જામજોધપુર તાલુકાના વરવાળાની એક સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. એવી ફરિયાદ થઇ છે. દરમિયાન સમાજમાં આબરૂ જવાની બીકે આઘાતમાં આ પીડીતાના પિતાએ આત્મહત્યા કરી લીધી છે.
જામનગર એલસીબી એ આ કેસના આરોેપી અશ્વિન ભીમશીભાઇ વાઢિયા (રહે. વિલાસપુર, તાલુકા કુતિયાણા, જિલ્લા પોરંબદર)ને લાલપુર ટાઉનમાંથી ઝડપી લઇ આ શખ્સનો કબજો જામજોધપુર પોલીસને સોંપી દીધો છે. સ્થાનિક પોલીસ હવે અદાલતમાં રિમાન્ડની માંગણી સાથે આ શખ્સને રજૂ કરશે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો