મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર 26, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જામનગરમાં કોરોના ટેસ્ટીંગ

     જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા મહાનગરપાલિકાના ગેઇટ પાસે મહાનગરપાલિકાના મુલાકાતીઓના કોરોના ટેસ્ટની કામગીરી કરવામાં આવે છે. જે લોકોના ટેસ્ટ નેગેટિવ આવે તેઓને જ કોર્પોરેશનમાં પ્રવેશ આપવામાં આવે તેવું નકકી કરવામાં આવ્યું છે. જો કે કોર્પોરેશનની મુલાકાત લેનાર તમામ ના કોરોના ટેસ્ટ કરવામાં આવતાં નથી એવું પણ જાણવા મળે છે. સિકયોરીટીના જવાનો જેઓનો કોરોના ટેસ્ટ ન થયો હોય તેને પણ મહાનગરપાલિકામાં પ્રવેશ આપતા હોવાનું કેટલાંક કિસ્સાઓમાં જાણવા મળે છે.

શરાબ સાથે ઝડપાયો

     એલસીબીના બે પીએસઆઇ ગોજિયા, દેવમુરારીની ટીમે જામનગર નજીકના નાઘેડીની સીમમાંથી હરપાલસિંહ જુવાનસિંહ જાડેજાના રહેણાંક મકાનમાંથી શરાબની ૧૩ બોટલ, મોબાઇલ કબજે લીધાં છે. આરોપીએ આ શરાબ જયેશ ઉફે જયુ ભાનુશાળી તથા કુલદીપસિંહ ઉર્ફે લાલો ઢીંગલી (સરમત) પાસેથી મેળવ્યો હતો. આ કાર્યવાહી પોલિસ ઇન્સ્પેકટર કે.જી. ચૌધરીની સુચના મુજબ એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

ચૂર ગામના બે પૂર્વ સરપંચ ઝડપાયા

     જામજોધપુર તાલુકાના ચૂર ગામના બે પૂર્વ સરપંચ ઝડપાયા છે. એસીબીએ આ બંનેની ધરપકડ કરી છે. આ સરપંચોએ ભૂતકાળમાં વિકાસ કામો પેટે ગેરકાયદે ચૂકવણું કરી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હતો તેવા તેમના પર આરોપ છે. આરોપી મુરીબેન નથુભાઇ રાઠોડ તથા નિતેશસિંહ ગભીરસિંહ જાડેજાની ધરપકડ થઇ છે. બંનેના કોરોના ટેસ્ટ નેગેટિવ જાહેર થયા છે.       એસીબીના આસિ. ડાયરેકટર એ.પી. જાડેજાના માર્ગદર્શન પ્રમાણે, પીઆઇ એ.ડી. પરમારની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે.

શરાબ સાથે ત્રણ ઝડપાયા

     પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચરની ટીમે નાગેશ્વર વિસ્તારમાં સુનિલ તુલસીભાઇ રાઠોડ, સુરેશ ગોપાલભાઇ રાઠોડ, કિશોર ભગવાનજીભાઇ રાઠોડના કબજામાંથી ૩૫ બોટલ શરાબ, ૩ નંગ મોબાઇલ કબજે લીધાં છે.      આ શરાબ તુષાર (ટકો) ભરતભાઇ બારૈયા, સચિન રામજીભાઇ બારૈયા પાસેથી મેળવામાં આવેલો છે. હાલ આ બન્નેની શોધખોળ પોલીસ કરી રહી છે.       આ કામગીરી ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, કાસમભાઇ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર તથા એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરેએ કરેલ હતી.

બેંક કર્મચારીઓની ખાનગીકરણના વિરોધમાં હડતાળ

     જામનગર સહિત દેશભરમાં બેંકોના કર્મચારીઓ અને વિવિધ સાહસોના તમામ કર્મીઓ મળી કુલ અંદાજે ૨૫ કરોડ લોકોએ આજે દેશભરમાં સરકારની નીતિનો વિરૂધ્ધ હડતાળ યોજી છે. સરકારની નીતિઓને કામદાર, ખેડૂત, પ્રજા વિરોધી લેખાવવામાં આવી છે. બેરોજગારી, પગાર કાપ પણ હડતાળના મુદ્‌ા છે.      બેંકો, વાજળી, ખેતી, સંરક્ષણ, કોલ, વિમો, ઇંધણ, સ્ટીલ વગેરે ક્ષેત્રમાં કામદારોમાં આક્રોશ છે. સરકારને લોકોની વેદનાનો અવાજ સંભળાતો નથી એમ જણાવી બેંક કર્મીઓએ બુધવારે સાંજે યુકો બેંક નજીક (જૂની દિપક ટોકીઝ પાસે) સૂત્રોચ્ચાર, દેખાવો કર્યા હતાં. આજે બેંકોમાં હડતાળ છે.