કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા જામનગર ખાતે આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના શિક્ષણ-સંશોધન વિભાગના ITRAને આયુર્વેદના શિક્ષણ માટે રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ ગઇકાલે શુક્રવારે આ દરજ્જો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એનાયત કર્યો. WHO દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીશીન માટે એકમાત્ર ભારતની પસંદગી કરવામાં આવી.
દેશમાં કાર્યરત વેલનેસ સેન્ટર પૈકી સાડા બાર હજાર સેન્ટર માત્ર આયુર્વેદ ચિકિત્સા પર આધારિત છે. સમગ્ર ભારતમાં કોરોના અંકુશમાં છે, તેમાં આયુર્વેદનો મોટો ફાળો હોવાનું પણ વડાપ્રધાને સ્વીકાર્યુ હતું.
આ તકે જામનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ, આરોગ્ય સચિવ જયંતિ રવિ, ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, સાંસદ પૂનમબેન માડમ, કૃષિમંત્રી આર.સી. ફળદુ, રાજ્યમંત્રી હકુભા (ધર્મેન્દ્રસિંહ)જાડેજા, જામનગરના પ્રભારી નલીનભાઇ ઉપાધ્યાય, મેયર હસમુખભાઇ જેઠવા, યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડો. અનુપ ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો