જામનગરની સગીરા સાથેના ગૈંગરેપની ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘાં પડયા છે. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ તથા વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગુરૂવારે સાંજે જામનગર આવ્યા હતાં.
લાલબંગલા સર્કલ ખાતે જનરલ સ્વ. રાજેન્દ્રસિંહની પ્રતિમાને નમન કર્યા પછી આ બંને નેતાઓએ યાદવનગર ખાતે પિડીતાના પરિવારજનોની મુલાકાત લઇ ન્યાય માટે બધું જ કરી છૂટવાની અને કોંગ્રેસ આપની સાથે છે એવી હૈયાધારણ આપી. રાજકીય આક્ષેપ બાજીથી દૂર રહી બંને યુવા નેતાઓએ બહેન, દીકરીઓની સુરક્ષા મુદ્ે પત્રકારો સમક્ષ નિવેદનો કર્યા હતાં.
તેઆની આ મુલાકાત સમયે પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, જિલ્લા કોંગ્રેસના કાર્યકારો અધ્યક્ષ કર્ણદેવસિંહ જાડેજા, દિગુભા જાડેજા, મહિલા કોંગ્રેસ અધ્યક્ષા રંજનબેન ગજેરા, વિપક્ષના નેતા અલ્તાફભાઇ ખફી વગેરે સ્થાનિક આગેવાનો સાથે રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો