જામનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા વધુ એક વખત સતાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં વધુ વરસાદવાળા વિસ્તારોમાં નુકસાનીનો સર્વે કરાવવાની માંગ, ટેકાના ભાવે કપાસની ખરીદી કરવી, ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભોજના પ્રમાણ અંગે સૂચનો, ગામડાંઓમાં રખડતાં પશુઓ માટે વ્યવસ્થા કરવી, ખેતર-મકાનો માટે ખેડૂતો માટી-રેતી મેળવી શકે તે માટેની વ્યવસ્થા-ડિજિટલ યુવા છતાં ખેડૂતોને ૭/૧૨ મેળવવામાં પડતી મુશ્કેલીઓ, ગૌશાળાના ડીમોલીશનના બદલે કાયમી ભાડાકરાર કરી આપેવો, ગૌશાળાની ગાયો તથા ખેતીમાં જોડાતા બળદો માટે નિભાવ ખર્ચ, પાંજરાપોળની સહાય યોજનામાં જમીન મર્યાદા હટાવવી વગેરે મુદ્ાઓ અંગે પ્રમુખ રજનિશ પટેલની આગેવાનીમાં ખેડૂતોએ આવેદન પાઠવ્યું છે.