લોકોમાં કોરોના જાગૃતિ ફેલાવવા, આત્મ વિશ્વાસ જગાડવા માહિતી પ્રસારણ મંત્રાલય, પ્રેસ ઇર્ન્ફોમેશન બ્યૂરો, યુનિસેફ દ્વારા રાજ્યભરમાં વિજયરથ દ્વારા જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત વિજયરથ જામનગરમા. આવ્યો હતો.
કેબિનેટ મંત્રી આર.સી. ફળદુએ આ રથનું સ્વાગત, પ્રસ્થાન ટાઉનહોલ ખાતે કરાવ્યું ત્યારે ડે. મેયર કરશન કરમૂર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષભાઇ જોષી, શહેર ભાજપા અધ્યક્ષ હસમુખ હીંડોચા પક્ષના કોર્પોરેટરો વગેરે હાજર રહ્યા હતાં. કમિશનર સતિષ પટેલ તથા ડીડીઓ વિપિન ગર્ગ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
રાજ્યમાં અલગઅલગ વિસ્તારોમાં જનજાગૃતિ ફેલાવવાની કામગીરી પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા અપર મહાનિર્દેશક ડો. ધીરજ કાકડીયા, સહ મહાનિર્દેશક સરીતાબેન દલાલ અને માહિતી પ્રસારણ વિભાગના ઇન્ચાર્જ અધિકારી દેવેન્દ્રભાઇ ત્રિવેદી, કોવીડ વિજયરથના કોર્ડિનેટર ભાવિકભાઇ સુતરીયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો