મુખ્ય સામગ્રી પર જાઓ

વડાપ્રધાનનાં જન્મદિન નિમિત્તે બાળઆરોગ્ય કેમ્પ

 

    પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે તેમજ  જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા ના માર્ગદર્શન મુજબ સેવા પખવાડિયા અંતર્ગત

    ડો.કલ્પેશ એસ. મકવાણા  કુપોષણ નાબૂદી અભિયાન અંતર્ગત , કુપોષિત બાળકો ને અનુલક્ષીને , તેમના દ્રારા અવિરત ૧૪ મા ફ્રી કેમ્પ નું આયોજન કાલાવડ તાલુકા ના મોટા વડાળા ખાતે PHC મા તા.૧૮/૦૯/૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું હતું . જેમાં બાળકોના આરોગ્ય વિશે જાગૃતિ વધારવા તેમજ બીમાર તથા કુપોષિત બાળકો ને પ્રાધાન્ય આપવા વિનામુલ્યે નિદાન તેમજ વિના મુલ્યે દવા વિતરણ ના કેમ્પ નુ આયોજન તેમના હોસ્પિટલનાં સ્ટાફ સાથે કરવામાં આવ્યું હતું.

    આ કેમ્પ મા કુપોષિત બાળકો ની સાથે સાથે , વાતાવરણ ના લીધે તાવ, શર્દી, ઉધરસ, ઝાડા- ઉલ્ટી , તેમજ અપચો થવો, ચામડી ના રોગો જેવા અનેક પ્રકાર ના બાળ દર્દીઓ ને તપાસવા મા આવ્યા હતા અને બહોળી સંખ્યા મા લોકો એ કેમ્પ નો લાભ લિધો હતો.

    આ કેમ્પ મા કાલાવડ  કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ એમ.પી.  ડાંગરિયા , તાલુકા ભાજપ પ્રમુખ સંજય ડાંગરિયા, મહામંત્રી છગન સોરઠિયા , એ.પી.એમ.સી. ચેરમેન યુવરાજસિંહ જાડેજા , સરપંચ  નિકુંજ કોટડિયા , ઉપસરપંચ ઇકબાલભાઇ તથા મોટા વડાળા ગ્રામ પંચાયત સદસ્યો અને આસપાસ ના ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા અને લોકો ને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...