જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા મહાનગરપાલિકાના ગેઇટ પાસે મહાનગરપાલિકાના મુલાકાતીઓના કોરોના ટેસ્ટની કામગીરી કરવામાં આવે છે. જે લોકોના ટેસ્ટ નેગેટિવ આવે તેઓને જ કોર્પોરેશનમાં પ્રવેશ આપવામાં આવે તેવું નકકી કરવામાં આવ્યું છે. જો કે કોર્પોરેશનની મુલાકાત લેનાર તમામ ના કોરોના ટેસ્ટ કરવામાં આવતાં નથી એવું પણ જાણવા મળે છે. સિકયોરીટીના જવાનો જેઓનો કોરોના ટેસ્ટ ન થયો હોય તેને પણ મહાનગરપાલિકામાં પ્રવેશ આપતા હોવાનું કેટલાંક કિસ્સાઓમાં જાણવા મળે છે.