મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 5, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

જામનગર કોરોના: રવિવારે જામનગર શહેરમાં કોરોના ના નવા ૬૩ કેસ, ૪૧ ને ડીસ્ચાર્જ: ગ્રામ્ય વિસ્તારમાં નવા ૨૯ કેસ, ડીસ્ચાર્જ ૩૯ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહની પુત્રી શ્રેયાંસીસિંહ ભાજપામાં જોડાઇ ગઇ સુરતમાં ડ્રગ્સનો બેફામ કારોબાર: ૫૦૦ થી વધુ કેરિયર એકટીવ: આ ધંધામાં કેટલાંય કરોડપતિ બન્યા: સલાબતપુરા મુખ્ય મથક ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે ઉમેદવારો નકકી કરવા આજે ભાજપાની બેઠક કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની આજે ગાંધીનગરમાં કૃષિ બિલો અંગે પત્રકાર પરિષદને સંબોધી ૨૦૦ લોકો સાથે ગરબાઓ યોજી શકાશે: ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નિવેદન સુશાંતનું મોત કલીયર ગળાફાંસો: હત્યાનો કોઇ જ પુરાવો નથી: એઇમ્સના પોસ્ટમોર્ટમ પેનલિસ્ટએ કહ્યું, ચેપ્ટર બંધ લોકડાઉનબાદ વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યું: મોટા શહેરોમાં ઓફિસ લીઝ પર આપવાનું પ્રમાણ ૫૦ ઘટયું.

પોરબંદરનો આરોપી જામનગરમાં ઝડપાયો

     જામનગર એલસીબીએ પ્રદીપ (પદીયો) જેન્તિભાઇ ખત્રી (રણજિતનગર)નામના શખ્સને તેના ઘરમાંથી ઝડપી લીધો છે. એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે બે પીએસઆઇ દેવમુરારી, ગોજિયાની ટીમના હરદીપ ધાંધલ, પ્રતાપ ખાચર, જયુભાઇ ઝાલા, સંજયસિંહ, અશ્વિનભાઇ વગેરેએ આ શખ્સને શોધી કાઢયો છે.      આ શખ્સ વિરૂધ્ધ પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે. તે એક વર્ષથી નાસતો ફરતો હતો.

જૂગારની કલબ ઝડપાઇ

     જામનગર એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે, બે પીએસઆઇ દેવમુરારી-ગોજિયાની ટીમે જૂગારની કલબ ઝડપી છે.      સુભાષપરા (શંકરટેકરી)માં જોશનાબેન ચમનલાલના મકાનમાં દરોડો પાડી જોશનાબેન ઉપરાંત જગદીશ ચમનલાલ, ધવલ અશોકભાઇ, જયદીપસિંહ ચતુરસિંહ, દિલીપસિંહ ધીરૂભા જાડેજા, મહેશ ડાયાભાઇને રૂા. ૪૦૮૦૦ ની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા છે. આ દરોડામાં એલસીબીના જયુભા, સંજયસિંહ, ભરતભાઇ, દિલીપભાઇ, ફિરોઝભાઇ વગેરેએ કાર્યવાહી કતી હતી.

જામજોધપુરમાંથી ક્રિકેટનો જૂગારી ઝડપાયો

     જામનગર એલસીબીએ જામજોધપુરમાં બહુચરાજી માતાજીના મંદિર નજીકના વિસ્તારમાં દરોડો પાડી, ક્રિકેટનો ડબ્બો ચલાવતાં ધમલ (ભોદો) રાજેશભાઇ કડીવાર નામના શખ્સને રૂા. ૪૭૫૦૦ ની રોકડ, ૭ મોબાઇલ, લેપટોપ વગેરે સાથે ઝડપી લીધો છે. ૧૪ આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.       એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીની સૂચના પ્રમાણે બે પીએસઆઇ ગોજિયા, દેવમુરારીની ટીમના વનરાજભાઇ, ફીરોઝભાઇ, જયુભા, નાનજીભાઇ, શરદભાઇ વગેરેએ આ દરોડો પાડયો હતો.

પિસ્તોલ સાથે એક ઝડપાયો

     જામનગર એલસીબીએ જોડીયા તાલુકાના હડીયાણા નજીક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસેથી રાજેન્દ્રસિંહ (રાજભા) કેશુભા સોઢા (જોડીયા, દલનો વાસ) નામના શખ્સને રૂા. ૨૫૦૦૦ ની કિંમતની પિસ્તોલ સાથે ઝડપી લીધો છે.      એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીની સૂચના મુજબ, બે પીએસઆઇ ગોજિયા, દેવમુરારીની ટીમના પ્રતાપભાઇ, ભગીરથસિંહ, સંજયસિંહ, અશ્વિનભાઇ, હરપાલસિંહ વગેરે આ કાર્યવાહીમાં જોડાયા હતાં. આ શખ્સે આ હથિયાર કાદર (ઓઢિયો)્ર જુમાભાઇ જૂણેજા, દીવુભા જદુવિરસિંહ જાડેજા (ધ્રોળ) પાસેથી મેળવેલું.

વીએચપી દ્વારા આવેદન

     ઉતરપ્રદેશના હાથરસમાં સર્જાયેલા ગેંગરેપ-હત્યાકાંડની પિડીતાના કેસના આરોપીઓ વિરૂધ્ધ કડક પગલાંની માંગણી સાથે જામનગર વીએચપી દ્વારા સતાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જિલ્લા પ્રમુખ ભારત ફલીયા તથા મહામંત્રી ધર્મેશ ગોંડલીયાની આગેવાનીમાં આપવામાં આવેલાં આ આવેદનપત્રમાં જણાવાયંુ છે કે, આ પ્રકારના ગુનાઓના આરોપીઓને ફાંસીની સજા મળવી જોઇએ.

સ્વ. ઇકબાલ અઘામને અંજલિ ન્યૂઝ દ્વારા શ્રધ્ધાંજલિ

       જામનગરના સિનિયર પત્રકાર ઇકબાલ અઘામના કોરોના સામેનો ૬૬ દિવસનો લાંબો જંગ અંતે હારી ગયા છે. મિલનસાર સ્વભાવ અને ઇન્વેસ્ટિગેટીવ પત્રકારત્વ ધરાવતાં ઇકબાલભાઇ અંજલિ ન્યૂઝ પરિવાર સાથે ગાઢ રીતે સંકળાયેલા હતાં. આ તકે અંજલિ ન્યૂઝ પરિવાર સદ્‌ગતને શ્રધ્ધાંજલિ પાઠવે છે.