જામનગરના નશાબંધી અને આબકારી વિભાગના ઇન્ચાર્જ અધક્ષિક સહદેવસિંહ વાળાના માર્ગદર્શન પ્રમાણે, આ વિભાગ દ્વારા ૨ થી ૮ ઓકટોબર દરમિયાન ગાંધીજયંતિ નિમિતે નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જે દરમ્યાન વ્યસન મુકિત માટેની લોકજાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું.
ગુરૂવારે એસટી ડેપો ખાતે એસટી વિભાગના સહયોગથી લોકજાગૃતિ માટે પત્રિકા વિતરણનો કાર્યક્રમ યોજી આ સપ્તાહની પૂર્ણાહૂતિ કરવામાં આવી છે.
આ તકે એસટી ડેપોના લેબર અધિકારી વિષ્ણુ દવે, ઇન્ચાર્જ ડેપો મેનેજર જયપાલસિંહ જાડેજા, સલાહકાર સમિતિના અભય રાવલ, પીએસઆઇ જે.કે. જાડેજા વગેરે હાજર રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો