મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 3, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વિકાસ કામોનો પ્રારંભ

     જામનગર વોર્ડ નંબર ૨,૩,૧૦, ૧૧ માં રૂા. ૧૭૧.૭૪ લાખણા ખર્ચે વિવિધ વિકાસકામોનો પ્રારંભ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા)જાડેજાના હસ્તે કરવામાં આવ્યો. ૪ વોર્ડમાં સીસી રોડના ૨૮ કામો રાજ્ય મંત્રીની ૧૦ ટકા લોકભાગીદારીની ગ્રાંટમાંથી થશે.       આ તકે સ્ટેન્ડીંગ ચેરમેન સુભાષભાઇ જોષી, શાસક પક્ષનેતા દિવ્યેશ અકબરી, યાર્ડના વાઇસ ચેરમેન ધીરજલાલ કારીયા, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, કિશન માડમ, જયેન્દ્રસિંહ જાડેજા તથા વિવિધ વોર્ડના નગરસેવકો/સેવીકાઓ કાર્યકરો અને રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

નશાબંધી સપ્તાહની ઉજવણી

     જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા)જાડેજાના હસ્તે નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ બીજી ઓકટોબરે ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યો.મહાનુભાવોએ ગાંધીજીના પૂતળાંને સૂતરની આંટી પહેરાવી હતી. ટાઉનહોલ ખાતેથી વ્યસનમુકિતના બેનરો સાથે સાયકલીંગ કલબને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.       આ તકે ડેપ્યુટી મેયર કરશન કરમૂર, ડેપ્યૂટી કમિશનર વસતાણી, નશાબંધી અને આબકારી અધિક્ષક સહેદવસિંહ વાળા, નશાબંધી મંડળના સભ્ય ખુમાનસિંહ સરવૈયા તથા વ્યસનમુકિત માટે કાર્યરત ગાયત્રી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

ખંભાળિયા: એવોર્ડ વિતરણ

     દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા)જાડેજાની ઉપસ્થિતિમાં ગુજરાત હેન્ડ વોશિંગ કેમ્પેઇન તથા માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલો. આ તકે જિલ્લાની બે આંગણવાડીનું ઇ-લોકાર્પણ તથા ૧૦ આંગણવાડીનું ઇ-ખાતમૂર્હુત કરવામાં આવ્યું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ મારફત ઇ-લોકાર્પણ કયું<.      મહાનુભાવોના હસ્તે ૧૦ લાભાર્થીઓને હેન્ડ વોશ નિદર્શન કીટ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં. આ તકે ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા પંચાયત સદસ્ય મયુરભાઇ ગઢવી, નગરપાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજા, ગ્રીમકોના ચેરમેન મેઘજીભાઇ કણઝારીયા તથા આઇ.સી.ડી.એસ શ્રધ્ધાબેન ત્રિવેદી સહિતના કર્મચારીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

દ્વારકા: હેલ્થ કાર્ડ ઇસ્યૂ

     દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા જુદી જુદી કેટેગરીના કુલ ૧૪૨૩૧ સુપર સ્પ્રેડરને હેલ્થ કાર્ડ ઇસ્યૂ કરવામાં આવ્યા.      કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના તથા ડીડીઓ ડી.જે. જાડેજાની સૂચનાઓ પ્રમાણે, જન સમુદાયના સીધાં સંપર્કમાં આવતાં શાકભાજી, ફળો, કરિયાણું, દૂધ, સમાચાર પત્રો, વાણંદ, ડ્રાઇવરો, રેસ્ટોરન્ટના કર્મચારીઓ, પાન-મસાલા, લારી ગલાના ધંધાર્થીઓેને હેલ્થ કાર્ડ આપી કોરોના સંક્રમણને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.      આ ૧૪૨૩૧ પૈકી કોરોના લક્ષણ ધરાવતાં ૨૯૬૬ના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા. જે પૈકી ૪૨ ના રિપોર્ટ પોઝિટીવ જાહેર થયા છે. તેઓને જરૂરી સારવાર આપવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.વી. પટેલએ આ કામગીરીમાં માર્ગદર્શન આપ્યું હતું.  

યોગી-મોદી સરકારની નનામી

     જામનગરમાં કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોએ મોદી-યોગી સરકારની નનામીનો કાર્યક્રમ બેડીના નાકે યોજ્યો હતો અને શહેરમાં ધૂમાવી હતી. હાથરસની ઘટનાના વિરોધમાં તથા રાહુલગાંધીનું યોગીસરકારે અપનામ કયું< તેના વિરોધમાં નનામી યોજવામાં આવેલી. જો કે પોલીસને જાણ થતાં આ તમામ કાર્યકરોને ઝડપી લીધા હતાં અને પોલીસ સ્ટેશન લઇ ગયા હતાં.      આ કાર્યક્રમમાં શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, યુવક કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ શકિતસિંહ જેઠવા, જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ હેમંત ખવા, લોક સરકાર ઇન્ચાર્જ જિગર રાવલ તથા અન્ય કાર્યકરો જોડાયા હતાં.

