જામનગરમાં વારંવારની નોટિસ પછી પણ હોસ્પિટલ-હોટલ જેવા વ્યવસાયોમાં ધંધાર્થીઓ નિયમ મુજબનું ફાયર એનઓસી મેળવતાં નથી આથી કડક પગલાંના ભાગરૂપે મહાનગરપાલિકાએ પાંચ હોસ્પિટલના નળજોડાણ કાપ્યા છે. જોડાણો કાપવાની કામગીરી વોટરવર્કસ શાખાએ કરી હતી.
શાહ મેડીકલ ફાઉન્ડેશન, ભગવતી યુરોલોજી, જય હોસ્પિટલ, સોલંકી ઓર્થોપેડી હોસ્પિટલ તથા મમતા મેટરનિટી સેન્ટરના નળજોડાણો કાપવામાં આવ્યા છે. બાકીના ધંધાર્થીઓએ ૭૨ કલાકમાં ફાયર એનઓસી મેળવવા સૂચના છે.
જામનગરમાં હોટેલ, રેસ્ટોરેન્ટ, શાળા, કોલેજો, ટયૂશન કલાસીસ, હોસ્પિટલ વગેરે મળી ૧૦૬૯ ઇમારતો પૈકી માડં ૩૦૦ જેટલી ઇમારતો જ સલામત છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો