર્દીઓની સેવામાં

     કોરોના કાળ દરમ્યાન અત્યાર સુધીમાં જી.જી. હોસ્પિટલ ૧૫ તબીબોને કોરોના બિમારી લાગુ પડેલી. તેઓ સ્વસ્થ થઇ ફરીથી દર્દીઓની સેવાઓમાં જોડાયા છે.      કોરોનાથી સંક્રમિત થનારા તબીબોમાં ડો. દિપક તિવારી, ડો. અજય તન્ના, ડીન ડો. નંદિની દેસાઇ, ડો. હેમાંગ આચાર્ય, ડો. હર્ષ ત્રિવેદી, ડો. રાહુલ મહેતા, ડો. એન.આર. રાઠોડ, ડો. વિજય વહાણિયા, ડો. કિંજલ નાદિયા, ડો. તેજસ રાબડીયા, ડો. રાજુ ગોળીફાળ, ડો. પૂજા ઉપાસના, ડો. નીતા રાડા તથા ડો. પંચાસરા વગેરેનો સમાવશ થાય છે.      કોરોના મહામારી, સારવાર, ફરજો વગેરે બાબતો અંગે તબીબોએ પોતાના મંતવ્યો જણાવ્યા છે. એડિશનલ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. અજય તન્ના અમદાવાદની હોસ્પિટલ (બી.જે. મેડિકલ કોલેજ)માં ૧૦ દિવસ ફરજ બજાવવા ગયા હતાં. ત્યાં દરરોજ તેઓ ત્રણ ફલોરના ૫૦૦ જેટલા દર્દીઓને તપાસતા હતાં. ગરમીના સમયમાં પીપીઇ કીટ પહેરવામાં પડતી મુશ્કેલીઓ વિશે કહે છે, કે મારા શરીરની તાસીર ગરમ છે. લેહ-લડાખ જતો ત્યારે પણ સ્વેટર પહેરતો ન હતો. એટલે ૧૦ દિવસ સુધી પીપીઇ કીટ પહેરીને બેસવુ મારે માટે અતિ મુશ્કેલ હતું. તેઓએ કોરોના દર્દીઓને પ્લાઝામાં ડોનેટ પ...

સંક્ષિપ્ત સમાચાર

કિસાન તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ, જોડીયા દ્વારા કામચલાઉ મતદાર યાદી પ્રસિધ્ધ: ૧૪ ડિસેમ્બરે મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ થશે. જામનગરના નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ધ્રોળ તથા જોડિયા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં યુવક મંડળો બનાવવા માટે તાજેતરમાં પ્રવાસ કરવામાં આવેલો. ૫૦ ગામોની મુલાકાત લેવામાં આવી. કાર્યક્રમનું આયોજન નરોતમ વધોરાએ કયું<: માર્ગદર્શન જિલ્લા અધિકારી શિખર રસ્તોગીએ આપ્યુ હતું. આજે ભારત બંધણા એલાન દરમિયાન લોકોને તકલીફ ન પડે સૌ ઓફિસે જઇ શકે તે માટે દેશભરમાં ચક્કાજામનો કાર્યક્રમ ૧૧ થી ૩ દરમ્યાન હતી. ગૃહ મંત્રાલયે શાંતિ બનાવી રાખવા રાત્રે એક વાગ્યે એડવાઇઝરી જાહેર કરી: કુલ ૮ રાજ્યોની સરકારોએ બંધને સમર્થન આપ્યું છે. મુંબઇના જેહાન દારૂવાલાએ ફોર્મ્યુલા-૨ રેસ જીતીને ઇતિહાસ રચ્યો: ફોર્મ્યુલા રેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા બાળકો (ઉંમર: ૩ વર્ષથી ૧૨ વર્ષ) માટે શરદીનો વિનામૂલ્યે નિદાન કેમ્પ ૧૫ અને ૧૬ ડિસેમ્બરે પી.જી. આયુર્વેદ હોસ્પિટલના રૂમ નંબર ૧૫ ઓપીડી બ્લોક માં સવારે ૯ થી ૧૨:૩૦ કલાક અને સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, રિલાયન્સ સુપર ...