ઉતરપ્રદેશના હાથરસમાં સર્જાયેલા ગેંગરેપ-હત્યાકાંડની પિડીતાના કેસના આરોપીઓ વિરૂધ્ધ કડક પગલાંની માંગણી સાથે જામનગર વીએચપી દ્વારા સતાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જિલ્લા પ્રમુખ ભારત ફલીયા તથા મહામંત્રી ધર્મેશ ગોંડલીયાની આગેવાનીમાં આપવામાં આવેલાં આ આવેદનપત્રમાં જણાવાયંુ છે કે, આ પ્રકારના ગુનાઓના આરોપીઓને ફાંસીની સજા મળવી જોઇએ.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો