જામનગરમાં ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા, શહેરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવાની માંગણીના અનુસંધાને મહાનગરપાલિકાએ નવા કોર્ટ બિલ્ડીંગના સામેના સર્કલમાં પ્રતિમા મૂકી આ સર્કલનું નામકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય, વોર્ડ નંબર ૨ ના નગરસેવક જયેન્દ્રસિંહ ઝાલા સહિતના ક્ષત્રિય યુવાનોએ તમામ મહાનુભાવોનો આભાર માની મેયર હસમુખભાઇ જેઠવા તથા સ્ટેન્ડીગ કમિટી ચેરમેન સુભાષભાઇ જોષીનું પુષ્પહાર તથા સાલ ઓઢાડી સન્માન કયું< છે અને ખુશીની લાગણી વ્યકત કરી છે.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો