મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર 12, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

  જામનગરમાં અત્યાર સુધીમાં માસ્ક ધારણ ન કરવા બદલ ૧૫૪૦૩ લોકો પાસેથી રૂપિયા ૫૧ લાખ ૪૭ હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે. જે પૈકી ૨૦ લાખ નો દંડ કોર્પોરેસને, ૩૧ લાખનો દંડ ટ્રાફિક પોલીસે વસૂલ્યો છે. દંડની આ રકમમાંથી જામનગર-દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોને માસ્ક વિના મૂલ્યે આપવામાં આવે તો પણ કોર્પોરેશન પાસે ૪.૫ લાખ રૂપિયા વધે એ પ્રકારના આ આંકડાઓ છે. જામનગર જિલ્લાના ૬ માર્કેટ યાર્ડ ખાતે અત્યાર સુધીમાં ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળીની કુલ ૨૦૪૪૭૦ ગુણી ખરીદવામાં આવી છે. જામનગર જિલ્લામાં દિવાળી પર્વ નિમિતે રાત્રે ૮ થી ૧૦ વાગ્યા દરમ્યાન જ ફટાકડા ફોડી શકાશે. હોસ્પિટલ, પેટ્રોલપંપ જેવા સ્થળોની નજીક ફટાકડા ફોડી શકાશે નહી. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દોઢિયા ગામની સિમમાં સિક્કા પોલીસે દરોડો પાડી શરાબની ૬૩૬ બોટલ ઝડપી છે. સાગર વશરામ પિંગળની વાડીમાં દરોડો પાડવામાં આવેલો. સાગર ઉપરાંત વિરેન્દ્રસિંહ સતુભા ચાવડા, પ્રવિણસિંહ નગસિંહ સોલંકીને ઝડપી લેવામાં આવ્યા છે. જામનગર એસપી દ્વારા ગઇકાલે બુધવારે જિલ્લાના કુલ ૨૫૨ પોલીસકર્મીઓની સાગમટે આંતરિક બદલીઓ કરવામાં આવી છે. આ તમામ હ...

ક્ષત્રિય સમાજની માંગણી સ્વિકારતા પદાધિકારીઓનો આભાર

     જામનગરમાં ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા, શહેરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવાની માંગણીના અનુસંધાને મહાનગરપાલિકાએ નવા કોર્ટ બિલ્ડીંગના સામેના સર્કલમાં પ્રતિમા મૂકી આ સર્કલનું નામકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય, વોર્ડ નંબર ૨ ના નગરસેવક જયેન્દ્રસિંહ ઝાલા સહિતના ક્ષત્રિય યુવાનોએ તમામ મહાનુભાવોનો આભાર માની મેયર હસમુખભાઇ જેઠવા તથા સ્ટેન્ડીગ કમિટી ચેરમેન સુભાષભાઇ જોષીનું પુષ્પહાર તથા સાલ ઓઢાડી સન્માન કયું< છે અને ખુશીની લાગણી વ્યકત કરી છે.

જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા મંગાવવામાં આવતી અરજી

     ભારતી સરકારી સોઇલ હેલ્થ કાર્ડસ્કીમ અંતર્ગત દેશભરમાં જમીન ચકાસણી માટે પ્રયોગશાળા બનાવવા રૂપિયા ૫ લાખનો ખર્ચ થાય જે પૈકી રૂપિયા ૩.૭૫ લાખ સરકાર દ્વારા લાભાર્થીને નાણાંકીય સહાય આપવામાં આવશે. કોઇ પણ કક્ષાએ આવી પ્રયોગશાળા સ્થાપી શકાશે. વધુ વિગતો માટે નાયબ ખેતી નિયામક, જિલ્લા સેવા સદન-૨, લાલ બંગલો જામનગર નો તારીખ ૧૧ ડિસેમ્બર સુધીમાં સંપર્ક સાધવો.

સ્વચ્છતા અંગે જનજાગૃતિ

       જામનગર વોર્ડ નંબર ૩ માં સ્વચ્છતા અંગે જનજાગૃતિના પ્રસાર માટે કોેર્પોરેશન દ્વારા પત્રિકા વિતરણ કરવામાં આવ્યું. આ તકે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષભાઇ જોષી, કોર્પોરેટર દિનેશભાઇ પટેલ (પૂર્વ મેયર) તથા ભાજપાના સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતાં.      અત્રે નોંધનિય છે કે, થોડા થોડાં દિવસોના અંતરે આ એક જ વિસ્તારમાં આ પ્રકારના કાર્યક્રમો યોજાય છે. જામનગરના બાકીના વિસ્તારોમાં લોકોને કોર્પોરેટર દ્વારા શા માટે જાગૃત કરવામાં નથી આવતાં?

કામની મુલાકાતે પદાધિકારીઓ

       જામનગરના વોર્ડ નંબર ૫ માં સ્વસ્તિક સોસાયટી વિસ્તારમાં વરસાદના પાણીના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઇ જોષી વગેરેએ આ સ્થળની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ  કર્યું  અને કામ અંગે અધિકારીઓને સુચનાઓ આપી હતી.

પિસ્તોલ સાથે ઝડપાયો

     જામનગર એલસીબીના બે પીએસઆઇ આર.બી. ગોજિયા તથા બી.એમ. દેવમુરારીની ટીમે હાલાર હાઉસ નજીકથી અરૂણ યાદવ (જૂનાગઢ, મૂળ વતન ઉતરપ્રદેશ) નામના પરપ્રાંતિય શખ્સને પિસ્તોલ તથા કારતૂસ નંગ-૧ સાથે ઝડપી લીધો છે. આ શખ્સ જામનગર શા માટે આવેલો? તે જાહેર થયું નથી. તેણે આ હથિયાર ગિર સોમનાથ જિલ્લાના વાસાવડના હિતુભા ભગતસિંહ ઝાલા પાસેથી લીધું છે. આ અંગે પોલીસ તપાસ ચાલુ છે.

કલેકટર કચેરી દ્વારા અનુરોધ

     બુધવારે જામનગરની કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદમાં તારીખ ૧૩ ના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કાર્યક્રમ અંગે વિગતો આપવામાં આવી. યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થયો છે. પ્રધાનમંત્રીના હસ્તે વીડીયો કોન્ફરન્સીંગથી કાર્યક્રમ છે.      આ ઉપરાંત આગામી દિવાળીના તહેવારો જામનગર શહેર-જિલ્લાામં કોરોના સંક્રમણનો પ્રસાર ન થાય તે રીતે લોકો સંયમિત રહી તહેવારો ઉજવે તેવો અનુરોધ કલેકટર રવિશંકર દ્વારા કરવામાં આવ્યો છે.