મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર 14, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જામનગરમાં નવી ૧૦ CNG બસ

     જામનગરમાં જાહેર પરિવહન માટે વધુ ૧૦ CNG બસ ફાળવવામાં આવી છે. શુક્રવારે મુખ્યમંત્રી દ્વારા આ પૈકી ૩ બસોને લીલીઝંડી આપવામાં આવી. પ્રદુષણ ઘટાડવા રાજ્યમાં CNG બસોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી વર્ષોમાં આ શ્રેણીમાં ઇલેકટ્રિક બસો પણ આવશે. સીટીમાં ચાલનારી બસમાં ૩૦ લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગર શહેરના વિસ્તારોને ધ્યાનમાં લઇ તો ૪૦ જેટલી બસની જરૂરિયાત છે.      આ લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજ્યમંત્રી હકુભા (ધર્મેન્દ્રસિંહ) જાડેજા, કમિશનર સતિષ પટેલ, ડેપ્યુટી મેયર કરશન કરમૂર, સ્ટેન્ડીંગ ચેરમેન સુભાષભાઇ જોષી, શહેર ભાજપા અધ્યક્ષ ડો. વિમલ કગથરા, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઇ હીંડોચા, કિશન માડમ વગેરે હાજર રહ્યા હતાં.

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને પ્રાપ્ત થયું નેશનલ ઇમ્પોર્ટન્સ

     કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા જામનગર ખાતે આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના શિક્ષણ-સંશોધન વિભાગના  ITRA ને આયુર્વેદના શિક્ષણ માટે રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ ગઇકાલે શુક્રવારે આ દરજ્જો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એનાયત કર્યો. WHO દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીશીન માટે એકમાત્ર ભારતની પસંદગી કરવામાં આવી.      દેશમાં કાર્યરત વેલનેસ સેન્ટર પૈકી સાડા બાર હજાર સેન્ટર માત્ર આયુર્વેદ ચિકિત્સા પર આધારિત છે. સમગ્ર ભારતમાં કોરોના અંકુશમાં છે, તેમાં આયુર્વેદનો મોટો ફાળો હોવાનું પણ વડાપ્રધાને સ્વીકાર્યુ હતું.      આ તકે જામનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ, આરોગ્ય સચિવ જયંતિ રવિ, ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, સાંસદ પૂનમબેન માડમ, કૃષિમંત્રી આર.સી. ફળદુ, રાજ્યમંત્રી હકુભા (ધર્મેન્દ્રસિંહ)જાડેજા, જામનગરના પ્રભારી નલીનભાઇ ઉપાધ્યાય, મેયર હસમુખભાઇ જેઠવા, યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડો. અનુપ ઠાકર વગેરે ઉપસ્થિત...

સંક્ષિપ્ત સમાચાર

જામનગરમાં કોરોનાની ગતિમાં મંદ પડી છે. શુક્રવારે ૨૩ પોઝિટીવ કેસ જાહેર થયા છે. કોરોના હોસ્પિટલમાં ચાર દર્દીઓના મૃત્યુ થયા છે. જિલ્લામાં વધુ ૯ લોકો સંક્રમિત થયા છે. ૨૪ દર્દીઓ સાજાં થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જામનગરમાં જમીન માફિયાગીરીનાં મામલાઓમાં જામનગરના એક પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારીના નામની ચર્ચા છે. તેઓની ભૂમિકા જમીનોના પ્રકરણમાં મહત્વની હતી એમ કહેવાય છે. જો કે આ પૂર્વ અધિકારીનુંં નામ હજૂ પોલીસતંત્રએ જાહેર કર્યુ  નથી. જામનગરના એન.ડી. મેરાલિક કારખાનામાં ટેકસ ચોરી ઝડપાઇ છે: માલિકે રૂપિયા ૧ કરોડ ભર્યો: કુલ રૂપિયા ૨.૩૩ કરોડની ઇન્પુટ ટેકસ ક્રેડીટ ચોરી ખૂલ્લી પડી. ધ્રોળના વિજય ભગવાનજી પરમાર નામના વિદ્યાર્થીએ વકીલ હેમંત ગેલજી ચાવડા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી: વકીલે ફોનમાં અયોગ્ય વાણી વિલાસ કર્યાની ફરિયાદ જામનગરના નજીકના શાપરમાં બે દિવસ પહેલાં ગોવિંદ કારણભાઇ બાંભવાની પુત્રી સવિતાબેન ગૂમ થયેલી. દરમ્યાન આ યુવતીનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો છે. પોલીસ સમક્ષ પરિવારજનોએ એવું જાહેર કયું< છે કે, આ યુવતી માનસિક બિમારીથી પિડાતી હતી. જામનગર નજીકના હાપામાં વૃંદાવન સોસાયટીમાં લક્ષ્મી વિન...