મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

સપ્ટેમ્બર 19, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વાલસુરા દ્વારા સામૂહિક કોસ્ટલ ક્લિનઅપ મેગા ડ્રાઈવ ...

     જામનગર સ્થિત નેવીની પાંખ INS વાલસુરા દ્વારા આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સ્વચ્છતા અભિયાન અંતર્ગત  તારીખ 18-09-2022 ને રવિવારના રોજ જામનગરમાં વાલસુરા નજીક મરીન પોલીસ સ્ટેશન પાસેના વિસ્તારમાં દરિયાકાંઠા સફાઈ અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના લોકોને પણ સેનાના જવાનો સાથે આ અભિયાનમાં જોડાવા INS વાલસુરા દ્વારા અપીલ કરવામાં આવી હતી.      રવિવારે સવારે 6:30 કલાકે નેવી વાલસુરા નજીક મરીન પોલીસ સ્ટેશનથી લઈ રોજી પોર્ટ સુધીના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.  

બે વાહનચોર ઝડપાયા

     જામનગર એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા બે વાહનચોરને શોધી કાઢવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી એક મોટરસાયકલ કબજે લેવામાં આવ્યું છે. આરોપીઓનાં નામો હારૂન ઈબ્રાહિમ ખોડ (જોડિયાભૂંગા) તથા હસન સતાર પાલેજા (બેડી) છે. મોટરસાયકલ નાં નંબર જીજે ૧૦ ડી ૪૫૯૧ જાહેર કરવામાં આવ્યા છે. સેન્ટ આન્સ સ્કૂલ નજીકથી આ શખ્સો પકડાયા છે. આરોપીઓનો કબજો સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.

વડાપ્રધાનનાં જન્મદિન નિમિત્તે બાળઆરોગ્ય કેમ્પ

       પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે તેમજ  જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા ના માર્ગદર્શન મુજબ સેવા પખવાડિયા અંતર્ગત      ડો.કલ્પેશ એસ. મકવાણા  કુપોષણ નાબૂદી અભિયાન અંતર્ગત , કુપોષિત બાળકો ને અનુલક્ષીને , તેમના દ્રારા અવિરત ૧૪ મા ફ્રી કેમ્પ નું આયોજન કાલાવડ તાલુકા ના મોટા વડાળા ખાતે PHC મા તા.૧૮/૦૯/૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું હતું . જેમાં બાળકોના આરોગ્ય વિશે જાગૃતિ વધારવા તેમજ બીમાર તથા કુપોષિત બાળકો ને પ્રાધાન્ય આપવા વિનામુલ્યે નિદાન તેમજ વિના મુલ્યે દવા વિતરણ ના કેમ્પ નુ આયોજન તેમના હોસ્પિટલનાં સ્ટાફ સાથે કરવામાં આવ્યું હતું.      આ કેમ્પ મા કુપોષિત બાળકો ની સાથે સાથે , વાતાવરણ ના લીધે તાવ, શર્દી, ઉધરસ, ઝાડા- ઉલ્ટી , તેમજ અપચો થવો, ચામડી ના રોગો જેવા અનેક પ્રકાર ના બાળ દર્દીઓ ને તપાસવા મા આવ્યા હતા અને બહોળી સંખ્યા મા લોકો એ કેમ્પ નો લાભ લિધો હતો.      આ કેમ્પ મા કાલાવડ  કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ એમ.પી.  ડાંગરિયા , તાલુકા ભાજપ પ્રમુખ સંજય ડાંગરિયા, મહામંત્રી છગન સોરઠિયા , એ.પ...

સ્વરસ આત્મનિર્ભરતા તરફ એક પગલું

     COWE અને SIDBI ના સહયોગથી  પિન્ક ફૉઉન્ડેશનની જે બહેનો પોતાનો વ્યવસાય ચાલુ કરવા માંગતી હોય એમના માટે જામનગર થી બનાવેલી પ્રથમ "ફ્રૂટ જ્યુસ કાર્ટ " નું વિતરણ  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું.      પ્રથમ બે લાભાર્થી બહેનો ધર્મિષ્ઠા બેન તથા નયના બેન ને કાર્ટ વિતરણ કરવા માં આવ્યું હતું.      આ યોજના ની વિશેષતા એ છે કે કાર્ટ , ડીસ્પોસેબલ ગ્લાસ , જ્યુસર , આઈસ બોક્સ તદ્દન ફ્રી લાભાર્થી ને મળે છે સાથે 2 મહિના સુધી જ્યુસ બનાવવા માટે ના ફળ ના રૂપિયા પણ આપવા માં આવે છે જે થી આસાની થી વ્યવસાય ચાલુ કરી શકે વગર રોકાણે . જો 2 વર્ષ પેહલા વ્યવસાય બંધ કરે છે તો કાર્ટ પાછી આપવાની રહે છે એ સિવાય કોઈ શરત નથી  

ટાઉનહોલમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો

     કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગરના ટાઉનહૉલ ખાતે સરકારે ૨૦ વર્ષના  વિકાસની ઉજવણી અંતર્ગત “ વિશ્વાસ થી વિકાસ યાત્રા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્વ સહાય જૂથોને ચેક વિતરણ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડના લભાર્થીઓને કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લાની મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે હેતુથી ત્રણ ગ્રામ સંગઠનોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ હેઠળ કુલ રૂ.૨૨ લાખ ૫૦ હજારની રકમના ચેક, બે સખી મંડળોને રૂ.૬ લાખની કેશ ક્રેડિટ લોન તેમજ સ્વ સહાય જૂથો ને કુલ રૂ.૧૧ લાખની રકમની ટર્મ લોન તેમજ આયુષ્માન કાર્ડના ૫ મહિલા લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ સ્વ સહાય જૂથો અંગે ફિલ્મ બતાવવામાં આવી હતી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થતિમાં અમદાવાદ ખાતે આયોજિત રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. બાદમાં મંત્રીએ જામનગર મહાનગર પાલિકા આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પની પણ મુ...

લોકપ્રશ્નો અંગે સમીક્ષાબેઠક યોજાઈ ગઈ

     કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલે જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી લોકોના પડતર પ્રશ્નો અને રજૂઆતો અંગે સમીક્ષા કરી હતી.      બેઠકમાં મંત્રીએ માર્ગ અને મકાન વિભાગના રોડ રસ્તાના કામો, સિંચાઈ વિભાગ, પંચાયત બાંધકામ વિભાગ, એસ.ટી. વિભાગ, નાગરિક પુરવઠા વિભાગના કામો, મહાનગરપાલિકા હસ્તકના રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, પાણી, સ્ટ્રીટ લાઈટ વગરે પ્રશ્નો, પાણી પુરવઠા વિભાગ, ધ્રોલ-કાલાવડ તાલુકાના પીવાના પાણીના પ્રશ્નો, સૌની યોજના અંગેના પ્રશ્નો વગેરેની ઉપસ્થિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી સમીક્ષા કરી હતી તેમજ સત્વરે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું.      બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર  વિજય ખરાડી, અધિક નિવાસી કલેકટર  બી.એન.ખેર, પ્રાંત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, કાર્યપાલક ઈજનેર સ્ટેટ તથા પંચાયત, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી,  પાણી પુરવઠા અધિકારી સહિતના સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.