જાંબુડા: ટ્રકે રિક્ષાને ઠોકર મારી

     શુક્રવારે બપોરે લસણની બોરીઓ ભરેલાં એક ટ્રકે જાંબુડાના પાટિયા નજીક (બસ સ્ટોપ પર) એક ઓટોરિક્ષાને ઠોકર મારી છે. આ અકસ્માતમાં ૧૪ લોકો છે. ગોવિંદ રાઠોડ અને પ્રભાશંકર પંડયા સહિતના ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફત જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ખૂબ જ વ્યસ્ત પોઇન્ટ છે. પરંતુ સદભાગ્યે અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી. રિક્ષાનો બૂકડો બોલ્યો હતો. બસ સ્પોપ નજીક ઉભેલા લોકોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢયા હતાં. આ અકમાસ્તને કારણે લસણની બોરીઓ ખૂલી ગઇ હતી અને રોડ ઉપર પથરાઇ ગઇ હતી. આ અકસ્માત સર્જનાર ટ્રકના નંબર જીજે૧૮ ટી ૨૪૫૭ અને રીક્ષા નંબર જીજે ૧૦ ટીડબલ્યુ ૬૦૧૭ છે. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી.

કોવિડ ૧૯ વિજયરથનું પ્રસ્થાન

             લોકોમાં કોરોના જાગૃતિ ફેલાવવા, આત્મ વિશ્વાસ જગાડવા માહિતી પ્રસારણ મંત્રાલય, પ્રેસ ઇર્ન્ફોમેશન બ્યૂરો, યુનિસેફ દ્વારા રાજ્યભરમાં વિજયરથ દ્વારા જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત વિજયરથ જામનગરમા. આવ્યો હતો.      કેબિનેટ મંત્રી આર.સી. ફળદુએ આ રથનું સ્વાગત, પ્રસ્થાન ટાઉનહોલ ખાતે કરાવ્યું ત્યારે ડે. મેયર કરશન કરમૂર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષભાઇ જોષી, શહેર ભાજપા અધ્યક્ષ હસમુખ હીંડોચા પક્ષના કોર્પોરેટરો વગેરે હાજર રહ્યા હતાં. કમિશનર સતિષ પટેલ તથા ડીડીઓ વિપિન ગર્ગ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.       રાજ્યમાં અલગઅલગ વિસ્તારોમાં જનજાગૃતિ ફેલાવવાની કામગીરી પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા અપર મહાનિર્દેશક ડો. ધીરજ કાકડીયા, સહ મહાનિર્દેશક સરીતાબેન દલાલ અને માહિતી પ્રસારણ વિભાગના ઇન્ચાર્જ અધિકારી દેવેન્દ્રભાઇ ત્રિવેદી, કોવીડ વિજયરથના કોર્ડિનેટર ભાવિકભાઇ સુતરીયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

કોંગ્રેસ દ્વારા મૌન રેલી

     બીજી ઓકટોબર નિમિતે કોંગ્રેસ દ્વારા કિસાન, મજૂર બચાવો દિવસની ઉજવણીના ભાગરૂપે તથા ખાનગી શાળાઓમાં ૧૦૦% ફી માફીની માંગણી સાથે કોંગ્રેસના જિલ્લા કાર્યાલય (લીમડાલાઇન)થી લાલબંગલા સર્કલ, ટાઉનહોલ સુધીની મૌન રેલી, બેનર્સ સાથે યોજવામાં આવેલી. ટાઉનહોલ ખાતે મહાત્મા ગાંધીના પૂતળાનપ સૂતરની આંટીઓ અર્પણ કરવામાં આવી હતી.      આ તકે વિપક્ષના નેતા અલ્તાફ ખફી, કોંગ્રેસના નગરસેવિકાઓ નીતાબેન પરમાર, જેનબબેન ખફી, કોંગ્રેસના આગેવાનો, એનએસયુઆઇના હોદેદારો તથા કોંગ્રેસ એનએસયુઆઇના કાર્યકરો મૌન રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતાં.      કૃષિબિલોને કોંગે્રસે ખેડૂત વિરોધી કાળા કાયદાઓ ગણાવ્યા છે. અને NO SCHOOL, NO FEES  ના બેનર પણ સાથે રાખ્યા હતાં. 

