જામનગરમાં મહાનુભાવોની પ્રતિમાઓને સ્વચ્છ રાખવાની જવાબદારી આગામી ૬ મહિના સુધી એનસીસી કેડેટ્સ (હરિયા કોલેજ)ને સોંપવામાં આવી છે.
એનસીસીના લેફટનન્ટ પ્રભાંશુ અવસ્થી, એનસીસીના અધિકારી અસ્મિતા ઝાલા તથા હરિયા કોલેજના પ્રિન્સિપાલ સ્નેહલ કોટક-પલાણના માર્ગદર્શન હેઠળ એનસીસીના ભાઇઓ તથા બહેનોએ જામનગરમાં રણજિતનગર પટેલ સમાજ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને આ કામગીરીના ભાગરૂપે સ્વચ્છ કરી હતી.
જામનગર મહાનગરપાલિકા દર ૧૫ દિવસે પ્રતિમાઓ સ્વચ્છ કરે તે પ્રકારની વ્યવસ્થા ચાલતી હતી. તેમાં હવે આ નવી વ્યવસ્થા કરવામાં આવી છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો