મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 17, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

નવલાં નોરતાંનો પ્રારંભ: પાવાગઢ મંદિર બંધ: અંબાજી માતાના મંદિરમાં માસ્ક વિના દર્શન પર પ્રતિબંધ છાત્રોની સંખ્યા ઘટી જતાં પાછલાં ૩ વર્ષ દરમ્યાન ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (જીટીયુ)એ ૧૩ કોલેજની ૧૩૦૦ બેઠકો રદ્‌ કરી નાંખી અન્ડર ગ્રેજ્યૂઐટ હ્મઈઈટનું પરિણામ જાહેર: સરકારી મેડીકલ કોલેજોમાં મેરિટ ૨૦ થી ૨૫ માર્ક ઉંચું જશે: રાજકોટના વિદ્યાર્થીનો પરીક્ષામાં ૧૧ મો રેન્ક નવરાત્રિ દરમ્યાન વાહનોની ખરીદીમાં નબળું બુકીંગ: ટુ વ્હીલરના વેચાણમાં ૪૦ ટકાનો, કારના વેચાણમાં ૧૦ ટકાનો ઘટાડો થશે અલીબાબા ના જેકમા (એન્ટ ગ્રુપ) લાવી રહ્યા છે દુનિયાનો સૌથી મોટો આઇપીઓ: આઇપીઓનું કદ રૂા.૨૫૬૦૦૦ કરોડનું (૩૫ અબજ ડોલર) અરબી સમુદ્રમાં મહારાષ્ટ્ર-કર્ણાટક નજીક લો વેલમાર્ક પ્રેશર સર્જાયું: ગુજરાત-મહારાષ્ટ્રમાં થઇ શકે છે ભારે વરસાદ કામધેનું આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથિરીયાના (ગોબર ચિપ)ના દાવાને વૈજ્ઞાનિકો દ્વારા પડકાર: પુરાવાઓ આપો જામનગરમાં પછાત-દૂરના વિસ્તારોમાં જ વીજધાંધિયા છે એવું નથી, વીજતંત્ર શહેરના પોશ વિસ્તારમાં પણ લાલિયાવાડી ચલાવે છે: ગાંધીનગર-પટેલ કોલોની-પંચવટી વિસ્તારોમાં વીજળીના વારંવાર ધાંધિયા: તંત્ર મૌન: લોકોમાં રો...

જયેશ પટેલ (જમીન માફિયા)ના વધુ બે સાગરિતો ઝડપાયા

     ગુજરાત એટીએસ તથા જામનગર એલસીબીએ બે આરોપીઓને ઝડપી લીધાં છે. આ બંને શખ્સો છેલ્લાં બે વર્ષથી પોલીસના "હાથ" થી બચ્યા હતાં. અંતે ઝડપાઇ ગયા છે.      બે પૈકી એકનું નામ છે અનવર ઉર્ફે (અનિયો લાંબો) અબ્દુલ ગઢકાઇ, બીજાં શખ્સનું નામ એઝાઝ અનવર સફીયા છે જે ગુનાજગતમાં એઝાઝ મામા તરીકે ઓળખાય છે. આ બંને આરોપીઓના કોવિડ ટેસ્ટ તથા અદાલાતમાં રિમાન્ડની માંગણી વગેરે કામગીરી એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શનમાં ચાલી રહી છે.      અત્રે નોંધનિય છે કે, અગાઉ આ ગેંગ તથા જયેશ પટેલની ગેંગ વચ્ચે લડાઇ હતી. રણજિતનગર તથા પ્રમાણી સ્કૂલ નજીક જયેશના માણસ, જયેશના ભાઇ પર હુમલા પણ થયેલા. બાદમાં બંને ગેંગ વચ્ચે રહસ્યમય રીતે સમાધાન થઇ ગયું હતું. બાદમાં આ ગેંગ જયેશ પટેલ (રાણપરિયા)ના માર્ગદર્શન પ્રમાણે કામ કરતી હતી!

જામનગરમાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમના કાયદા હેઠળ નોંધાતો પ્રથમ કેસ: ચકચાર

     ગુજરાત સરકારે રાજ્યમાં આતંકવાદ અને સંગઠિત અપરાધ (ઓર્ગેનાઇઝડ ક્રાઇમ) રોકવા ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (ગુજ-સીટોક) નામનો કાયદો બનાવ્યો છે. આ કાયદા હેઠળ જામનગરમાં પ્રથમ ગુનો નોંધાયો છે. કુલ ૧૪ શખ્સો પોલીસના કબજામાં છે, ૧૦ મો શખ્સ વિદેશમાં હોવાનું કહેવાય છે અને બાકીના ૪ શખ્સોના નામો, ગુનો નોંધાયા પછી પણ, હજૂ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી. પોલીસ કહે છે: ધરપકડો બાકી હોય આ ૪ શખ્સોના નામો હાલ જાહેર કરવામાં આવ્યા નથી.      ગુજ-સીટોક કાયદા હેઠળ જામનગરના અગ્રણી બિલ્ડર નિલેશ મનસુખલાલ ટોલિયા, શાસકપક્ષના કોર્પોરેટર અતુલ વિઠ્ઠલભાઇ ભંડેરી, નિવૃત પોલીસકર્મી (એલસીબી) વશરામભાઇ મિયાત્રા, જમીન માફિયાની માલિકીના મનાતા "અખબાર"ના સંચાલક પ્રવિણ પરસોતમ ચોવટીયા ઉપરાંત બિલ્ડર મુકેશ વલ્લભભાઇ અભંગી, જિગર ઉર્ફે જિમ્મી પ્રવિણચંદ્ર આડતીયા (વિદેશી ચલણનો વેપારી), અનિલ મનજીભાઇ પરમાર તથા પ્રફૂલ જયંતિભાઇ પોપટ સામે ગુનો નોંધી ધરપકડો કરવામાં આવી છે. નવમો આરોપી જશપાલસિંહ (યશપાલસિંહ) જાડેજા જેલમાં છે, તેના વિરૂધ્ધ જાંબુડાના એક જમીન કૌભાંડ સહિતના ગુનાઓ નોંધાયા છે....