મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • જામનગરમાં કોરોના હોસ્પિટલમાં ગુરૂવારે ૬ દર્દીઓ મોત થયા છે. વધુ ૩૩ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ જાહેર થયા છે.
  • દિલ્હીમાં ઠંડીનો ૧૦ વર્ષનો રેકોર્ડ તૂટયો છે: ડિસેમ્બરના મધ્યમાં લઘુતમ તાપમાન ૩.૫ ડિગ્રી નોંધાયું છે. જામનગર સહિતના ગુજરાતમાં પણ ઠંડીની કાતિલતા વધી રહી છે.
  • શિપ બ્રેકીંગની મંજૂરી પછી સચાણા ખાતે જરૂરી કામગીરી ચાલી રહી હોય બાલાચડી, જાંબુડા સહિતના ગામોમાં લોકોને રોજગારી મળવાની આશા છે.
  • જામનગર જિલ્લા સહકારી બેંકની ચંૂટણી: ધારાસભ્ય રાઘવજી પટેલ, અશોક લાલ વગેરેએ ૧૨ ઉમેદવારી પત્રો રજૂ કર્યા: ૧૯ મી એ ઉમેદવારી પત્રો દાખલ કરવાનો છેલ્લો દિવસ.
  • લાઇવ મિન્ટ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં દિલ્હી આસપાસ લોકલ સર્કલ્સમાં સર્વે કરવામાં આવ્યો હતો. વેકસીન અંગેના આ સર્વેમાં ૧૮૦૦૦ લોકો પૈકી ૬૯ ટકા લોકોએ કહ્યું, કોરોના વેકસીનની ઉતાવળ નથી. તેની આડઅસરો થવાનો ભય છે. કોરોનાનું સંક્રમણ પણ ઓછું થઇ રહ્યું છે. સ્વસ્થ માણસોએ કોરોના મહામારીનો ડર ન રાખવો જોઇએ. આમ વિવિધ કારણોસર લોકોએ લોકોએ હાલ વેકસીન લેવાનો ઇન્કાર કર્યો છે.
  • સુપ્રિમ કોર્ટે કાલે જણાવ્યું: ખેડૂતોએ આંદોલન માટેની નિર્દોષ પધ્ધતિઓ અંગે વિચારવું જોઇએ. સરકારે નવા કૃષિ કાયદા હાલ હોલ્ડ પર રાખવાની શકયતાઓ તપાસવી જોઇએ. ૨૨ દિવસના આંદોલન દરમ્યાન ૨૧ ખેડૂતોના મૃત્યુ થયા છે.




ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...