મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 9, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

તસ્કરને ઝડપી લેતી એલસીબી

     જામનગર એલસીબીના પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે, બે પીએસઆઇ દેવ મુરારી તથા ગોજિયાની ટીમે હનીફ (હનફો) હુશેનભાઇ વાઘેર (જોડીયા ભૂંગા - ગુલાબશા પીરની દરગાહ પાસે)ને ઝડપી લીધો છે. આ શખ્સે જામનગરમાં પાંચ તથા સિક્કા પાટીયા નજીક એક એમ કુલ ૬ ચોરીઓ કરી છે. એવું જાહેર થયું છે.      આ શખ્સના કબજામાંથી ૬ નંગ મોબાઇલ તથા રોકડા રૂા. ૨૦૦૦૦ મળી આવ્યા છે.      આ કાર્યવાહી માં એલસીબી સ્ટાફના જયુભા, સંજયભાઇ, અશ્વિનભાઇ, હરપાલસિંહ, ભરતભાઇ, નાનજીભાઇ, ભારતીબેન વગેરે જોડાયા હતાં.

નશાબંધી સપ્તાહની પૂર્ણાહૂતિ

     જામનગરના નશાબંધી અને આબકારી વિભાગના ઇન્ચાર્જ અધક્ષિક સહદેવસિંહ વાળાના માર્ગદર્શન પ્રમાણે, આ વિભાગ દ્વારા ૨ થી ૮ ઓકટોબર દરમિયાન ગાંધીજયંતિ નિમિતે નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જે દરમ્યાન વ્યસન મુકિત માટેની લોકજાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું.      ગુરૂવારે એસટી ડેપો ખાતે એસટી વિભાગના સહયોગથી લોકજાગૃતિ માટે પત્રિકા વિતરણનો કાર્યક્રમ યોજી આ સપ્તાહની પૂર્ણાહૂતિ કરવામાં આવી છે.      આ તકે એસટી ડેપોના લેબર અધિકારી વિષ્ણુ દવે, ઇન્ચાર્જ ડેપો મેનેજર જયપાલસિંહ જાડેજા, સલાહકાર સમિતિના અભય રાવલ, પીએસઆઇ જે.કે. જાડેજા વગેરે હાજર રહ્યા હતાં.

જામજોધપુરના દુષ્કર્મ કેસનો આરોપી લાલપુરથી ઝડપાયો

     જામજોધપુર તાલુકાના વરવાળાની એક સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. એવી ફરિયાદ થઇ છે. દરમિયાન સમાજમાં આબરૂ જવાની બીકે આઘાતમાં આ પીડીતાના પિતાએ આત્મહત્યા કરી લીધી છે.      જામનગર એલસીબી એ આ કેસના આરોેપી અશ્વિન ભીમશીભાઇ વાઢિયા (રહે. વિલાસપુર, તાલુકા કુતિયાણા, જિલ્લા પોરંબદર)ને લાલપુર ટાઉનમાંથી ઝડપી લઇ આ શખ્સનો કબજો જામજોધપુર પોલીસને સોંપી દીધો છે. સ્થાનિક પોલીસ હવે અદાલતમાં રિમાન્ડની માંગણી સાથે આ શખ્સને રજૂ કરશે.

વીજતંત્રમાં પાડતોડ દરમ્યાન એક શ્રમિકનું મોત નિપજ્યું

       જામનગરના સાત રસ્તા નજીક જેટકો (વીજપરિવહન) કંપનીની એક જર્જરિત ઇમારતમાં જેટકોના સિવિલ વિભાગના એક કોન્ટ્રાકટર દ્વારા પાડતોડની કામગીરી દરમ્યાન ગુરૂવારે સવારે ૩ શ્રમિકો પ્રથમ માળેથી નીચે પડયા હતાં. પાડતો દરમ્યાન ઇમારતની છત તૂટતા આ દુર્ધટના સર્જાઇ હતી.      બનાવની જાણ થતાં ૧૦૮ મારફત ત્રણ ઇજાગ્રસ્તો જીવાભાઇ ડાયાભાઇ ખરા (ઉં.૪૫), દેવાભાઇ ધાનાભાઇ ખરા (ઉં.૫૫ રે. ચંગા), પબાભાઇ ભીખાભાઇ સાગઠિયા (ઉ.૪૫, રે નરમાણા) ને જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.      ગુરૂવારે સાંજે આ ઇજાગ્રસ્તો પૈકી ચંગાના દેવાભાઇ ધાનાભાઇ ખરા (ઉં.૫૫)નું સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું છે.

દુષ્કર્મ પીડિતાના પરિવારની મુલાકાતે હાર્દિક પટેલ-જિગ્નેશ મેવાણી

                  જામનગરની સગીરા સાથેના ગૈંગરેપની ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘાં પડયા છે. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ તથા વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગુરૂવારે સાંજે જામનગર આવ્યા હતાં.      લાલબંગલા સર્કલ ખાતે જનરલ સ્વ. રાજેન્દ્રસિંહની પ્રતિમાને નમન કર્યા પછી આ બંને નેતાઓએ યાદવનગર ખાતે પિડીતાના પરિવારજનોની મુલાકાત લઇ ન્યાય માટે બધું જ કરી છૂટવાની અને કોંગ્રેસ આપની સાથે છે એવી હૈયાધારણ આપી. રાજકીય આક્ષેપ બાજીથી દૂર રહી બંને યુવા નેતાઓએ બહેન, દીકરીઓની સુરક્ષા મુદ્‌ે પત્રકારો સમક્ષ નિવેદનો કર્યા હતાં.      તેઆની આ મુલાકાત સમયે પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, જિલ્લા કોંગ્રેસના કાર્યકારો અધ્યક્ષ કર્ણદેવસિંહ જાડેજા, દિગુભા જાડેજા, મહિલા કોંગ્રેસ અધ્યક્ષા રંજનબેન ગજેરા, વિપક્ષના નેતા અલ્તાફભાઇ ખફી વગેરે સ્થાનિક આગેવાનો સાથે રહ્યા હતાં.