જામનગરના ૧૫૦ સહિત રાજ્યભરના ૨૦૦૦ જેટલાં ઇન્ટર્ન તબીબોએ ગઇકાલથી ફરી હડતાળ શરૂ કરી છે. તેઓના સ્ટાઇપેન્ડ વધારા સહિતની માંગણીઓ લાંબા સમયથી સરકારમાં પડતર છે. તબીબોએ વારંવાર રજૂઆતો પણ કરી છે. આખરે થાકીને હડતાળ પર ઉતર્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી (આરોગ્ય મંત્રી) નિતિન પટેલ ગઇકાલે જણાવ્યુ છે કે, આ હડતાળ ગેરકાયદેસર-ગેરવ્યાજબી છે. જો હડતાળ સમેટી લેવામાં નહીં આવે તો આકરાં પગલાં લેવાશે. આ તબીબોને પીજી અભ્યાસક્રમમાં એડમિશન આપવામાં નહીં આવે એવી ચિમકી પણ આરોગ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. આજે ઇન્ટર્ન તબીબોએ મેડીકલ કોલેજ નજીક પોસ્ટરો લઇને બસી ગયા હતાં. ઇન્ટર્ન તબીબોના જણાવ્યા પ્રમાણ બધાં જ રાજ્ય કરતાં ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવતુંં સ્ટાઇપેન્ડ બહુ ઓછું છે. અન્ય રાજ્ય કર્ણાટક, આસામ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૩૦૦૦૦, દિલ્હીમાં ૨૩૦૦૦, હિમાચલ પ્રદેશમાં ૧૭૦૦૦ જ્યારે ગુજરાતમાં ફકત રૂપિયા ૧૨,૫૦૦ સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ગર્વનર દ્વારા દેશની તમામ કોલેજોમાં ઇન્ટર્ન ડોકટર્સને સ્ટાઇપેન્ડ ઓછા...