જામનગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ભવનમાં આરએસએસ તથા વિશ્વ હિન્દુ પરિષદનાં આગેવાનો, કાર્યકરોની બેઠક યોજવામાં આવેલી, જેમાં દેશવ્યાપી અભિયાનનાં ભાગરૂપે ૧૫ જાન્યુઆરીથી ૨૭ ફેબ્રુઆરી સુધી જામનગર શહેર-જિલ્લામાં પણ રામમંદિર (અયોધ્યા) નિર્માણ માટે ધનસંગ્રહ અભિયાન હાથ ધરવામાં આવશે.
સૌરાષ્ટ્ર પ્રાંતની જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદનાં રાષ્ટ્રીય પ્રવકતા દેવજીભાઇ રાવતને સોંપવામાં આવી છે. જામનગર જિલ્લામાં અભિયાનના સહપ્રમુખની જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મહામંત્રી ધર્મેશ ગોંડળિયાને તથા શહેર સહપ્રમુખની જવાબદારી સુબ્રહ્મણ્યમ પિલ્લેને સોંપવામાં આવી છે.
આ બેઠકમાં બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, વિશાલ ખખ્ખર, જિલ્લા અધ્યક્ષ ભરત ફલિયા, નિમિષાબેન ત્રિવેદી, હીનાબેન અગ્રાવત વગેરે જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો