જામનગર સ્થિત નેવીની પાંખ INS વાલસુરા દ્વારા આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સ્વચ્છતા અભિયાન અંતર્ગત તારીખ 18-09-2022 ને રવિવારના રોજ જામનગરમાં વાલસુરા નજીક મરીન પોલીસ સ્ટેશન પાસેના વિસ્તારમાં દરિયાકાંઠા સફાઈ અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના લોકોને પણ સેનાના જવાનો સાથે આ અભિયાનમાં જોડાવા INS વાલસુરા દ્વારા અપીલ કરવામાં આવી હતી. રવિવારે સવારે 6:30 કલાકે નેવી વાલસુરા નજીક મરીન પોલીસ સ્ટેશનથી લઈ રોજી પોર્ટ સુધીના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.