હેન્ડ વોશિંગ - એવોર્ડ વિતરણ

     જામનગરના ટાઉનહોલ ખાતે કેબિનેટ મંત્રી આર.સી. ફળદુના અધ્યક્ષસ્થાને હેન્ડ વોશિંગનો તથા માતા યશોદા એવોર્ડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો. કાર્યક્રમમાં ગાંધીનગરથી મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણમાં ઉપસ્થિતિ આપી હતી.  આ તકે મહાનગરપાલિકાની વિવિધ સ્વચ્છતાલક્ષી એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું. સ્વચ્છતા તથા પોષણ અંગેના શપથ લેવામાં આવ્યા. વિવિધ યોજનાના લાભાર્થી મહિલાઓને આ તકે પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું. આ તકે વ્હાલી દિકરી યોજના અંતર્ગત જામનગર શહેરનું નામ રોશન કરનાર નેહા એચ. ચાવડા (રણજીત ટ્રોફી વેસ્ટ ઝોન ખેલાડી) તથા અન્ય ૧૦ લાભાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતાં. મહાનગરપાલિકાના ૬ અને જિલ્લા પંચાયતના ૨ કર્મચારીઓને યસોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં.      આ કાર્યક્રમમાં ગ્રામ ગૃહનિર્માણ બોર્ડના ચેરમેન મુળભાઇ બેરા, ડેપ્યુટી મેયર કરશન કરમૂર, સ્ટેન્ડીંગ ચેરમેન સુભાષભાઇ જોષી, કલેકટર રવિશંકર, કમિશનર સતિષ પટેલ, ડીડીઓ વિપિન ગર્ગ, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા, શહેર ભાજપા અધ્યક્ષ હસમુખ હીંડોચા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

ગાંધીજયંતિ નિમિતે ગાંધીવંદના

     ગાંધીજયંતિ નિમિતે જામનગર કોંગ્રેસ દ્વારા ગાંધીવંદના કાર્યક્રમ અંતર્ગત ગાંધીજીના પૂતળાંને સૂતરની આંટી અર્પણ કરવામાં આવી.     આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા અલ્તાફભાઇ ખફી, શહેર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અશોકભાઇ ત્રિવેદી, યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઇ વાળા, એનએસયુઆઇના જિલ્લા પ્રમુખ મહાપાલસિંહ જાડેજા તથા કોંગ્રેસના કોર્પોરેટર, અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

બીજી ઓકટોબરે ગાંધીવંદના

    ગાંધીજયંતિ નિમિતે જામનગર શહેર ભાજપા દ્વારા ગાંધીવંદના કાર્યક્રમ અંતર્ગત ગાંધીજીના પૂતાળાંને સૂતરની આંટી અર્પણ કરવામાં આવેલી.      આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમૂર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઇ જોષી, શહેર ભાજપા અધ્યક્ષ હસમુખભાઇ હીંડોચા, દિવ્યેશભાઇ અકબરી, મનિષભાઇ કટારીયા, પ્રકાશભાઇ કનખરા,પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા ડિમ્પલબેન રાવલ તથા ભાજપાના કોર્પોરેટરો, અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

કોર્પોરેશનમાં આવેદનપત્ર

          જામનગર મહાનગરપાલિકામાં કાર્યરત નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત કર્મચારીઓએ મહાનગરપાલિકાના આરોગ્ય સતાવાળાઓને આવેદનપત્ર આપ્યું છે.      આવેદનમાં જણાવાયું છે કે, ૫/૬ ઓકટોબરે તમામ કર્મીઓ કાળી પટ્ટી ધારણ કરશે. ૭/૮ ઓકટોબરે પેન ડાઉન, ૯ ઓકટોબરે સામૂહિક રજા (માસ સીએલ), ૧૨ ઓકટોબરથી અચોક્કસ મુદ્‌તની હડતાળ.      જૂનથી સપ્ટેમ્બર સુધીમાં આ કર્મચારીઓ ૩ વખત લેખિત રજૂઆતો કરી ચૂકયા છે. સતાવાળાઓએ ધ્યાન આપ્યું નથી. ૯ ઓકટોબર સુધીમાં સતાવાળાઓ જાગશે નહીં તો આંદોલન ઉગ્ર બનશે.      આ કર્મચારીઓની હડતાળથી ણહ્યહ્મના કોર્પોરેશનના, તાલુકાના તથા ગ્રામ્ય કક્ષાના તમામ કામો ઠપ્પ થશે. લોકો પરેશાન થશે.