જામનગર જિલ્લામાં ICDS દ્વારા પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, મહિલા તથા બાળ આરોગ્યની બાબતો પર માર્ગદર્શન આપવામાં આવે છે. દર સોમવારે, મંગળવારે બપોરે ર થી ૩ દરમ્યાન કાર્યક્રમોનું પ્રસારણ થાય છે.
૨૭ ઓકટોબરે (મંગળવારે) પૂર્ણા દિવસ સેટકોમના માધ્યમથી કિશોરીઓને "કિશોરીઓમાં એનેમિયા તથા તેને નિવારવાના ઉપાયો" વિષય પર નિષ્ણાંતો માર્ગદર્શન આપશે.
વંદે ગુજરાત ચેનલ-૧, યુ ટયુબના WCD Gujarat ચેનલ, ફેસબુક WCD Gujarat પેઇજના માધ્યમથી આ કાર્યક્રમો નિહાળી શકાશે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો