મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ડિસેમ્બર 7, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

હોમગાર્ડઝ દિનની ઉજવણી

     ૬ ડિસેમ્બર હોમગાર્ડઝ સ્થાપના દિન તથા નાગરિક સંરક્ષણ દિન નિમિતે જામનગર હોમગાર્ડઝ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કમાન્ડર સુરેશ ભીંડીના અધ્યક્ષસ્થાને કોમર્સ કોલેજ કમ્પાઉન્ડમાં પરેડ તથા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવેલું જેમાં ઇન્સ્પેકટર ડી.પી. જાડેજા વગેરે જોડાયા હતાં.      હોમગાર્ડઝ કચેરી (જિલ્લા) ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું. સમગ્ર ઉજવણીમાં શહેર હોમગાર્ડઝનાં રાજેશ પાણખાણિયા, હરૂભા જાડેજા, વિજયસિંહ વાળા, હિતેષ જેઠવા, કમલેશ ગઢિયા, યજ્ઞેશ વ્યાસ, કૈલાશ જેઠવા, ભાવનાબેન અંબાસણા, હિમાંશુ પુરોહિત તથા જયેશ રાણા વગેરે જોડાયા હતાં.

કોરોના હોસ્પિટલમાં મોકડ્રીલ

     જામનગરની કોરોના હોસ્પિટલમાં તંત્રોએ વધુ એક વખત આગ, બચાવની મોકડ્રીલ (ડેમોન્સ્ટ્રેશન) યોજી હતી. કોરોના હોસ્પિટલમાં ધારો કે આગ લાગી છે તો તંત્ર દ્વારા કઇ રીતે બચાવ થાય તેનું નિર્દેશન કરવામાં આવ્યું.      ફાયરબ્રિગેડની ટીમ, હોસ્પિટલના સુરક્ષા કર્મીઓ, સ્ટાફ વગેરે મોકડ્રીલમાં જોડાયા હતાં. રવિવારે સવારે ૧૧ વાગ્યે યોજાયેલાં આ કાર્યક્રમમાં કલેકટર રવિશંકર, મેડીકલ કોલેજના ડીન-ઇન્ચાર્જ અધિક્ષક, ચિફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇ વગેરે જોડાયા હતાં. સમગ્ર મોકડ્રીલ ૧ કલાક ૪૦ મિનીટ ચાલી હતી જેમાં પોલીસ અધિકારી તથા સ્ટાફને પણ જોડવામાં આવ્યા હતાં.

ડો. આંબેડકરની પ્રમિતાને પુષ્પાંજલિ

     રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા)જાડેજા, પ્રવિણસિંહ વગેરે દ્વારા છઠ્ઠી ડિસેમ્બરે લાલ બંગલા સર્કલ ખાતે  ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આંબેડકર પ્રતિમાને પુષ્પ અર્પણ

     જામનગર મહિલા કોંગ્રેસના અધ્યક્ષા રંજનબેન ગજેરા, શહેર કોંગ્રેસના મહામંત્રી સાજિદ બ્લોચ, લઘુમતી સેલના પ્રમુખ મોહમ્મદ અબરાર ગજિયા, પ્રદેશ ઉપપ્રમુખ ભરતવાળા, કોર્પોરેટરો આનંદ રાઠોડ, આનંદ ગોહિલ, દેવશી આહિર, પૂર્વ મેયર ગોવિંદ રાઠોડ વગેરેએ રવિવારે લાલબંગલા સર્કલ ખાતે ડો. આંબેડકરની પ્રતિમાને હારતોરાં કર્યા હતાં.

આરએસએસ ભવનમાં બેઠક સંપન્ન

     જામનગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ભવનમાં આરએસએસ તથા વિશ્વ હિન્દુ પરિષદનાં આગેવાનો, કાર્યકરોની બેઠક યોજવામાં આવેલી, જેમાં દેશવ્યાપી અભિયાનનાં ભાગરૂપે ૧૫ જાન્યુઆરીથી ૨૭ ફેબ્રુઆરી સુધી જામનગર શહેર-જિલ્લામાં પણ રામમંદિર (અયોધ્યા) નિર્માણ માટે ધનસંગ્રહ અભિયાન હાથ ધરવામાં આવશે.      સૌરાષ્ટ્ર પ્રાંતની જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદનાં રાષ્ટ્રીય પ્રવકતા દેવજીભાઇ રાવતને સોંપવામાં આવી છે. જામનગર જિલ્લામાં અભિયાનના સહપ્રમુખની જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મહામંત્રી ધર્મેશ ગોંડળિયાને તથા શહેર સહપ્રમુખની જવાબદારી સુબ્રહ્મણ્યમ પિલ્લેને સોંપવામાં આવી છે.      આ બેઠકમાં બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, વિશાલ ખખ્ખર, જિલ્લા અધ્યક્ષ ભરત ફલિયા, નિમિષાબેન ત્રિવેદી, હીનાબેન અગ્રાવત વગેરે જોડાયા હતાં.