મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 2, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

જામનગર-દ્વારકા હાઇવે પર કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત થતાં યુવાનનું મોત: એકને ઇજા હાથરસ (ઉતરપ્રદેશ) જઇ રહેલાં રાહુલ-પ્રિયંકા તથા કોંગ્રેસના ૨૦૩ કાર્યકરોને માર્ગમાં અટકાવાયા: એફઆરઆઇ નોંધવામાં આવી જામનગર શહેર-જિલ્લામાં વધુ ૬૦ પ્રતિબંધીત વિસ્તાર (ઘર) જાહેર કરવામાં આવ્યા આઇપીએલમાં પાંચ હજાર રન બનાવનાર રોહિત શર્મા ત્રીજો ભારતીય બેટસમેન: આ અગાઉ કોહલી, રૈનાએ પાંચ હજાર રન પૂરાં કર્યા છે. રાષ્ટ્રપતિ, વડોપ્રધાન ઉડતાં કિલ્લા જેવું ખાસ વિમાન: આ વિમાન દિલ્હી આવ્યું હાથરસ પિડીતાને ન્યાયની માંગણી સાથે આજે જામનગરમાં સફાઇ કામગીરી બંધ ભૂમાફિયા જયેશ પટેલ ગેંગને હથિયારો પૂરાં પાડનાર બલવીરસિંહ નામના શખ્સને અમદાવાદ એટીએસ-જામનગર એસઓજી મધ્યપ્રદેશથી જામનગર લાવી નેશનલ હેથ્લ મિશનના કરાર આધારિત કર્મચારીઓએ કાયમી કરવાની માંગણી સાથે જામનગરમાં કમિશનરને આવેદનપત્ર આપ્યું 

અધૂરાં પુલને કારણે હજારો લોકો પરેશાન

     જામનગરમાં ખોજા નાકા બહાર વિસ્તારમાં મણિકર્ણિકંકેશ્વર નજીક પુલના અભાવે લોકો પરેશાન છે. કોર્પોરેશને પુલ બનાવ્યો નથી. લોકો નદીના પાણીમાં ચાલી સામે કાંઠે જવા મજબૂર છે. વિપક્ષના નેતા અલ્તાફ ખફીએ કામ શરૂ કરાવેલું પરંતુ આજની તારીખે આ કામ અધૂરૂં.      આ વિસ્તારના હજારો લોકો દર ચોમાસે અને ચોમાસા પછીના સમયમાં અત્રે પરેશાન થાય છે. પરંતુ મહાનગરપાલિકા ધ્યાન આપતી નથી. સ્થાનિક લોકોએ અંજલિ ન્યૂઝને વિડીયો મોકલાવ્યો છે. આ સમસ્યા અંગે મહાનગરપાલિકા ધ્યાન આપે તેવી લાગણી સાથે માંગણી સ્થાનિક લોકો કરી રહ્યા છે.

લાલબંગલા સર્કલમાં કેન્ડલ માર્ચ હાથરસની ઘટનાનો ઉગ્ર વિરોધ

     બહુજન વિકાસ સંઘ, ગુજરાત પ્રદેશ તથા રાષ્ટ્રીય સફાઇ મજદૂર કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકર્તાઓ ગુરૂવારે સાંજે લાલબંગલા સર્કલ ખાતે એકત્ર થયા હતાં. ઉતરપ્રદેશના હાથરસના ગેંગરેપ-હત્યાકાંડને વખોડયો, સ્વ. મનિષાબેન વાલ્મિકીને શ્રધ્ધાંજલિ અર્પવા કેન્ડલ સળગાવી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.

અનુસૂચિત સમાજના સંગઠનો દ્વારા કેન્ડલ માર્ચ: શ્રધ્ધાંજલિ

     ઉતરપ્રદેશના હાથરસ ખાતે દલિત સમાજની મનિષા વાલ્મિકીનો ગેંગરેપ, હત્યા કાંડ દેશ આખામાં ચકચાર મચાવે છે.      જામનગરમાં જિલ્લાના તમામ અનુસૂચિત જાતિ સંગઠનોએ આ ઘટનાનો વિરોધ નોંધાવવા તથા આરોપીઓને કડક સજા અપાવવા ગુરૂવારે સાંજે લાલબંગલા ખાતે કેન્ડલ માર્ચ- શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો.      તાજેતરમાં કચ્છના રાપર ખાતે દલિત સમાજના અગ્રણી કર્મશીલ, વકીલની ધોળે દિવસે હત્યા થઇ છે તેમને પણ શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ અનુસૂચિત સંગઠનોએ આવેદનપત્ર આપવા માટેની વિચારણા પણ કરી હતી.

ત્રીજા સ્મશાન મુદે નગરયાત્રા

     જામનગરમાં વસતિ તથા વિસ્તાર વધ્યો હોય ત્રીજાં સ્મશાનની માંગણી સાથે કોંગ્રેસના સમર્થનથી કોર્પોરેટર દેવશી આહિર દ્વારા આંદોલન ચલાવવામાં આવે છે. આ અગાઉ તેમણે ઉપવાસ-ધરણાં પણ કર્યા હતાં. તે પછી ગઇકાલે ગુરૂવારથી તેઓએ નગરયાત્રાનો પ્રારંભ કર્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં તેઓ ૭ દિવસ ધૂમી લોકજાગૃતિ લાવશે.      રાજ્ય સરકારે રણજિતસાગર રોડ પર ત્રીજું સ્મશાન બનાવવાની મંજૂરી આપી છે, મહાનગરપાલિકાને જમીન પણ ફાળવી આપી છે પરંતુ શાસકો બે વર્ષથી આ પ્રોજેકટ શરૂ કરતાં નથી. કોંગ્રેસનો આક્ષેપ એવો છે કે, જમીનના ધંધાર્થીઓના હિતો સાચવવા મહાનગરપાલિકા ત્રીજું સ્મશાન બનાવતું નથી.     નગરયાત્રાના પ્રારંભે ડો. બાબા સાહેબ આંબેડકરને ફુલહાર કર્યાં હતાં. આ તકે વિક્રમભાઇ માડમ, અલ્તાફ ખફી, યુસુફ ખફી, નિતાબેન પરમાર, મરિયમબેન સુમરા, સાજિદ બ્લોચ, સહારાબેન મકવાણા વગેરે હાજર રહ્યા હતાં. નગરયાત્રા દરમ્યાન ચાંદીબજાર ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને સુતર પહેરાવી હતી.

યોગીના પૂતળાનું દહન

     કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીને ગુરૂવારે બપોરે ઉતરપ્રદેશ જતાં અટકાવાયા, પોલીસ તથા કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ એ ઘટનાને રાહુલ ગાંધીનું અપમાન લેખાવી જામનગરમાં કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકર્તાઓએ ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પૂતળાનું લાલ બંગલા સર્કલ ખાતે ગુરૂવારે સાંજે દહન કયું< હતું.      આ કાર્યક્રમમાં યોગી સરકાર હાય હાયના પ્લેકાર્ડ દર્શાવવામાં આવ્યા હતાં અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. કાર્યકમમાં વિપક્ષના નેતા અલ્તાફ ખફી, મહિલા કોંગ્રેસના અધ્યક્ષા રંજનબેન ગજેરા, સહારાબેન મકવાણા, નીતાબેન પરમાર, સાજીદ બ્લોચ, જેનબબેન ખફી, ભરતભાઇ વાળા વગેરે હાજર રહ્યા હતાં.