મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ડિસેમ્બર 5, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વ્યવસાય વેરાની વસૂલાત અંગે વેપારીઓમાં નારાજગી

     જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વેપારીઓ પાસેથી વ્યવસાયવેરાની વસૂલાત માટેની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેના વેપારીવર્ગમાં પડઘાં પડયા છે.      રિટેલ વેપારી મહામંડળના પ્રમુખ શશિકાંત મશરૂ કહે છે, સિનિયર સિટીઝન ધંધાર્થીઓને આ સિનિયર સિટિઝનોને આવકના પુરાવા અંગે ધક્કા ખવડાવે છે.      ૨૦૧૬ના નિયમો તથા ૨૦૧૯ ના નવા કાયદાના સંદર્ભે પાછલાં ૪ વર્ષની તફાવતની રકમ વસૂલવામાં આવે છે તે અંગે પણ વેપારીઓએ નારાજગી દર્શાવી છે.

ભાજપાનું જામનગર મહાનગર માટેનું સંગઠન માળખું જાહેર

     પ્રદેશ ભાજપાની સૂચના પ્રમાણે જામનગર શહેર ભાજપાનું સંગઠન માળખું જાહેર થયું છે. જેમાં અધ્યક્ષ ઉપરાંત આઠ ઉપાધ્યક્ષ (ખુમાનસિંહ સરવૈયા, અમીબેન પરીખ વગેરે), ત્રણ મહામંત્રી પ્રકાશ બાંભણીયા, ગોપાલ સોરઠીયા, વિજયસિંહ જેઠવા, આઠ મંત્રી (ભાવનાબેન સોલંકી, ભાવિષાબેન ધોળકિયા વગેરે), ખજાનચી (કોષાધ્યક્ષ) વિનોદભાઇ ગોંડલીયા, કાર્યાલય મંત્રી મનહરભાઇ ત્રિવેદી તથા નિશાંતભાઇ અગારાના નામો જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ ૧૬ વોર્ડ તથા વિવિધ મોરચાના પ્રભારીઓના નામો જાહેર કરવામાં આવ્યા છે.

જામનગર યાર્ડમાં મૃતક ખેડૂતોના વારસદારોને વીમાના નાણાં

     જામનગર તાલુકાના ખેડૂત સ્વ. કિશોરભાઇ પિતાંબરભાઇ ભેંસ દડીયા (મોટી બાણુંગાર), સ્વ. શામજીભાઇ કરશનભાઇ કણઝારિયા (ચેલા) તથા સ્વ. ખિમજીભાઇ પોપટભાઇ પ્રાગડા (ઢંઢા)ના અકસ્માતે અવસાન બાદ જામનગર માર્કેટ યાર્ડના નિયમો મુજબ વીમાની રકમના રૂપિયા ૫-૫ લાખ ચૂકવવામાં આવ્યા છે.      મોટીબાણુંગારના કેસમાં ચેક તથા ચેલા અને ઢંઢાના કેસોમાં આરટીજીએસ થી રકમો આપવામાં આવી છે.      આ તકે યાર્ડના ચેરમેન રાઘવજીભાઇ પટેલ, વાઇસ ચેરમેન ધીરજલાલ કારીયા, ડીરેકટર પ્રવિણસિંહ ઝાલા તથા અન્ય પદાધિકારીઓ, અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

વાલસુરામાં બિટીંગ રિટ્રીટ

     નૌ સેના દિન નિમિતે ભારતીય નૌકાદળના વાસલુરા-જામનગર દ્વારા શુક્રવારે સાંજે બિટીંગ રિટ્રીટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું.      નેવલ બેન્ડ દ્વારા આ હૃદયંગમ્ય સંગીત કાર્યક્રમ યોજાયો. જેમાં બિટીંગ રિટ્રીટ ઉપરાંત કોમ્યુનિટી ડ્રીલ, પીટી અને મશાલ ડીસ્પ્લે યોજવામાં આવ્યું હતું. કોમ્યુનિટી ડ્રીલમાં શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું. મશાલ ડીસ્પ્લેમાં અધિકારીઓ, સોલ્જર્સ શારીરિક ક્ષમતા જોવા મળી.      સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વાલસુરાના અધિકારીઓ, જવાનો, સિવિલયનો તેમના પરિવારજનો, પત્રકારો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.