મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ડિસેમ્બર 18, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

જામનગરમાં કોરોના હોસ્પિટલમાં ગુરૂવારે ૬ દર્દીઓ મોત થયા છે. વધુ ૩૩ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ જાહેર થયા છે. દિલ્હીમાં ઠંડીનો ૧૦ વર્ષનો રેકોર્ડ તૂટયો છે: ડિસેમ્બરના મધ્યમાં લઘુતમ તાપમાન ૩.૫ ડિગ્રી નોંધાયું છે. જામનગર સહિતના ગુજરાતમાં પણ ઠંડીની કાતિલતા વધી રહી છે. શિપ બ્રેકીંગની મંજૂરી પછી સચાણા ખાતે જરૂરી કામગીરી ચાલી રહી હોય બાલાચડી, જાંબુડા સહિતના ગામોમાં લોકોને રોજગારી મળવાની આશા છે. જામનગર જિલ્લા સહકારી બેંકની ચંૂટણી: ધારાસભ્ય રાઘવજી પટેલ, અશોક લાલ વગેરેએ ૧૨ ઉમેદવારી પત્રો રજૂ કર્યા: ૧૯ મી એ ઉમેદવારી પત્રો દાખલ કરવાનો છેલ્લો દિવસ. લાઇવ મિન્ટ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં દિલ્હી આસપાસ લોકલ સર્કલ્સમાં સર્વે કરવામાં આવ્યો હતો. વેકસીન અંગેના આ સર્વેમાં ૧૮૦૦૦ લોકો પૈકી ૬૯ ટકા લોકોએ કહ્યું, કોરોના વેકસીનની ઉતાવળ નથી. તેની આડઅસરો થવાનો ભય છે. કોરોનાનું સંક્રમણ પણ ઓછું થઇ રહ્યું છે. સ્વસ્થ માણસોએ કોરોના મહામારીનો ડર ન રાખવો જોઇએ. આમ વિવિધ કારણોસર લોકોએ લોકોએ હાલ વેકસીન લેવાનો ઇન્કાર કર્યો છે. સુપ્રિમ કોર્ટે કાલે જણાવ્યું: ખેડૂતોએ આંદોલન માટેની નિર્દોષ પધ્ધતિઓ અંગે વિચારવું જોઇએ. સરકારે નવા કૃષ...

હોસ્પિટલને મળી રહ્યું છે દાન

     જામનગરની કોરોના હોસ્પિટલ તથા જી.જી. હોસ્પિટલને સામાજિક દાયિત્વ અંતર્ગત અનુદાન મળી રહ્યું છે. એડીશ્નલ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ડો. અજય તન્ના જણાવે છે કે દાતાઓએ ૪૦ સ્પેશ્યલ રૂમ બનાવવા સેટી, સોફાસેટ, રાઈટીંગ ચેર, ટેબલ, રિલેકસિંગ ચેસ ડ્રોઅર, ૬ ટીવી આપ્યા છે. તાતા કંપની દ્વારા ૩ વોશિંગ મશીન (રૂપિયા ૬૦ લાખ), ન્યારા એનજી< દ્વારા ૪૭૪૫ પીપીઇ કીટ, નારાયણ ટ્રસ્ટ દ્વારા ૫૦૦ કીટ, કનૈયાલાલ રાંહેરા તથા સોજિત્રા દ્વારા ૨૦ બાયપેપ માસ્ક, સ્ટર્લિંગ એજન્સી દ્વારા ૨ લી. ની ક્ષમતાના ૧૦ જગ, ચેમ્બર દ્વારા ૨૦૦ બેડશીટ-૧૦૦ પીપીઇ કીટ, વેલસ્પન ઇન્ડિયા દ્વારા ૧૦૦૦ બેડશીટ, ટુવાલ, અતુલ મોટર્સ, રમેશ ચોટાઇ, ડો. કેતન મહેતા, શૈલેષ મહેતા પરિવાર વગેરે દ્વારા દાનની સરવાણી સતત વહાવવામાં આવે છે.

શંકરટેકરી સિધ્ધાર્થ કોલોનીમાંથી શરાબ સાથે ઝડપાયો

     લોકલ ક્રાઇમ બ્રાંચના પોલિસ ઇન્સ્પેકટર કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે બે પીએસઆઇ ગોજિયા, દેવમુરારીની ટીમે શંકરટેકરી, સિધ્ધાર્થ કોલોનીમાંથી જિતેન્દ્ર દેવજી પરમાર નામના શખ્સને શરાબની ૫૦ બોટલ સાથે ઝડપી લીધો છે. ૪૦,૦૦૦ રોકડા તથા એક નંગ મોબાઇલ પણ કબજે લેવામાં આવ્યો છે.      આ શરાબ સપ્લાય કરનાર ગોગનભાઇ (નવાગામ ઘેડ) તથા વિજય ચાવડા (મહેશ્વરી વાસ, ત્રણ દરવાજા)ને પોલીસ શોધી રહી છે.

શરાબનો મોટો જથ્થો બિનવારસુ ઝડપાયો

                                                  જામનગરની સિટી સી ડિવિઝન પોલીસના પીઆઇ એમ.આર. ગોંડલીાયા, પીએસઆઇ ઓડેદરાની ટીમે ૧૩૬૮ બોટલ શરાબ સાથેનું છોટા હાથી વાહન બુધવારે મોડી રાત્રે ગોકુલનગર, ખોડિયારનગર રોડ પરથી ઝડપી લીધું છે અને પોલીસ સ્ટેશનમાં જમા લીધું છે. જો કે વાહનનો ચાલક ઝડપાયો ન હોવાનું પોલીસે જાહેર કયુંં< છે. હાલ પોલીસ છોટી હાથીના માલિક તથા ડ્રાઇવરની શોધખોળ કરી રહી છે.

દક્ષિણ નૌસેનાના કમાન-ઇન-ચીફ જામનગરમાં વાલસુરાની મુલાકાતે

     ફલેગ ઓફિસર કમાન-ઇન-ચીફ વાઇસ એડમિરલ અનિલ કુમાર ચાવલા તથા તેઓના પત્ની સપના ચાવલાએ ૧૬ મી ડિસેમ્બરે આઇએનએસ વાલસુરાના ઇલેકટ્રિક તાલીમ સંસ્થાનની મુલાકાત લઇ આધુનિક પ્રણાલીઓનું નિરીક્ષણ કર્યું અને પ્રશંસા કરી હતી.      પુષ્પાજંલિ સમારોહ બાદ તેઓએ ૫૦ જવાનોનું ગાર્ડઓફ ઓનર લીધું હતું. આ ઉપરાંત તેઓએ બેચલર જવાનો માટેના આવાસ (કિર્તિચંક્ર વિજેતા સિપાહી જગદીશ ચાંદ ની સ્મૃતિમાં આવાસોને ચાંદ બ્લોક નામ આપવામાં આવ્યું છે.) તેનું ઉદ્‌ધાટન કર્યું.      તેઓના પત્ની સપના ચાવલાએ મહિલા સંગઠનની પ્રવૃતિઓ તથા કાર્યક્રમો અંગે માહિતી મેળવી. દ્વારિકા નામના ૩ માળના પ્રોફેશનલ સેન્ટરનું તેઓએ ઉદ્‌ધાટન કર્યું.