જામનગરમાં કોરોના હોસ્પિટલમાં ગુરૂવારે ૬ દર્દીઓ મોત થયા છે. વધુ ૩૩ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ જાહેર થયા છે. દિલ્હીમાં ઠંડીનો ૧૦ વર્ષનો રેકોર્ડ તૂટયો છે: ડિસેમ્બરના મધ્યમાં લઘુતમ તાપમાન ૩.૫ ડિગ્રી નોંધાયું છે. જામનગર સહિતના ગુજરાતમાં પણ ઠંડીની કાતિલતા વધી રહી છે. શિપ બ્રેકીંગની મંજૂરી પછી સચાણા ખાતે જરૂરી કામગીરી ચાલી રહી હોય બાલાચડી, જાંબુડા સહિતના ગામોમાં લોકોને રોજગારી મળવાની આશા છે. જામનગર જિલ્લા સહકારી બેંકની ચંૂટણી: ધારાસભ્ય રાઘવજી પટેલ, અશોક લાલ વગેરેએ ૧૨ ઉમેદવારી પત્રો રજૂ કર્યા: ૧૯ મી એ ઉમેદવારી પત્રો દાખલ કરવાનો છેલ્લો દિવસ. લાઇવ મિન્ટ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં દિલ્હી આસપાસ લોકલ સર્કલ્સમાં સર્વે કરવામાં આવ્યો હતો. વેકસીન અંગેના આ સર્વેમાં ૧૮૦૦૦ લોકો પૈકી ૬૯ ટકા લોકોએ કહ્યું, કોરોના વેકસીનની ઉતાવળ નથી. તેની આડઅસરો થવાનો ભય છે. કોરોનાનું સંક્રમણ પણ ઓછું થઇ રહ્યું છે. સ્વસ્થ માણસોએ કોરોના મહામારીનો ડર ન રાખવો જોઇએ. આમ વિવિધ કારણોસર લોકોએ લોકોએ હાલ વેકસીન લેવાનો ઇન્કાર કર્યો છે. સુપ્રિમ કોર્ટે કાલે જણાવ્યું: ખેડૂતોએ આંદોલન માટેની નિર્દોષ પધ્ધતિઓ અંગે વિચારવું જોઇએ. સરકારે નવા કૃષ...