મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 24, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

એશિયાના સૌથી મોટાં ગિરનાર રોપ-વેનું આજે પ્રધાનમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ: ૭ મિનિટનું ભાડું ૭૦૦ રૂપિયા. રોપ-વે માં પ્રવાસ કરનારની પાંચ કલાક બચશે. દર કલાકે ૮૦૦ દર્શનાર્થીઓ રોપ-વ મારફત જઇ શકશે. લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. ઉષા બ્રેકો કંપનીએ રૂા. ૧૩૦ કરોડના ખર્ચે રોપ-વે બનાવ્યો. સમગ્ર પ્રોજેકટની નિભાવ-જાળવણી પણ આ જ કંપની કરશે. ૨.૩ કિ.મી.નો રસ્તો ૭ મિનિટમાં કપાશે. રૂટમાં ૯ ટાવર છે. હાલમાં ૨૫ ટ્રોલી કાર્યરત કરવામાં આવી છે. ૧ ટ્રોલીમાં ૮ લોકો બેસશે ડૂંગળીમાં સરકારે સ્ટોક મર્યાદા જાહેર કરી છે. જથ્થાબંધ વેપારી ૨૫ ટન, છૂટક વેપારી ૨ ટન ડુંગળી રાખી શકશે. મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટકમાં ભારે વરસાદથી ડુંગળીનો ૭૫ ટકા પાક ધોવાઇ ગયો છે. ગુજરાતમાં ૮ લાખ ટન જ ડુંગળી પાકશે. સ્ટોક મર્યાદા ૩૧ ડિસેમ્બર સુધી રહેશે. પંદર દિવસ પછી રાજસ્થાની ડુંગળી આવશે. જાન્યુઆરીના અંતથી ફરી ભાવો ઉંચા થઇ જશે કેન્દ્રીંય મંત્રી રૂપાલાએ કોરોનાગ્રસ્ત નરેશ કનોડીયાને શ્રધ્ધાંજલિ આપી દીધી: ભૂલ સમજાતાં ટિવટ ડીલિટ કયું< ભાજપા-કોંગ્રેસ ગુજરાતમાં વિધાનસભા પેટાચૂંટણી માટે ખૂલ મહેનત કરે છે. જિલ્લા કક્ષાના આગેવાનોને દોડા...

જિલ્લામાં ખેડૂતોને રાહત પેકેજમાં રૂ. ૧૭ કરોડ ચૂકવાયા

     જામનગર જિલ્લામાં ભારે વરસાદમાં નુકસાની પેટે ખેડૂતોને કૃષિ રાહત પેકેજ અંતગર્ત રૂ. ૧૭ કરોડ ચૂકવવામાં આવ્યા છે. ડીડીઓના માર્ગદર્શન મુજબ, જિલ્લા પંચાયત દ્વારા કુલ ૧૧૦૦૦ ખેડૂતોને આ રકમ બેંક ખાતાં મારફત માત્ર એક જ દિવસમાં ચૂકવવામાં આવી છે. કુલ ૯૩૮૭૫ ખેડૂતોને વીસી મારફત અરજી કરી હતી. હજૂ ૩૦ ઓકટોબર સુધી અરજી થઇ શકશે.

હત્યારો આઠ વર્ષે ઝડપાયો

     જામનગરની પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચર તથા તેમની ટીમે એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે, અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાંથી ટેકનિકલ એનાલિસિસના આધારે મધ્યપ્રદેશના રાકેશ ચૌહાણ નામના શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સ આઠ વર્ષ પહેલાંના એક હત્યા કેસનો આરોપી છે. ધ્રોળ તાલુકાના ખોડાપિપર ગામાં પ્રેમ પ્રકરણના અનુસંધાને ૨૦૧૨ માં એક યુવકની હત્યા નિપજાવવામાં આવેલી.      સ્ટાફના કામસભાઇ, ગજેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, હંસરાજભાઇ, સલીમભાઇ વગેરેએ આ કામગીરીમાં જોડાયા હતાં.

ICDS ની પ્રવૃતિઓ કાર્યક્રમો ડિજિટલ પ્લેટફોર્મથી જોઇ શકાશે

     જામનગર જિલ્લામાં ICDS દ્વારા પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, મહિલા તથા બાળ આરોગ્યની બાબતો પર માર્ગદર્શન આપવામાં આવે છે. દર સોમવારે, મંગળવારે બપોરે ર થી ૩ દરમ્યાન કાર્યક્રમોનું પ્રસારણ થાય છે.      ૨૭ ઓકટોબરે (મંગળવારે) પૂર્ણા દિવસ સેટકોમના માધ્યમથી કિશોરીઓને "કિશોરીઓમાં એનેમિયા તથા તેને નિવારવાના ઉપાયો" વિષય પર નિષ્ણાંતો માર્ગદર્શન આપશે.      વંદે ગુજરાત ચેનલ-૧, યુ ટયુબના WCD Gujarat ચેનલ, ફેસબુક WCD Gujarat  પેઇજના માધ્યમથી આ કાર્યક્રમો નિહાળી શકાશે.

મહાનગરપાલિકામાં જૂનિયર ઇજનેરોની ભરતી માટે કોર્પોરેટરની માંગણી

     જામનગરના ભાજપાના નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ જણાવ્યું છે કે, મહાનગરપાલિકા હસ્તકના સિવિલ વિભાગના ૫૦ ટકા કામો એવા છે જેમાં ૨૫ ટકામાં જૂનિયર ઇજનેરોની દેખરેખ વિના જ કામો થાય છે! ઇજનેરોની દેખ વિના કામો કેવી રીતે થાય તે સમજી શકાય તેવી વાત છે.      ઘણાં ફ્રેશ ઇજનેરોને નોકરીની તલાસ હોય છે. આવા ઇજનેરોની મહાનગરપાલિકામાં ભરતી થાય તે માટે નગરજનોએ કમિશનરને પત્રો લખવા જોઇએ એવો અનુરોધ નગરસેવિકા દ્વારા કરવામાં આવ્યો છે.