મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • એશિયાના સૌથી મોટાં ગિરનાર રોપ-વેનું આજે પ્રધાનમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ: ૭ મિનિટનું ભાડું ૭૦૦ રૂપિયા. રોપ-વે માં પ્રવાસ કરનારની પાંચ કલાક બચશે. દર કલાકે ૮૦૦ દર્શનાર્થીઓ રોપ-વ મારફત જઇ શકશે. લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. ઉષા બ્રેકો કંપનીએ રૂા. ૧૩૦ કરોડના ખર્ચે રોપ-વે બનાવ્યો. સમગ્ર પ્રોજેકટની નિભાવ-જાળવણી પણ આ જ કંપની કરશે. ૨.૩ કિ.મી.નો રસ્તો ૭ મિનિટમાં કપાશે. રૂટમાં ૯ ટાવર છે. હાલમાં ૨૫ ટ્રોલી કાર્યરત કરવામાં આવી છે. ૧ ટ્રોલીમાં ૮ લોકો બેસશે
  • ડૂંગળીમાં સરકારે સ્ટોક મર્યાદા જાહેર કરી છે. જથ્થાબંધ વેપારી ૨૫ ટન, છૂટક વેપારી ૨ ટન ડુંગળી રાખી શકશે. મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટકમાં ભારે વરસાદથી ડુંગળીનો ૭૫ ટકા પાક ધોવાઇ ગયો છે. ગુજરાતમાં ૮ લાખ ટન જ ડુંગળી પાકશે. સ્ટોક મર્યાદા ૩૧ ડિસેમ્બર સુધી રહેશે. પંદર દિવસ પછી રાજસ્થાની ડુંગળી આવશે. જાન્યુઆરીના અંતથી ફરી ભાવો ઉંચા થઇ જશે
  • કેન્દ્રીંય મંત્રી રૂપાલાએ કોરોનાગ્રસ્ત નરેશ કનોડીયાને શ્રધ્ધાંજલિ આપી દીધી: ભૂલ સમજાતાં ટિવટ ડીલિટ કયું<
  • ભાજપા-કોંગ્રેસ ગુજરાતમાં વિધાનસભા પેટાચૂંટણી માટે ખૂલ મહેનત કરે છે. જિલ્લા કક્ષાના આગેવાનોને દોડાવે છે પરંતુ કોરોના, લોકડાઉન, મોંઘવારીથી ત્રાસેલાં મતદારોને ચૂંટણીઓમાં કોઇ જ રસ નથી
  • બોયકોટ ચાઇના ની માત્ર વોત-દંભ: ૨૦૨૦ ના જૂલાઇથી સપ્ટેમ્બરમાં દેશમાં પાંચ કરોડ સ્માર્ટફોનનું વેચાણ, જે પૈકી ૭૬ ટકા ફોન ચાઇનીઝ બનાવટના વેચાયા
  • અમદાવાદમાં ૨૭૩૨૨ પૈકી ૧૮૯૧૨ ઇમારતોમાં ફાયર એનઓસી નથી: જાહેર હિતની અરજી અનુસંધાને સરકારે વડી અદાલતમાં માહિતી આપી: ફાયર સેફટી સર્ટિફીકેટ પોર્ટલ બનશે. ૬૭૨ ફાયર ઓફિસરની ભરતી થશે. જામનગરમાં ૫૦૭ ઇમારત પૈકી ૨૨૭ પાસે ફાયર એનઓસી નથી
  • જે કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થાય છે તે પૈકી ઘણાં લોકો માથાના વાળ ખરવાની સમસ્યા અનુભવે છે. તેની પાછળનું કારણ ચિંતા છે. માટે ચિંતા ન કરવી: વાળના ગ્રોથ તથા મજબૂતી માટે વિટામિનયુકત ખોરાાક, ફળો આરોગવા તથા રોગપ્રતિકારક શકિત વધારવી. વાળ ખરવાની આ સમસ્યા લાંબો સમય નથી રહેતી. કોરોના ના ૨૫ લક્ષણો પૈકી આ પણ એક લક્ષણ છે.
  • રાજ્યના વિકાસ કમિશનરે તમામ જિલ્લાઓના ડીડીઓને પત્ર લખ્યો છે. રેવન્યૂ શાખા પંચાયત શાખાને જણાવે છે કે, મંજૂરી વગર બાંધકામો થાય છે. કોઇ પણ યોજનાકીય કાર્યોની મંજૂરી પહેલાં જમીનની ઉપલબ્ધતા, માલિકી હક્કની ખાતરી કરવા, સરકારી જમીન પર દબાણ ન થાય તે માટે તકેદારી રાખવા, ડીઇઓ (જિલ્લા શિક્ષણાધિકારી)ને સૂચના આપવામાં આવી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...