મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ડિસેમ્બર 17, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગાંધીનગર (મોમાઇનગર વિસ્તાર)માં રહેણાંક મકાનમાંથી શરાબ ઝડપાયો

     જામનગર એલસીબી ના પીઆઇ કે.જી. ચૌધરીની સૂચનાથી બે પીએસઆઇ ગોજિયા, દેવમુરારીની ટીમે ગાંધીનગર-મોમાઇનગર-૩ માં મયૂરસિંહ ભરતસિંહ જેઠવાના રહેણાંક મકાને દરોડો પાડી શરાબની ૭૫ બોટલ ઝડપી લીધી છે. આ શખ્સનો સપ્લાયર હરપાલસિંહ સજુભા જાડેજા (સરૂ સેકશન) હોવાનું પોલીસ જણાવે છે. પોલીસ તેને પણ શોધી રહી છે.

રામેશ્વનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી શરાબ ઝડપાયો

     જામનગર એલસીબી ના પીઆઇ કે.જી. ચૌધરીની સૂચનાથી બે પીએસઆઇ ગોજિયા, દેવમુરારીની ટીમે રામેશ્વરનગર, વિનાયક પાર્કમાં સેન્ટ મેરી સ્કૂલ નજીક જિગ્નેશ (લાલો) કનુભાઇ ચાવડાના મકાનમાંથી શરાબની ૩૯ બોટલ ઝડપી લીધી છે. રામેશ્વરનગરનો રાહુલ હરિશભાઇ ઘેડીયા તથા હરપાલસિંહ સજુભા જાડેજા (સરૂ સેકશન) આ શરાબના સપ્લાયર હોય પોલીસ આ બંને શખ્સોને શોધી રહી છે.

લોહાણા કન્યા છાત્રાલયનું ગૌરવ

       ખંભાળિયા જલારામ મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ રમેશચંદ્ર બાલકૃૃષ્ણ લાલના માતાના ૯૧ માં જન્મદિનની ઊજવણી નિતિમે "માતૃ શ્રી વિરબાઇમા નું યોગદાન" વિષય પર સોશિયલ મિડીયાના માધ્યમથી યોજાયેલી વક્રત્વ સ્પર્ધામાં જામનગર લોહાણા કન્યા છાત્રાલયની દતાણી નિરાલી, બીજા ક્રમે, કોટક પ્રિયા ત્રીજા ક્રમે, નેહલ બરછા છઠ્ઠા ક્રમે તથા દતાણી હેતલ સાતમા ક્રમે વિજેતા થઇ.       લોહાણા કન્યા છાત્રાલય વતી ગૃહમાતા ભાવનાબેન પોપટ-પાંઉએ તમામ દીકરીઓને અભિનંદન આપ્યા છે.

પ્રતિમાઓની સ્વચ્છતા એનસીસીને

     જામનગરમાં મહાનુભાવોની પ્રતિમાઓને સ્વચ્છ રાખવાની જવાબદારી આગામી ૬ મહિના સુધી એનસીસી કેડેટ્સ (હરિયા કોલેજ)ને સોંપવામાં આવી છે.      એનસીસીના લેફટનન્ટ પ્રભાંશુ અવસ્થી, એનસીસીના અધિકારી અસ્મિતા ઝાલા તથા હરિયા કોલેજના પ્રિન્સિપાલ સ્નેહલ કોટક-પલાણના માર્ગદર્શન હેઠળ એનસીસીના ભાઇઓ તથા બહેનોએ જામનગરમાં રણજિતનગર પટેલ સમાજ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને આ કામગીરીના ભાગરૂપે સ્વચ્છ કરી હતી.      જામનગર મહાનગરપાલિકા દર ૧૫ દિવસે પ્રતિમાઓ સ્વચ્છ કરે તે પ્રકારની વ્યવસ્થા ચાલતી હતી. તેમાં હવે આ નવી વ્યવસ્થા કરવામાં આવી છે.