મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ટર્ન તબીબોની સતત બીજે દિવસે હડતાળ

    જામનગરના ૧૫૦ સહિત રાજ્યભરના ૨૦૦૦ જેટલાં ઇન્ટર્ન તબીબોએ ગઇકાલથી ફરી હડતાળ શરૂ કરી છે. તેઓના સ્ટાઇપેન્ડ વધારા સહિતની માંગણીઓ લાંબા સમયથી સરકારમાં પડતર છે. તબીબોએ વારંવાર રજૂઆતો પણ કરી છે. આખરે થાકીને હડતાળ પર ઉતર્યા છે.

    રાજ્યના નાયબ મુખ્યમંત્રી (આરોગ્ય મંત્રી) નિતિન પટેલ ગઇકાલે જણાવ્યુ છે કે, આ હડતાળ ગેરકાયદેસર-ગેરવ્યાજબી છે. જો હડતાળ સમેટી લેવામાં નહીં આવે તો આકરાં પગલાં લેવાશે. આ તબીબોને પીજી અભ્યાસક્રમમાં એડમિશન આપવામાં નહીં આવે એવી ચિમકી પણ આરોગ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે.

    આજે ઇન્ટર્ન તબીબોએ મેડીકલ કોલેજ નજીક પોસ્ટરો લઇને બસી ગયા હતાં. ઇન્ટર્ન તબીબોના જણાવ્યા પ્રમાણ બધાં જ રાજ્ય કરતાં ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવતુંં સ્ટાઇપેન્ડ બહુ ઓછું છે. અન્ય રાજ્ય કર્ણાટક, આસામ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૩૦૦૦૦, દિલ્હીમાં ૨૩૦૦૦, હિમાચલ પ્રદેશમાં ૧૭૦૦૦ જ્યારે ગુજરાતમાં ફકત રૂપિયા ૧૨,૫૦૦ સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.

    મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ગર્વનર દ્વારા દેશની તમામ કોલેજોમાં ઇન્ટર્ન ડોકટર્સને સ્ટાઇપેન્ડ ઓછામાં ઓછું ૨૦૦૦૦ રૂપિયા આપવા માટે ૨૦૧૮માં આદેશ છતાં અમલ નથી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...