મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ટર્ન તબીબોની સતત બીજે દિવસે હડતાળ

    જામનગરના ૧૫૦ સહિત રાજ્યભરના ૨૦૦૦ જેટલાં ઇન્ટર્ન તબીબોએ ગઇકાલથી ફરી હડતાળ શરૂ કરી છે. તેઓના સ્ટાઇપેન્ડ વધારા સહિતની માંગણીઓ લાંબા સમયથી સરકારમાં પડતર છે. તબીબોએ વારંવાર રજૂઆતો પણ કરી છે. આખરે થાકીને હડતાળ પર ઉતર્યા છે.

    રાજ્યના નાયબ મુખ્યમંત્રી (આરોગ્ય મંત્રી) નિતિન પટેલ ગઇકાલે જણાવ્યુ છે કે, આ હડતાળ ગેરકાયદેસર-ગેરવ્યાજબી છે. જો હડતાળ સમેટી લેવામાં નહીં આવે તો આકરાં પગલાં લેવાશે. આ તબીબોને પીજી અભ્યાસક્રમમાં એડમિશન આપવામાં નહીં આવે એવી ચિમકી પણ આરોગ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે.

    આજે ઇન્ટર્ન તબીબોએ મેડીકલ કોલેજ નજીક પોસ્ટરો લઇને બસી ગયા હતાં. ઇન્ટર્ન તબીબોના જણાવ્યા પ્રમાણ બધાં જ રાજ્ય કરતાં ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવતુંં સ્ટાઇપેન્ડ બહુ ઓછું છે. અન્ય રાજ્ય કર્ણાટક, આસામ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૩૦૦૦૦, દિલ્હીમાં ૨૩૦૦૦, હિમાચલ પ્રદેશમાં ૧૭૦૦૦ જ્યારે ગુજરાતમાં ફકત રૂપિયા ૧૨,૫૦૦ સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.

    મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ગર્વનર દ્વારા દેશની તમામ કોલેજોમાં ઇન્ટર્ન ડોકટર્સને સ્ટાઇપેન્ડ ઓછામાં ઓછું ૨૦૦૦૦ રૂપિયા આપવા માટે ૨૦૧૮માં આદેશ છતાં અમલ નથી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...