જામનગરમાં વસતિ તથા વિસ્તાર વધ્યો હોય ત્રીજાં સ્મશાનની માંગણી સાથે કોંગ્રેસના સમર્થનથી કોર્પોરેટર દેવશી આહિર દ્વારા આંદોલન ચલાવવામાં આવે છે. આ અગાઉ તેમણે ઉપવાસ-ધરણાં પણ કર્યા હતાં. તે પછી ગઇકાલે ગુરૂવારથી તેઓએ નગરયાત્રાનો પ્રારંભ કર્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં તેઓ ૭ દિવસ ધૂમી લોકજાગૃતિ લાવશે.
રાજ્ય સરકારે રણજિતસાગર રોડ પર ત્રીજું સ્મશાન બનાવવાની મંજૂરી આપી છે, મહાનગરપાલિકાને જમીન પણ ફાળવી આપી છે પરંતુ શાસકો બે વર્ષથી આ પ્રોજેકટ શરૂ કરતાં નથી. કોંગ્રેસનો આક્ષેપ એવો છે કે, જમીનના ધંધાર્થીઓના હિતો સાચવવા મહાનગરપાલિકા ત્રીજું સ્મશાન બનાવતું નથી.
નગરયાત્રાના પ્રારંભે ડો. બાબા સાહેબ આંબેડકરને ફુલહાર કર્યાં હતાં. આ તકે વિક્રમભાઇ માડમ, અલ્તાફ ખફી, યુસુફ ખફી, નિતાબેન પરમાર, મરિયમબેન સુમરા, સાજિદ બ્લોચ, સહારાબેન મકવાણા વગેરે હાજર રહ્યા હતાં. નગરયાત્રા દરમ્યાન ચાંદીબજાર ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને સુતર પહેરાવી હતી.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો